અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, અમદાવાદના શ્રી. જુગલ કિશોર વ્યાસ આજ તા. 4 નવેમ્બર- 2008 થી પરિચય બ્લોગોના સંકલન કાર્યમાં જોડાયા છે.
November 4, 2006
નાનાભાઇ ભટ્ટ
“નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત. ”
# લોકભારતી
નામ
નૃસિંહ પ્રસાદ કાળીદાસ ભટ્ટ
જન્મ
નવેમ્બર 11, 1882 – ભાવનગર
અવસાન
ડિસેમ્બર 31, 1961
અભ્યાસ
- એમ. એ. ( ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે – શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય
- અધ્યાપન
જીવન ઝરમર
- 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
- 1906-10 – શામળદાસ કોલેજમાં અધ્યાપક
- 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના
- 1925-28 - ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
- 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
- 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
- 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
- 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
- 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
- 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
- હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા
મુખ્ય રચનાઓ
- ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
- ચરિત્ર - હજરત મહંમદ પયગંબર, મહાભારતનાં પાત્રો - ’લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ , રામાયણનાં પાત્રો - ’લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
- શિક્ષણ - સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
- પ્રવાસ વર્ણન - આફ્રિકાનો પ્રવાસ
- ધાર્મિક - હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
- વાર્તા - દૃષ્ટાંત કથાઓ 1,2
- શિક્ષણ - ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર - 1,2 ; સંસ્થાનું ચરિત્ર
- ચિંતન - પથારીમાં પડ્યાં પડ્યાં
સન્માન
1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

