” પત્રકારનું ખિન્ન ને કવિજનોનું છિન્ન,
અડવાજીનું ભિન્ન, તેથી તો એ આગવું! “
” આળો છે, કાં’ક ભોળો છે, સ્હેજમાં વટકી જતો,
આરંભે ખૂબ શૂરો ને મધ્યમાં અટકી જતો,
આપ છે અડવો તેથી અડવાને વખાણતો,
જાણતો પંડજોગું ને પંડજોગું પ્રમાણતો. “
” જાણે મોરબંગલાને મોભારેથી
મોર ટહૂક્યા ને મેડીની
ગોળાકાર બારીમાંથી પરીએ ડોકીયું કર્યું.
જાણે કોઠી ધનથી ઊભરાઇ ગઇ
ને ખોરડામાંથી ચળાઇને આવતાં
ચાંદરણાંએ ઊડાઊડ કરી મૂકી.” – કવિએ લખેલી વાર્તામાંથી !!
પ્રેરક અવતરણ
” સાંઇ ઇતના દીજિયે, જામેં કુટુમ સમાય,
મૈં ભી ભૂખા ના રહું, ઔર સાધુ ન ભૂખો જાય.”
# રચના
____________________________________________________________
સમ્પર્ક
- 236/2 , ‘ઘ’ સેક્ટર – 19, ગાંધીનગર – 382 019
જન્મ
- 5 – ઓગસ્ટ, 1938 ; બોટાદ – જિ. ભાવનગર
- વતન – ભોળાદ – જિ. અમદાવાદ
કુટુમ્બ
- માતા – મોંઘીબેન ; પિતા – રામચંદ્ર જ. પાઠક
- પત્ની - ચંદ્રિકા ( લગ્ન – 1961, ભાવનગર ) ; સંતાન – છ
અભ્યાસ
- બી.એસ.સી.
વ્યવસાય
- ગુજરાત સરકારના મહેસૂલ ખાતામાં નોકરી
જીવન ઝરમર
- પહેલી પ્રકાશિત કૃતિ - કટાક્ષિકા ‘નાટકનો તખતો’ – ‘ચાંદની’માં
- ‘કુમાર’ માં પ્રથમ કાવ્ય પકાશિત
- પ્રિય લેખક – જ્યોતીન્દ્ર દવે
- ચિત્રકળા પર પણ સારું પ્રભુત્વ- મિત્રોનાં પુસ્તકોનાં મુખપૃષ્ટો અને કાર્ટૂનો ચીતરે છે.
- મિત્રોને સાદા પોસ્ટકાર્ડ પર ચિત્રાંકન કરી દિવાળીકાર્ડ મોકલનાર અસાધારણ વ્યક્તિ
- સારું ગાઇ પણ શકે છે.
- ગાંધીનગરમાં ‘મિજલસ’ અને ‘બૃહસ્પતિસભા’ નું કવિતામય સંચાલન
- આકાશવાણી પર વિવિધ સાહિત્ય પઠનના કાર્ય્ક્રમો આપેલા છે.
- ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન ઉપપ્રમુખ
રચનાઓ
- કાવ્ય – અડવાપચીસી, ટાપુ (અછાંદસ રચનાઓ)
- વાર્તા – મોરબંગલો
- બાળસાહિત્ય - ગુલાબી આરસની લગ્ગી, કોઇનું કંઇ ખોવાય છે.
- સંપાદન – નગર વસે છે – ગાંધીનગરના કવિઓના અગ્રંથસ્થ કાવ્યોનો સંગ્રહ, આપની યાદી ( કલાપીના ચૂંટેલાં કાવ્યો)
સન્માન
- 1967 – કુમાર ચન્દ્રક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા ; રન્નાદે પ્રકાશન

[...] – હરિકૃષ્ણ પાઠક [...]
Pingback by લયસ્તરો » નેજવાંની છાંય તળે - હરિકૃષ્ણ પાઠક — January 31, 2007 @ 9:33 pm |
Sorry, Kavi Harikrishna Pathak has many more creations on his name.You have hardly provided information about his books only five percent. Pl. give full information about his all ‘rachanas’.His biodata is also old, pl. update it.
Comment by DILIP CHANDULAL — July 24, 2007 @ 3:24 am |
Is there any book written by Shri Harikrishna Pathak which teaches young generation how to live a family life? How to teach kids to respect other people? Especially family members. He being father of 6 kids, must surely be aware importance of family bonding and must have written something. Please suggest me if I can get any help here.
Thanks
Comment by Falguni — April 23, 2009 @ 12:18 pm |