ગુજરાતી સારસ્વત પરિચય

January 25, 2007

કુમારપાળ દેસાઇ, Kumarpal Desai

kumarpal_-desai_2.jpg” આકાશને આંબવા મથતી પ્રણય ઊર્મિઓ ઘણીવાર એક જ ભરતીમાં શમી જતી જોવા મળે છે. આરંભે અતિ ઘાટું લાગતું પ્રેમનું પોત અને પાકો રંગ,  એક જ ભર્યા વરસાદમાં ફિક્કો પડેલો અને જર્જરિત નજરે પડે છે.”

- ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
ઇંટ અને ઇમારત કોલમના એક  લેખમાંથી - ગુજરાત સમાચાર

#   એક જૈન ધર્મસ્થાન વિષે લેખ

# ઇંટ અને ઇમારતમાં તાજેતરનો એક લેખ

______________________________________________________________________________

જન્મ

  • 30- ઓગસ્ટ, 1942. (રાણપુર)
  • વતન - સાયલા (જિ.સુરેન્દ્રનગર)  

કુટુમ્બ

  • પિતા -  બાલાભાઇ વીરચંદ દેસાઇ ( જયભિખ્ખુ ) ;  માતા -  જયાબહેન
  • પત્ની -   પ્રતિમા ;  સંતાનો -   કૌશલ, નીરવ    

અભ્યાસ

  • 1963- બી.એ.(ગુજરાતી અને સંસ્કૃત સાથે ) અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી
  • 1965 - એમ.એ.;  ગુજરાત યુનિ.
  • 1977  - પી.એચ.ડી. ;  ગુજરાત યુનિ.

વ્યવસાય

  • 1965 - 1983 ગુજરાતીના અધ્યાપક,  નવગુજરાત કૉલેજ
  • 1983 થી ગુજ. યુનિ. ભાષાભવનમાં વ્યાખ્યાતા, રીડર અને છેલ્લે યુનિ. ભાષાભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફૅકલ્ટીના ડીન
  • પત્રકારત્વનું અધ્યાપન

જીવન ઝરમર

  • જીવન ઘડતરમાં મહત્વનો ફાળો સફળ અને અત્યંત લોકપ્રિય લેખક પિતાનો અને નાનપણમાં જ ગાંધીજીની વાતો કહેનાર માતાનો
  • ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, દુલા ભાયા કાગ વિ. સમર્થ સાહિત્યકારોનું સાન્નિધ્ય શૈશવકાળથી જ સાંપડ્યું હતું
  • ‘આનંદઘન- એક અધ્યયન’ - પી.એચ. ડી. નો વિષય
  • તેમના માર્ગદર્શન હેઠળ દસ વિદ્યાર્થીઓએ પી.એચ. ડી. ની પદવી મેળવી છે.
  • લેખન આરંભ -   પ્રથમ લેખ 11 વર્ષની ઉંમરે પ્રગટ થયો.
  • પ્રથમ પુસ્તક ‘વતન,તારાં રતન’ કૉલેજકાળ દરમિયાન પ્રગટ થયું
  • 1962 - કોલમ લેખન શરું થયું
  • અહિંસા અંગેના કાર્યક્રમો - શાકાહાર અંગે સંપાદનો/પ્રકાશનો/સેમિનારો/પ્રવચનો તથા પ્રચારના ૧૦ કાર્યોમાં ભાગીદારી
  • ગંગાબા તથા મોહિનાબા કન્યા વિદ્યાલયોમાં જૈનધર્મ વિષયક અભ્યાસક્રમોના આયોજનોમાં ફાળો
  • ઈન્સ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના મુખ્ય કાર્યકર્તા
  • ‘જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મુખ્ય સંચાલક  
  • આંતર્ રાષ્ટ્રિય ક્ષેત્રે કામગીરી
    • 1984 - પહેલી વખત યુ.કે.તથા યુ.એસ.એ.ગયા. 
    • 1986 - પહેલી વખત અમેરીકામાં લોસ એંજેલસ ગયા ; ત્યાર બાદ વિદેશ-પ્રવાસ -  28
    • ઇંસ્ટિટ્યુટ ઑફ જૈનોલોજીના ભારતના કો-ઓર્ડિનેટર;  તેના દ્વારા થતી જૈન વાચનમાળાના અભ્યાસક્રમોના આયોજક;  જુદી જુદી ૨૮ સંસ્થાઓમાં ઉચ્ચ પદે રહીને સેવાઓ
    • (w.w.f.)ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એડનબરો પ્રિંસ ફિલિપને ‘સ્ટેટમૅંટ ઑન નેચર’પ્રસ્તુત કરનાર મંડળમાં
    • 1993 -  પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, શિકાગોમાં વક્તા
    • 1994 - પોપ જોન પોલ ની મુલાકાત લેનાર પ્રતિનિધિ મંડળમાં જૈન ધર્મના અગ્રણી તરીકે
    • નાઇરોબીની સ્કૂલોમાં જૈન ધર્મ વિષયક કામગીરી
    • હાર્પર કૉલિન્સ પ્રકાશિત ‘તત્વાર્થ સૂત્ર’ના મંડળમાં સભ્ય
    • નામદાર પોપ  જ્હોન પૉલ(૨)ને મળનાર પ્રથમ જૈનમંડળના સભ્ય
    • પિટ્સ્બર્ગ અને ટોરોંટો માં  જૈન સંસ્થાઓ તરફથી એવોર્ડ                                                            
    • દેશ-વિદેશમાં વિવિધ વિષયો પરનાં વ્યાખ્યાનો - 37
    • “જૈના”ના કન્વેન્શનમાં કી-નોટસ્પીકર
    • કેપટાઉનમાં યોજાએલ ‘પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સમાં વક્તા અને ભારતના સંયોજક.
  • કૉલમ લેખન
    • ગુજરાત સમાચારમાં રમત જગતની - ‘રમતનું મેદાન’ ; ઐતિહાસિક કથાઓ -   “ઈંટ અને ઈમારત”; અને જીવનકથાઓની - ‘ઝાકળ બન્યું મોતી’  બહુજ વંચાતી કોલમો ; એકલા ‘ઇંટ અને ઇમારત’, ‘આકાશની ઓળખ’, અને ‘પારિજાતનો સંવાદ’  માં પ્રસિધ્ધ થયેલા લેખો જ પુસ્તકાકારે પ્રસિધ્ધ કરવામાં આવે તો સો એક ગ્રંથો થાય !
    • 1970 થી -  ગુજરાત ટાઇમ્સ (નડિયાદ)માં “પાંદડું અને પિરામિડ”
  • ગુજરાત વિશ્વકોશ  ટ્રસ્ટના સ્થાપનાકાળથી તેની સાથે જોડાયેલા છે.
  • અનુકંપા ટ્રસ્ટ , વિદ્યાવિકાસ ટ્રસ્ટ, મહાવીર માનવ કલ્યાણકેન્દ્ર  વિ, માં સક્રીય કામગીરી
  • વર્તમાનમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

