ગુજરાતી સારસ્વત પરિચય

February 23, 2007

યાસીન દલાલ, Yasin Dalal

yasin_dalal.JPG ” કુટુમ્બની સાંકડી વ્યાખ્યામાંથી હું બહાર નીકળી ગયો અને કુટુમ્બનો અર્થ એ રીતે  વિસ્તરતો ગયો. મારું સાચું કુટુમ્બ આ જ છે. “

” ધર્મગ્રંથોમાં દર્શાવેલી જાતજાતની માન્યતાઓ વિશે, સમાજમાં પ્રચલિત અનેક વહેમો વિશે બાળપણથી હું ચીલાચાલુ વલણથી કંઇક જુદું જ વિચાર્યા કરતો હતો. સામાન્ય બુધ્ધિમાં ન ઊતરે એવી કોઇ પણ વાત કેમ સ્વીકારાય, એવો પ્રશ્ન મનમાં સતત ઊઠ્યા કરતો. જ્ઞાતિના ને બીજા સંકુચિત વાડાઓમાં કેદ એવા સમાજને જોઇને, મનુષ્ય જીવનનું ગૌરવ  હણાતું જોઇને મન બાલપણથી જ વ્યથા અનુભવતું. પણ પછી થત્તું, જે હું વિચારું છું એ બીજાઓ કેમ વિચારતા નહીં હોય? એમાં રમણભાઇ મને મળી ગયા. બરાબર એ જ વિચારો, પરંપરા સામેનો એ જ આક્રોશ.”
- ‘રમણભાઇ પાઠક’ વિશેના તેમના એક લેખમાંથી

તેમના પોતાના શબ્દોમાં તેમની જીવન કથા……..
yasin_dalal-sem-_february_25_20071.pdf

__________________________________________________________

જન્મ 

9 -  જાન્યુઆરી, 1944 ;  ઉપલેટા

અભ્યાસ  

  •  બી.એ. - ઉપલેટા
  • રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી એંગ્રેજી સાથે એમ.એ.
  • 1981 -  ‘સૌરાષ્ટ્રનાં અખબારોનો ઇતિહાસ’ મહાનિબંધ લખીને પી.એચ.ડી.

વ્યવસાય 

અધ્યાપન અને પત્રકારત્વ.

જીવનઝરમર  

  • નાનપણથી જ પત્રકારત્વનો શોખ, આઠમા ધોરણમાં હતા ત્યારે તેમણે હસ્તલિખિત માસિક ચલાવેલું. 
  • એમ.એ. નો અભ્યાસ કરતી વખતે ‘ફૂલછાબ’ માં ‘માધૂકરી’ વિભાગ સંભાળ્યો હતો.
  • ‘સુકાની’માં પણ થોડો વખત સહાયક તંત્રી તરીકે કામ કર્યું હતું.
  • 1968 -  ’પાન’ નામનું એક માસિક શરૂ કરેલું.
  • હાલ તેઓ ‘સૌજન્ય માધુરી’ નામના માસિકનું સંપાદન કરે છે. 
  • 1973  - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વ. અમૃતલાલ શેઠ પત્રકારત્વ ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા.
  • 1981થી - આ ભવનના અધ્યક્ષ
  •  લખ્યાં છે અને વિશદ સંશોધનો કર્યાં છે.
  • તાજેતરમાંજ ‘સૌરાષ્ટ્રમાં રજવાડી શાસન દરમિયાન અખબારોની ભૂમિકા’ વિશે સંશોધન પૂરું કયું છે.                        

રચનાઓ

  • પત્રકારત્વ અને માધ્યમને લગતાં પચાસ પુસ્તકો
  • નવલકથા -  સંશયાત્મા
  • અનુવાદ - જવાહરલાલ નહેરુ - સંઘર્ષના વર્ષો

સન્માન

  • સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો
  • ગુજરાત સરકારનું શ્રેષ્ઠ ગ્રામીણ પત્રકારત્વનું પારિતોષિક
  • ગુજરાત દૈનિક અખબાર સંઘનું શ્રેષ્ઠ કટારલેખનનું  પારિતોષિક

સાભાર 

  • પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ.
  • શ્રી. ઉત્તમ ગજ્જર, સન્ડે ઇ મહેફિલ

1 Comment »

  1. gujaratima aa badhu vanchi ne khub anand thayoo…abhinandan..manish

    Comment by manishijani — February 23, 2007 @ 12:34 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.