ગુજરાતી સારસ્વત પરિચય

November 5, 2006

નવલરામ પંડ્યા

navalram_pandya.jpg”એકલા શું કરીએ? એક માણસથી શું થઇ શકે?
અમે કહીએ છીએ, મોટાં કામ એકથી જ થાય છે.  બૌધ્ધ, ખ્રિસ્તી, મુસલમાન ધર્મના કાઢનારા એક હતા કે અનેક? શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, કબીર, એ પ્રથમ એક જ હતા ક્ર અનેક? શિવાજી એક હતા કે અનેક? એક ગેલીલીયોએ કેટલું કર્યું છે? એક સોક્રેટીસ ગ્રીસ દેશમાં સુધારાનો પોકાર કેવો ઉઠાવી શક્યો હતો?  ”

#   રચના

_______________________

નામ

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

જન્મ

માર્ચ - 9, 1836 - સૂરત

અવસાન

ઓગષ્ટ - 7, 1888

અભ્યાસ

  • મેટ્રીક્યુલેશન

વ્યવસાય

  • અધ્યાપન

જીવન ઝરમર

  • તંત્રી: ગુજરાત શાળાપત્ર(1870 થી)
  • નર્મદના સમકાલીન વિદ્વાન, નર્મદ સાથે સુધારા બાબતમાં તીવ્ર મતભેદ હોવા છતાં અમુક બાબતમાં નર્મદના પ્રશંસક

મુખ્ય રચનાઓ

  • નાટક: ભટ્ટનું ભોપાળું; વીરમતી
  • ભાષાંતર: મેઘદૂત
  • સંપાદન: પ્રેમાનંદકૃત ‘કુંવરભાઇનું મામેરું’
  • પદ્ય: બાળલગ્નબત્રીશી; બાળગરબાવળી
  • ભાષા-સાહિત્ય: વ્યુત્પત્તિપાઠ; નિબંધરીતિ; અકબર-બિરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ
  • ઇતિહાસ: ઇગ્રેજ લોકોના સંક્ષિપ્ત ઇતિહાસ
  • જીવનચરિત્ર: કવિજીવન
  • સમગ્ર સાહિત્ય -  નવલગ્રંથાવલિ-સં.ગોવર્ધનરામ ત્રિપાઠી; ગ્રંથ-1: નાટકો, કાવ્યો, વાર્તાઓ, ભાષાંતરો; ગ્રંથ-2: ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષરચર્ચા; ગ્રંથ-3: શાળાપયોગી, શિક્ષણવિષયક લેખો; ગ્રંથ-4: સામાન્ય જ્ઞાનના વિષયો

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન

1 Comment »

  1. [...] # નવલરામ પંડ્યા [...]

    Pingback by અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય — November 14, 2006 @ 5:51 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.