સુધારક સપ્તાહ
મિત્રો,
“વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી.”
આજે વીર નર્મદ ની પૂણ્યતિથી છે.
ગુજરાતના આ પનોતા પુત્રની યાદમાં ‘ગુજરાતી સારસ્વત પરિચય ‘ એક વિશિષ્ઠ સપ્તાહ ઉજવે છે. આ સપ્તાહ દરમિયાન અમે દરરોજ ‘સુધારક યુગ’ ના એક સાક્ષરની જીવનઝાંખી અહીં પ્રકાશિત કરીશું . ગુજરાતી સાહિત્યના આ એવા વિદ્વાનો છે કે જેમણે નર્મદે પ્રગટાવેલી જ્યોતને પ્રજ્વલિત રાખી અને ગુજરાતના સાહિત્ય અને સમાજ જીવનમાં એક નવું પરિવર્તન , એક નવો રેનેસાં ઉદ્દીપિત કર્યો. આપણી વહાલી ‘મા ગુર્જરી’ ના મંદિરના પાયાની ઈંટો જેવા આપણા આ લાડીલા અને પૂજ્ય પૂર્વજોને સ્નેહાંજલી અર્પીને આપણે આપણું ઋણ અદા કરીએ.
આ સપ્તાહની પહેલી જીવનઝાંખી છે -
મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આ આખા આયોજનનો યશ અમારા લાડીલા સખા શ્રી. જુગલકિશોર વ્યાસ ને જાય છે. અમે લાડમાં તેમને જુગલકાકા કહીએ છીએ !