ગુજરાતી સારસ્વત પરિચય

September 26, 2006

રમણભાઈ નીલકંઠ

“રસપાન કરો, રસપાન કરો,
રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો,
રસ છે મધુરો, પણ કોણ કળે?
કડવો બનશે કદી આપબળે?”

” એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી.
તેથી જ શાણા સજ્જનો લવલેશ મુંઝાતા નથી.”

-  રાઈનો પર્વત

” મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.”

- ભદ્રંભદ્ર

નીલકંઠ કુટુંબનો વિશેષ પરિચય 

__________________________

નામ

રમણભાઈ મહીપતરામ નીલકંઠ

જન્મ

13 - માર્ચ, 1886; અમદાવાદ

અવસાન

6 - માર્ચ, 1928 ; અમદાવાદ

કુટુમ્બ

  • માતા – રૂપકુંવરબા ; પિતા – મહીપતરામ નીલકંઠ ( ગુજરાતમાંથી વિલાયત જનાર પ્રથમ વ્યક્તિ)
  • પત્ની – પ્રથમ પત્ની હંસવદન (નાની ઉંમરે મૃત્યુ), બીજાં લગ્ન #     વિદ્યાગૌરી     સાથે (1887)
  • પુત્રી - વિનોદિની - જાણીતાં સામાજિક કાર્યકર

અભ્યાસ

  • પ્રાથમિક – અમદાવાદ
  • માધ્યમિક – પંદર વર્ષે મેટ્રિક
  • ગુજરાત કોલેજ (અમદાવાદ) તથા એલ્ફિન્સ્ટન કોલેજ (મુંબઈ) માં અભ્યાસ
  • પ્રિવિયસમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ
  • 1887- બી. એ. મુંબઈ યુનિવર્સિટી
  • એલ.એલ.બી.

વ્યવસાય

  • 1889 - સરકારી નોકરી; કારકુન, શિરસ્તેદાર, જજ( ગોધરામાં)
  • વકીલાત
  • લેખન

જીવન ઝરમર

  • વકીલાતના વ્યવસાયમાં ભારે સફળતા
  • હસ્તાક્ષરનિષ્ણાત
  • જાહેર જીવનમાં ઝંપલાવ્યું
  • 1897-98 અમદાવાદ સુધરાઈના સભ્ય 
  • 1912 -  અમદાવાદ સુધરાઈના ઉપપ્રમુખ
  • 1915-24 - અમદાવાદ સુધરાઈના પ્રમુખ
  • 1926- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1887- 1918 - ‘જ્ઞાનસુધા’ માસિકના તંત્રી
  • અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર
  • અગ્રણી સમાજસેવક, પિતાના નામથી મહીપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો 
  • પત્ની અને પુત્રી પણ જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવક 

મુખ્ય રચનાઓ

  • નવલકથા – ભદ્રંભદ્ર , શોધમાં
  • નાટક – રાઈનો પર્વત
  • વિવેચન – સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન, બીજા લેખો.
  • વાર્તા- નવલિકાઓ
  • કાવ્ય- કેટલાંક કાવ્યો, ખંડકાવ્યો
  • હાસ્ય - હાસ્ય મંદિર
  • ચિંતન - ધર્મ અને સમાજ
  • વિવેચન - કવિતા અને સાહિત્ય ભાગ 1-4

સન્માન

‘સર’ નો ખિતાબ - અંગ્રેજ સરકાર દ્વારા

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન.

3 Comments »

  1. રાઈ ને જાલકા એ તો બાજી કેરાં સોગઠાં:
    છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ?

    પ્રજાપાલકની વૃત્તિ માળીના જેવી છે ખરે !
    ઉછેરે,ફળ લે બન્ને ..ઉખેડે પ્રીતિયે કરે !….(રાઇનો પર્વત).

    Comment by manvant — September 27, 2006 @ 8:29 pm

  2. [...] જીવનઝાંખી [...]

    Pingback by 6 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર — March 8, 2007 @ 12:56 am

  3. [...] સારસ્વત પરિચય [...]

    Pingback by વિનોદિનીબહેન નીલકંઠ « અનુપમા — March 16, 2007 @ 7:11 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.