” તમારે સદાય મીઠા જ રહેવાનું. બાવળ રોપનારા પણ આશા ગુલાબની રાખે છે……આ ભારોભાર વિરોધ, અસંમતિ, અને તિરસ્કારનો લાવા હૃદયમાં ઘૂઘ્વી રહ્યો હોય ત્યારે પણ તમારે મધુર, મીઠા જ બની રહેવું ‘પડે’ એ વ્યક્તિત્વનો હ્રાસ છે…… બીજાને ખુશ કરવા માટે પહેલાં પોતાની જાતને ભૂલવી પડે. ”
“ આમ સાહિત્ય તો એક નિમિત્ત જ બની રહે છે, સાધન જ બની રહે છે. મુખ્ય વસ્તુ તો અમારો શાસન શોખ જ હોય છે…..બધું બનાવટી લાગ્યા કરે છે. માણસ તરીકે અપ્રામાણિક હોય એવી સર્જક વ્યક્તિના પાડેલા શબ્દથી છેતરાઇ ન જવાય તો બસ. “
“પ્રેરક અવતરણ
“સુખદુઃખ મનમાં ન આણીએ” – નરસિંહ મહેતા
“ There is suffering and suffering” – Dostoyevski
__________________________________________________________________
સમ્પર્ક – જે/3/ 302, પ્રકૃતિ એપાર્ટમેન્ટ, મુક્તાનંદનગર, અડાજણ રોડ, સુરત – 395 009
જન્મ
-
10, ઓગસ્ટ- 1945; મુંબાઇ
કુટુમ્બ
-
માતા- રમાબેન; પિતા- રમણલાલ
-
પત્ની- દીપ્તિ ( બી.એ., બી.એડ. લગ્ન – 1975, સુરત); સંતાનો – બે
અભ્યાસ
-
એમ.એ., પી.એચ.ડી.
વ્યવસાય
-
અધ્યાપન
જીવનઝરમર
- પ્રથમ મૌલિક કૃતિ – મિસિસ શાહની એક બપોર
- પ્રથમ પ્રકાશિત રચના – મડીયાના ‘રુચિ’ સામાયિકમાં
- આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
- ‘ના ધર્મે લબ્ધકામાનો મુસદ્દો’ – ટૂંકી વાર્તાનું નાટ્ય રૂપાંતર ‘ મનસુખકાકાનો મુસદ્દો’ નામે ટી.વી. પર રજુ થયું છે.
- વિદેશી સાહિત્ય વિચારકોના અભ્યાસી, ક્રાંતિકારી વિચારસરણીવાળા અને સાહિત્યમાં રાજકારણથી નિર્ભ્રાંત વ્યક્તિ
રચના – પ્રસિધ્ધ પુસ્તકો – 20
-
વાર્તા- મિસિસ શાહની એક બપોર , ઇતરેતર, ઇત્યદિ, હોવું એટલે હોવું *
-
વિવેચન -ઉદ્ ગાર, અનુવાદ
સન્માન
- ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક *
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા – રન્નાદે પ્રકાશન