કનૈયાલાલ મુન્શી, Kanaiyalal Munshi
![]()
“કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ.”
- ગુજરાતનો નાથ
_____________________________
જન્મ
30 ડિસેમ્બર – 1887 ; ભરુચ
અવસાન
8 ફેબ્રુઆરી – 1971 ; મુંબાઇ
કુટુમ્બ
- માતા - તાપીબા ; પિતા - માણેકલાલ ; બહેનો - છ બહેનો
- પત્ની - 1) અતિલક્ષ્મી- 1900 2) લીલાવતી- 1926
અભ્યાસ
- 1901 - મેટ્રિક , ભરુચ
- 1907 - બી.એ., વડોદરા
- 1910 - એલ.એલ.બી. ,મુંબાઇ
વ્યવસાય
- 1913 - મુંબાઇમાં વકીલાત
- 1945 – મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક
જીવન ઝરમર
-
1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
-
1912 – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના
-
1915-20’ હોમરુલ લીગ’ ના મંત્રી
-
1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું
-
અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
-
1922- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન
-
1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા
-
1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
-
1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
-
1930-32 – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
-
1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર
-
1937-39 – મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન
-
1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના
-
1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ
-
1942-1946- ગાંધીજી સાથે મતભેદ અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ
-
1946- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
-
1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર
-
1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
-
1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
-
1952-57 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
-
1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
-
1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
-
1959 - ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ
-
1960- રાજકારણમાંથી નિવૃત્ત
રચનાઓ - નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર - 2
- નવલકથા - કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ,રાજાધિરાજ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ.
- નાટક- કાકાની શશી- વિ.
- આત્મકથા- અડધે રસ્તે, સીધાં ચઢાણ
સન્માન
દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી
સાભાર
ગુર્જર સાહિત્ય ભવન - અમૃતપર્વ યોજના
[...] • પોંડિચેરીના એકાંતવાસ દરમ્યાન મહાયોગી શ્રી અરવિંદ બહુ ઓછા મહાનુભાવોને મળતા. તે સમયે પણ શ્રી અરવિંદે પોતાના એક સમયના શિષ્ય કનૈયાલાલ મુનશીને વિશેષ દર્શનનો લાભ આપેલો! [...]
Pingback by કનૈયાલાલ માણેકલાલ મુનશી « મધુસંચય — November 9, 2006 @ 3:34 am
નૈયાલાલ મુનશીની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં ’જય સોમનાથ’ તથા ‘પૃથિવી વલ્લભ’ જેવી નવલકથાઓ તેમજ આત્મકથાના ખંડો ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ છે. ઐતિહાસિક નવલકથા ‘પૃથિવી વલ્લભ’ રસસભર કૃતિ છે.
• 1943માં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ નામક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેનું કથાનક કનૈયાલાલ મુનશીની નવલકથા ‘પૃથિવી વલ્લભ’ પર આધારિત હતું.
• ગુજરાતી ફિલ્મકંપની ‘કૃષ્ણ મુવિટોન’ના માલિક નિર્માતા માણેકલાલ પટેલે ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથાઓ ’જય સોમનાથ’, ‘કોનો વાંક’ વગેરે પરથી પણ ફિલ્મો બનાવી હતી.
Comment by હરીશ દવે — November 10, 2006 @ 6:14 am
[...] # કનૈયાલાલ મુન્શી [...]
Pingback by અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય — November 10, 2006 @ 4:38 pm
[...] જીવનઝાંખી [...]
Pingback by 8 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — February 9, 2007 @ 12:46 am
[...] ના દુ:ખદ સંદેશા લાવ્યા - ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યો. - ઝવેરચંદ મેઘાણીએ [...]
Pingback by ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય — May 27, 2007 @ 4:16 am
[...] # લીલાવતી મુન્શી # કનૈયાલાલ મુન્શી [...]
Pingback by સારસ્વત દંપતીઓ, couples « ગુજરાતી સારસ્વત પરિચય — May 28, 2007 @ 1:50 am
The books of Munshiji are not available in Govt. sponsored library due to reasons not available. It should be made available as in my opinion every gujarati is required to know and be proud of Munshiji
Rajan Mankodi
Comment by rajan mankodi — June 18, 2007 @ 6:15 am
[...] Posted by સુરેશ on December 30, 2007 કનૈયાલાલ મુન્શી નો જન્મદિન - 1887 ; ભરૂચ “કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ.” - જીવનઝાંખી [...]
Pingback by 30 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — December 29, 2007 @ 2:01 pm
reading jay somnath. and totaly fascinated by it.
Comment by jui bhatt — February 7, 2008 @ 4:13 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 8 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર — February 15, 2008 @ 5:49 am