પ્રદાન

  • જીવન ચરિત્ર લેખન, રમત ગમત અને જૈન ધર્મનું સાહિત્યમાં  ખાસ  પ્રદાન 
  • જીવન ચરિત્રો- 19 ; બાળસાહિત્ય - 17;  ચિંતન સાહિત્ય - 16 ; સંશોધનાત્મક - 7 ; પ્રૌઢ સાહિત્ય - 4; વિવેચન - 4 ; વાર્તા સંગ્રહો - 3 ; સંપાદનો- 9 ;  તત્વજ્ઞાન - 1 ; પત્રકારત્વ - 1; અનુવાદ - 1 ;  હિન્દી-અંગ્રેજી પુસ્તકો - 14

મૂખ્ય રચનાઓ      

  • પત્રકારત્વ - અખબારી લેખન+, સાહિત્ય અને પત્રકારત્વ
  • રમત ગમત - અપંગનાં ઓજસ+ , ભારતીય ક્રિકેટરો, ક્રિકેટ રમતાં શીખો
  • ચરિત્ર - મહામાનવ શાસ્ત્રી, સી.કે.નાયડુ , ભગવાન ઋષભદેવ, ફિરાક ગોરખપુરી વિ.
  • વાર્તા -   એકાંતે કોલાહલ,  સુવર્ણમૃગ, મોતના સમંદરનો મરજીવો, અગમ પિયાલો, લોખંડી દાદાજી વિ.
  • નિબંધ - ઝાકળ બન્યું મોતી, માનવતાની મહેંક, તૃષા અને તૃપ્તિ, જીવનનું અમૃત વિ.
  • વિવેચન - શબ્દ સન્નિધિ, શબ્દ સમીપ, ભાવ્ન વિભાવન વિ.
  • સંપાદન -  જયભિખ્ખુ સ્મૃતિ ગ્રંથ, દુલા કાગ સ્મૃતિગ્રંથ, ગુજરાત ટાઇમ્સના વિશેષાંકો આનંદઘન વિ.
  • સંશોધન - ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વિ.
  • ધાર્મિક -જ્ઞાનવિમલ સૂરિ કૃત ‘સ્તબક’ , વાચક મેરૂસુંદર કૃત બાલાવબોધ વિ.
  • બાળસાહિત્ય -લાલ ગુલાબ+ , ડાહ્યો ડમરો+, કેડે કટારી  ખભે ઢાલ + , મોતને હાથ તાળી + , હૈયું નાનું હિમ્મત મોટી + , ઢોલ વાગે ઢમાઢમ, ચાલો પશુઓની દુનિયામાં વિ.
  • પ્રૌઢશિક્ષણ સાહિત્ય - મોતીની માળા
  • અંગ્રેજી - Non Violance, Forgiveness, Stories from Jainism etc.

                                                  kumarpal_-desai_padmashri.jpg

સન્માન

  • 1989 - બ્રિટનની ૧૭ જૈન સંસ્થાઓ દ્વારા હેમચન્દ્રાચાર્ય ઍવોર્ડ  
  • 2000 - સંસ્કૃતિ સંવર્ધન ઍવોર્ડ
  • 2000 -  નાનુભાઇ સુરતી ફાઉન્ડેશન દ્વારા મિલેનિયમ ઍવોર્ડ
  • 2001 -  ‘જૈન રત્ન’ ઍવોર્ડ
  • હરિ ૐ આશ્રમ એવોર્ડ, હેમચંદ્રાચાર્ય એવોર્ડ
  • 2004  - ભારત સરકાર તરફથી પદ્મશ્રી 
  • ગુજરાત સાહિત્ય સભા ધ.કા.ગાંધી સુવર્ણચંદ્રક
  • +  કુલ ૩૩ સન્માનો/પારિતોષિકો/ચન્દ્રકો.

સાભાર

  • મુકુન્દ પ્રા. શાહ
  • ગુજરાત સમાચાર , નેટ પ્રકાશન
  • જૈન સેન્ટર ઓફ અમેરીકા, ન્યુયોર્ક

1 Comment »

  1. [...] નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, - કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી [...]

    Pingback by ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય — May 27, 2007 @ 4:09 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.