ચંદ્રકાન્ત મહેતા, Dr. Chandrakant Mehta
“હાર નિશ્ચિત લાગતી હોય, પ્રતિકૂળતાના તોફાની પવનો ચારેબાજુથી ફૂંકાતા હોય, સ્વજનો સાથ છોડીને જતાં રહેતાં હોય, સ્વપ્નો કસમયે કમોતે મરતાં નજરે પડતાં હોય તેમ છતાં શ્રદ્ધાનો દીપક પોતાના મનમાં જલતો રાખી શકે એ જ જવાંમર્દ, વિશ્વનું સૌથી મુશ્કેલ કામ એક આ પણ છે. નવો ચીલો પાડવાના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર રહેવાની તમન્ના.”
- ‘શ્યામ ગુલાબી આકાશ’ માંથી
# રચનાઓ
__________________________________________
જન્મ
- ઑગસ્ટ - 6, 1939
અભ્યાસ
- એમ. એ., પીએચ. ડી.
- એલ. એલ. બી. , પી.જી. ડિપ્લોમા-ઈન-જર્નાલિઝમ
વ્યવસાય
- અધ્યાપન, શિક્ષણ ક્ષેત્ર સાથે સંલગ્ન
- લેખન
જીવનઝરમર
- નવગુજરાત આર્ટસ કોલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક
- ગુજરાત યુનિવર્સિટીમાં રીડર તથા પત્રકારત્વ વિભાગના વડા
- 1994-97 ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ – કુલપતિ
- રાજ્ય તથા દેશની સાહિત્ય સંસ્થાઓ તેમજ વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓમાં માનદ સેવા
- ગુજરાતી - હિન્દી ભાષામાં લેખન
મુખ્ય રચનાઓ
- મન મધુવન, એક જ દે ચિનગારી, કેમ છે દોસ્ત, કોલેજની હવામાં, ચિંતનદીપ, કેસરક્યારી, સંચાર માધ્યમ- સંશોધન, મીડિયા અને આચાર સંહિતા
- સંપાદન - વંદના, લોકવાણી આદિ
સન્માન
- ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર
- હિન્દી સાહિત્ય સર્જન માટે રાજ્ય પુરસ્કાર તથા નેશનલ એવોર્ડ
ડો. ચન્દ્રકાંતભાઈ સાથે મારે પ્રથમ પરિચય સત્તરેક વર્ષ અગાઉ થયેલો. તેમના વ્યક્તિત્વને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે! નિખાલસ, પારદર્શક, પ્રેમાળ, ઉષ્માભર્યું વ્યક્તિત્વ અને તેમાંથી ઝલકતી બહુમુખી પ્રતિભા!
ચન્દ્રકાંતભાઈની લેખનશક્તિ અને તેમનાં સર્જન વિશે હું ટૂંક સમયમાં “મધુસંચય” http://gujarat1.wordpress.com પર લખવાનો છું.
…… ….. હરીશ દવે …. અમદાવાદ
Comment by હરીશ દવે — February 13, 2007 @ 1:33 am
[...] # ચન્દ્રકાન્ત મહેતા [...]
Pingback by અનુક્રમણિકા - ચ « ગુજરાતી સારસ્વત પરિચય — April 24, 2007 @ 9:44 am