મંજુ ઝવેરી, Manju Jhaveri
”માર્ક્સ્ થી ‘મહાત્મા’ સુધી શુભ્ર મોગરાની તીવ્ર મહેંક….. દેશવિદેશનાં સાહિત્યનો, ઇતિહાસનો, કળા-સંસ્કૃતિનો વિશિષ્ટ ગ્રંથ કે ગણનાપાત્ર સર્જક- વિચારકનો લેખ વાંચ્યો નથી કે મંજુબેનની ચેતના યથાદ્રષ્ટિ પ્રતિભાવ આપવા લેખિનીબધ્ધ થતી ચાલે…… અઘરા સંકુલ તાત્વિક પ્રશ્નો પણ એમના હાથે સુબોધ સરળ શુભ્ર મોગરાની સુગંધિત ભાષાશૈલીમાં રજૂ થાય.”
– રાધેશ્યામ શર્મા
પ્રેરક વાક્ય
‘ બધાં ઇષ્ટો અને અનિષ્ટો વચ્ચે મનમાં એક પણ વિચાર ન ઉદ્ ભવે.’
_______________________________________________________________________-
સમ્પર્ક – 403, ‘ચેતના’ 142- 143, સાત બંગલા બસ ડેપો પાસે, અંધેરી, મુંબાઇ- 400 053
જન્મ
- 30 – જાન્યુઆરી, 1926; મુંબાઇ
કુટુમ્બ
- માતા – લીલીવતી; પિતા – વિઠ્ઠલભાઇ દેસાઇ
- પતિ – હિમ્મત ઝવેરી પત્રકાર અને લેખક ( લગ્ન – 1958, મુંબાઇ) ; પુત્ર- અમિત, પુત્રી – સ્વ. સોનલ
અભ્યાસ
- બી.એ.
- ગ્રથાલયશાસ્ત્રનો ડિપ્લોમા
વ્યવસાય
- ફાર્બસ ગુજરાત સભા ના ‘ ત્રૈમાસિક’ ના સંપાદિકા
જીવન ઝરમર
- પ્રથમ મૌલિક કૃતિ – નીરખને,
- 1942 ની ચળવળમાં એક માસની જેલ ભોગવેલી છે. તે વખતે માત્ર સોળ વર્ષના હોવાના કારણે જેલમાં જવાના અભરખાને સંતોષવા કોર્ટમાં પોતાની ઉમ્મર 18 વર્ષ બતાવેલી ! ( કોણ કહે છે, સ્ત્રીઓને ઉમ્મર ઓછી બતાવવાનું જ ગમે છે?! )
આકાશવાણી પર એક વખત કાર્યક્રમ આપ્યો છે. - પતિના સહવાસે સમાજવાદ ( રામમનોહર લોહીયાના વિચારો) તરફ વધુ ઝોક, એક તબક્કે સામ્યવાદી પક્ષમાં પણ જોડાયેલા, પણ નિર્ભ્રાંત થતાં પાછા સમાજવાદી બન્યાં
- તેમના લગ્ન બાદ હિમ્મતભાઇના મિત્ર, જ્યોર્જ ફર્નાન્ડીઝ તેમના ઘરમાં ઘણો વખત સાથે રહ્યા હતા.
- દીકરીનો જીવલેણ અકસ્માત ( સ્કુટર શીખતાં ) – આઘાતજનક બનાવ
- દીકરાના વાળ ઉતારવાના રિવાજને તીલાંજલિ આપી.
- અક્રમ વિજ્ઞાની ’દાદા ભગવાન’ના વિચારોથી પ્રભાવિત
- વર્ણાશ્રમ વ્યવસ્થામાં માનતા નથી. કોઇ બાધા, આખડી, માનતા, વ્રત માં વિશ્વાસ નથી.
શોખ
- છબીકળાનાં પ્રદર્શનો જોવાનો
- વૃક્ષો, ફૂલો
લાક્ષણિકતા
- પ્રતિભાવાત્મક સંશ્લેશીય લેખો
રચનાઓ
- નિબંધ – નીરખને, પ્રતિસાદ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
[...] # મંજુ ઝવેરી [...]
Pingback by અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય — May 27, 2007 @ 9:46 am