# “હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું? “
_______________________
નામ
નિરંજન નરહરિભાઇ ભગત
જન્મ
18 – મે , 1926 ; અમદાવાદ
અભ્યાસ
- એમ. એ.
વ્યવસાય
- અધ્યાપન
જીવન ઝરમર
- બંગાળી અને અંગ્રેજી કાવ્યોનું બહોળું વાંચન
- ‘હાલતી ચાલતી વિદ્યાપીઠ’ જેવા કવિ
- નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન
- ઉત્તમ વક્તા
- પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષ્ટ મુદ્રા છે.
- ‘પ્રવાલ દ્વીપ’ નો અંગ્રેજીમાં અનુવાદ થયો છે.
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો – છંદોલય * , કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો, પ્રવાલ દ્વીપ , છંદોલય બૃહદ્ – સમગ્ર કવિતા
- વિવેચન - કવિતાનું સંગીત, કવિતા કાનથી વાંચો, ન્હાનાલાલની ઊર્મિકવિતા, સ્વાધ્યાય લોક – અનેક ભાગ
- અનુવાદ - ચિત્રાંગદા ( રવીન્દ્રનાથના નાટકનો ), ઓડનનાં કાવ્યો
- સંપાદન - પ્રો. બ.ક.ઠાકોર અધ્યયન ગ્રંથ, મીરાંબાઇના કાવ્યો
- ધાર્મિક – યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા
- તંત્રી – ગ્રંથ, સાહિત્ય
સન્માન
- 1969 - રણજિતરામ સુવર્ણચંદ્રક *
- 1953-57 - નર્મદચંદ્રક *
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.