વિભૂત શાહ, Vibhoot Shah
” જાણીતા રેડીયો/ ટી.વી. નાટકોના રચયિતા
” આ સાહિત્ય જગતમાં કેટલાં બધા અવતરણો છે? એમાંથી ગમે તે એકનું મારા જીવનમાં અવતરણ થાય તો પણ હે, સખા! ૐ શાંતિ , શાંતિ, શાંતિ ….”
# એક રચના
______________________________________________
સમ્પર્ક
- ‘બંદિશ’ કેશવનગર , અમદાવાદ - 380 027
જન્મ
- 23 - જૂન, 1933 ; નડિયાદ : વતન - ખેડા
કુટુમ્બ
- માતા - ચંદનબેન ; પિતા - ચંપકલાલ
- પત્ની - મીના ( લગ્ન - 1971, અમદાવાદ) ; સંતાનો - ત્રણ
અભ્યાસ
- બી. એ. , એલ. એલ. બી.
- ડીપ્લોમા - લાયબ્રેરી સાયન્સ, અમદાવાદ
વ્યવસાય
- ગ્રંથપાલ, જામનગર કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ
જીવન ઝરમર
- 1959 - ‘સૌથી પહેલી’ તેમની સૌથી પહેલી વાર્તા- ‘યુવક’ માસિકમાં
- પચીસ વર્ષમાં આકાશવાણી પરથી સો જેટલા નાટકો પ્રસારિત થયા છે.
- ટી.વી પરથી પણ તેમના નાટકો પ્રસારિત થયા છે.
- તેમની રચના ‘ ટેકરીઓ પર વસંત બેઠી છે’ અત્યંત લોકપ્રિય. તેમના એક જીવન પ્રસંગમાં એક કરિયાણા વાળા ભાઇ પણ જાણતા હતા !
- રૂઢી તોડીને સાદી રીતે આંતરજ્ઞાતીય લગ્ન
મુખ્ય રચનાઓ - અગિયાર પુસ્તકો
- વાર્તાસંગ્રહો - બંદિશ, ફ્લાવરવાઝ, કુંજાર, ટેકરીઓ પર વસંત બેઠી છે
- નવલકથા - અમાવાસ્યા , અસંગતિ, સમ્ભવામિ
- નાટક - વ્હાલા પપ્પા, વિ.
સન્માન
- 1993 - શ્રેષ્ઠ રેડીયો નાટક ‘વહાલા પપ્પા’ માટે પુરસ્કાર
- ગુજરાત રાજ્ય, સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો
સાભાર
- ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન

એ એક સુખદ અકસ્માત છે કે હું વિભૂતભાઇની ઘણી નજીક , સાબરમતીમાં, 25 વર્ષ રહ્યો છું. તેમને એક વખત મળ્યાનું આછું સંસ્મરણ છે. ક્યાં અને ક્યારે તે તો અત્યારે યાદ નથી.
Comment by સુરેશ જાની — January 24, 2007 @ 5:34 am
[...] જીવનઝાંખી [...]
Pingback by 23 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર — June 23, 2007 @ 3:13 am