રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’ - Revised
“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !”
“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’
દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “
“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !”
” દિવાસળી એક જ વાર બોલે છે. ” - એક ચાંદરણું
# કાવ્યો - 1 - : - 2 - : - 3 - @ : @ ખાસ મિડીયા પ્લેયર ઇન્સ્ટોલ કર્યા બાદ
# એક લેખ : વેબ સાઇટ + + ખાસ ફોન્ટ ઇન્સ્ટોલ કર્યા બાદ
__________________________________________
નામ
- રતિલાલ મૂળચંદદાસ રૂપાવાલા
સમ્પર્ક
-
‘Kankavati’ , 13-14, Sai Samarpan Society, Behind Ashirvad township
1, Bamroli road, Udhna,Surat - 394 210
જન્મ
- 1919
અભ્યાસ
- પ્રાથમિક બે ધોરણ
વ્યવસાય
- પત્રકારત્વ
જીવનઝરમર
- સાત આઠ વર્ષની ઉમ્મરે જરીવણાટના કારખાનામાં અને પછી પાવરલૂમ્સમાં નોકરી
- સ્વાતંત્ર્યની લડતમાં કામગીરી; છ માસ જેલવાસ, જેમાં રવિશંકર મહારાજ, ગણેશ વાસુદેવ માવલંકર વિ. ના પરિચયમાં આવ્યા
- જેલમાં મેલેરીયા થયો ત્યારે દાદાસહેબ માવલંકર છૂપી રીતે તેમને દૂધ અને પાંઉ પહોંચાડતા. જેલમાં ચર્ચામાં ભાગ લેતાં જીભ ખૂલી
- પત્રકારત્વ: ગુજરાત સમાચાર તથા ગુજરાત મિત્ર આદિ દૈનિકોમાં નોકરી
- કંકાવટી , પ્યારા બાપુ, બહાર પ્રજ્ઞા સામયિકોનું સપાદન
- ‘કંકાવટી’ નું સંપાદન 43 વર્ષ સુધી (માર્ચ -2006 સુધી ) સંભાળ્યું , ‘કુમાર’ ના સારા સમયમાં બચુભાઇ રાવત વૃધ્ધ થતાં તેના સંપાદનની ઓફર કંકાવટી’ની સેવામાં ઠુકરાવી, ઘણી વાર ‘ગાંઠનું ગોપીચંદન’ કરીને પણ ‘કંકાવટી’ ચાલુ રાખ્યું .
- ઘણા વર્ષો સુધી મહાગુજરાત ગઝલ મંડલના મંત્રી રહ્યા, અને કોઇ લાલસા કે અભિપ્સા વિના પાયાનું કામ કરતા રહ્યા .
- 1940- 50 ના સમયમાં ગઝલકારો ‘ ફાટે ડોળે ભ્રામક ઇશ્કનાં ગીતો ગાનારા ‘ ગણાતા ત્યારે ગુજરાતી ગઝલનું પાયામાં સંવર્ધન કરનાર વ્યક્તિ
- 1950 ના દાયકામાં આખો દિવસ સાંચાઓના અવાજો અને સાંજ અને રાતે સાહિત્ય સેવાને કારણે સતત માથાનો દુખાવો ઉપડ્યો. સૂરત અને મુંબાઇની હોસ્પીટલોમાં ઘણીવાર સારવાર લીધી.
- જીવનમા ઘણી વાર નોકરી વિના રહ્યા. ત્યારે માત્ર કોલમોના પુરસ્કારોમાંથી જીવન નિર્વાહ થતો
- અમૃત ‘ઘાયલ’ મદદે આવ્યા અને ગીરનારની તળેટીમાં ‘પ્યારા બાપુ’ ના સંપાદનની નોકરી મળી , જેમાં તેમનું ઘડતર થયું.
- મરક મરક, મસ્તીની પળો, ચાંદરણાં કોલમોના લેખક
- ચાંદરણાં અને મરકલાં જેવા નવા સાહિત્ય પ્રકારના સર્જક
- ખાદીના જાડાં કપડાં અને જાડાં ચશ્માં તેમના હંમેશના સાથી
મુખ્ય રચનાઓ
- કવિતા – ડમરો અને તુલસી, મસ્તીની પળોમાં (રૂબાઈસંગ્રહ)
- એક વાક્યમાં વિચાર - ચાંદરણાં, મરકલાં
- જીવનચરિત્રો – આવા હતા બાપુ, ઈંદિરા ગાંધી
- નિબંધસંગ્રહ - આટાનો સૂરજ *
- હાસ્ય નિબંધ - હાસ્ય લહરી
- સંસ્મરણો - સફરના સાથી - ગઝલ સાહિત્યના ઇતિહાસનો દસ્તાવેજ , બકુલ ટેલરના અથાગ પ્રયત્નોથી લખાયો
સન્માન
- ગુજરાત સરકારનો પત્રકારત્વ માટેનો એવોર્ડ
- ગુજરાત સરકારનો વલી ગુજરાત એવોર્ડ
- 2006 - સાહિત્ય અકાદમીનો પુરસ્કાર *
સાભાર
- તેમની વેબ સાઇટ
- ‘અભિયાન’ - જાન્યુઆરી - 2006

[...] જ ગજ થઇ ગયું છે. - રતિલાલ ‘અનિલ’ ( જીવનઝાંખી [...]
Pingback by થઇ ગયું છે - રતિલાલ ‘અનિલ’ « કવિલોક / Kavilok — January 9, 2007 @ 2:49 pm
Gamyu .
Jayant Shah
Comment by Jayant Shah — January 12, 2007 @ 5:46 am
[...] તેમના જીવન વીશે વાંચવા અહીં ‘ક્લીકR… [...]
Pingback by આજનું ચાંદરણું - રતીલાલ 'અનીલ' « કાવ્ય સુર — May 8, 2007 @ 11:23 am
[...] પુરસ્કાર મેળવનાર પરમ પુજ્ય રતીલાલ ‘અનીલ’ જીના જીવન વીશે વાંચવા અહીં ‘ક્લીક’ [...]
Pingback by મને ગમેલી એક કોમેન્ટ « કાવ્ય સુર — July 18, 2007 @ 1:09 am
[...] આદરણીય, મુક્ત મનના, વયોવૃધ્ધ શ્રી. રતીલાલજીએ ( ’અનીલ’ ) બહુ ઉદાર મન રાખીને, સામાન્ય જનોને [...]
Pingback by પરવાનગી « કાવ્ય સુર — July 18, 2007 @ 1:23 pm