ગુજરાતી સારસ્વત પરિચય

February 26, 2007

શિવલાલ ધનેશ્વર કવિ, Shivalal Dhaneshwar Kavi

જન્મ

  • 1850  ;   વતન : મુન્દ્રા (કચ્છ)

અવસાન

  • 1899

જીવન ઝરમર

  • 1871  - ’પ્રાસ્તાવિક કાવ્ય’ નામક માસિક અને કાવ્યસર્જનની શરુઆત 
  • 1875 - કચ્છના રાજ્યકુટુંબના શિક્ષક 
  • 1887 - કચ્છના મહારાજા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે 
  • 1894 - કચ્છના કાયદાઓના અભ્યાસ બાદ મુંન્દ્રામાં ન્યાયાધીશ

રચનાઓ 

  • 1875 -  રામાયણ (તુલસી રામાયણનું ભાષાંતર) ,  નરસિહરાવે એને ઉચ્ચ વર્ગના કવિનું સર્જન કહીને સન્માન્યું
  • 1897 -  કાલિદાસના મેઘદૂતનું ભાષાંતર 
  • 1885 -  કચ્છભૂપતિ વિવાહ વર્ણન
  • 1886 -  પ્રવાસવર્ણન.

લાક્ષણિકતાઓ

  • કચ્છથી માંડીને મહાબળેશ્વર સુધીનાં સ્થળોનું સૃષ્ટિસૌંદર્ય કલ્પનાના રંગે દોર્યું જે આપણને પ્રથમવાર મળે છે.
  • કચ્છના મહારાજાની વ્યક્તિગત પ્રશસ્તિનું કાવ્ય આપ્યું.
  • મેઘદૂતના ભાષાંતરમાં પૃથ્વી અને સ્રગ્ધરા છંદોની યોજના કરી છે જેમાં વિષયોને ન્યાય મળવા ઉપરાંત કાવ્યની રમણીયતા પણ જળવાઈ છે.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Blog at WordPress.com.