રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો
” મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે. “
ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે
# વેબ સાઇટ
____________________________________________________________________
જન્મ
- 26, જુન – 1928 , કડોલી જિ. સાબરકાંઠા
અવસાન
- 8, ફેબ્રુઆરી- 2002 મુંબઇ
અભ્યાસ
-
વ્યવસાય
-
જીવનઝરમર
- બહુ જ નાની વયથી એમની પાસે ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરે સાહિત્ય લગતું સઘળું લખવાની સિધ્ધિ હ્સ્તગત્.
- થોડા પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી ઘણું વેધક અને અર્થસભર સાહિત્યનું સર્જન એ એમની આગવી વિશિષ્ટતા.
- સંગીતના જાણકાર અને સારું ગાતા
- દેવી અંબામાના પરમ ભક્ત.
- 1956 - સ્નેહયાત્રા અને 1965 - ભવ ભવના ભેરુ ન્રુત્યનાટિકાઓ માં લેખક, ગીતકાર અને સંગીતકાર
- ઓલ ઇંડીયા રેડીયોના માન્યતા પ્રાપ્ત અને અધિકૃત કવિ
- મુંબઇના સાંસ્કૃતિક જગતમાં એમનું આદરણીય સ્થાન હતું
- એમની કૃતિઓને ગુજરાતના ખ્યાતનામ સંગીતકારોએ સ્વરબધ્ધ કરી છે અને નામી ગાયકોએ ગાઇ, દેશ-વિદેશમાં ગુંજતી કરી છે.
રચનાઓ
- કવિતા – ઉરના સૂર
- નાટક – સ્નેહયાત્રા, ભવ ભવના ભેરુ
સન્માન
- 1953 – ગરબી “રુમઝુમ પગલે ચાલ્યાં મા’ ને INT આયોજીત રાજ્યસ્તરીય સ્પર્ધામાં શબ્દલાલિત્ય માટે પ્રથમ પારિતોષિક
[...] # ‘રવિ’ ઉપાધ્યાય [...]
Pingback by અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય — June 20, 2007 @ 3:58 pm |