ગુજરાતી સારસ્વત પરિચય

March 22, 2007

ભોળાભાઈ પટેલ, Bholabhai Patel

bholabhai_patel_face.gif“શુદ્ધ પ્રવાસરસના બહુભોક્તા.”

“તીર્થસ્થાનોના દર્શન, જુદાં જુદાં લોકોનો પરિચય. સર્વત્ર ધનાર્જન, અનેક આશ્ચર્યકારક પદાર્થોનું નિરીક્ષણ, બુદ્ધિની ચતુરતા અને ઉત્તમ ભાષાઓનું જ્ઞાન આ સર્વ ગુણો પ્રવાસ-તીથાર્ટન કરવામાં રહેલાં છે”

“મિથ્યા કશું ન લખાય”

“ઉત્સાહિત મન હોય. લખ્યા પછી હળવાશ”

“રસિક રમણ-ભ્રમણ”

bholabhai_patel_sign.jpg

__________________________________________

જન્મ

  • ૭ – ઓગસ્ટ, ૧૯૩૪; સોજા જિ. મહેસાણા

કુટુમ્બ

  • માતા – રેવા ;  પિતા – શંકરદાસ
  • પત્નિ – શકુબેન

અભ્યાસ

  • એમ.એ. (હિન્દી), એમ. એ. (અંગ્રેજી), પી.એચ.ડી

વ્યવસાય

  • પ્રાધ્યાપક, વિવેચક

જીવનઝરમર

  • સંસ્કૃત-બંગાળી-અસમિયા આદિ ભાષાઓથી પરિચિત
  • અનુવાદનો દ્વારા મૂળનાં સ્પંદનસ્પર્શો યથાશક્તિ અનુભવડાવે
  • એક કાળે રઘુવીર ચૌધરી ના ગુરૂ
  • અંગત પુસ્તકાલય માં ત્રણેક હજાર પુસ્તકો
  • પ્રેરણા કે પરિશ્રમમાં પરિશ્રમ મહત્ત્વનો
  • અનુવાદો સહિત લગભગ ૩૦ અને અનુવાદો સિવાય લગભગ ૧૨ પ્રસિદ્ધ પુસ્તકો
  • પ્રિય લેખકો -  કાલિદાસ, રવીન્દ્રનાથ અને ઉમાશંકર જોશી

મુખ્ય રચનાઓ

  • અધુના, વિદિશા, કાંચનજંઘા, ભારતીય ટૂંકી વાર્તા, અજ્ઞેય: એક અધ્યયન (હિંદી)

મુખ્ય અનુવાદો

  • સ્વર્ગની નીચે મનુષ્ય

સન્માન

  • સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
  • ‘વિદિશા’ માટે ગુજરાત સરકાર ના બે, ગુજરાત સાહિત્ય અકાદમી ના ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી નું એક
  • રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1992 - ‘  દેવોની ગતિ ’  માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર

Blog at WordPress.com.