ભાનુપ્રસાદ ત્રિવેદી, Bhanuprasad Trivedi
# ” લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમીસાંજરે.
ખડાં થઇ ગ્યાં સ્મરણ- વાછરું; અરે ક્યારનાં ભાંભરે.”
“ માનવી પાસે આંસુ સિવાય બીજો કયો વૈભવ છે?”
“ અને હાળું આ જમણા હાથને જ ભગવાને ઝાલ્યો છે. ભગવાન મારો વિલન છે, એ તો ખબર છે ને? ”
“ભાનુભાઇએ સિધ્ધિને તાગી છે અને કેટલાંક નવાં ક્રિયાપદો આપ્યાં છે.” – ઉ.જો.
_________________________________________________________________________
સમ્પર્ક - ‘શાલવન’ 6- વિરાટનગર સોસાયટી, સેક્ટર – 23, ગાંધીનગર – 382 023
જન્મ
- 16, જાન્યુઆરી- 1931 ; વાવોલ , જિ. ગાંધીનગર
કુટુમ્બ
- માતા – નાથીબા; પિતા- ભોળાનાથ
- પત્ની- કાન્તાબેન ( લગ્ન – 1948 – રૂપાલ) ; સંતાન – બે
અભ્યાસ
- 1949 – મેટ્રિક
- 1955 – બી.એ. ( ગુજરાતી, સંસ્કૃત)
- 1967 - એમ.એ. ( ગુજરાતી, સંસ્કૃત)
- બી.એડ
વ્યવસાય
- 1955- 62 ઉ.ગુજરાતના લીંચ અને ખેરવામાં શિક્ષક
- 1962-63 સાબરકાંઠાના ચિત્રોડાની શાળામાં આચાર્ય
- 1963-69 ઉ.ગુજરાતની પ્રતાપનગર હાઇસ્કૂલના આચાર્ય
- 1970 થી ગુજરાત લો સોસાયટી, અમદાવાદની કોલેજમાં અધ્યાપક
જીવનઝરમર
- ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃત જાણે છે.
- પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘પ્રશ્નાર્થ શો’ કાવ્ય ‘કુમાર’માં
- આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
- તેમની ઘણી કવિતાઓ પાકિસ્તાનમાં અને ઇટાલીમાં અનુવાદિત થયેલી છે.
શોખ
- હાર્મોનીયમ, ઢોલક, બંસી વગાડે છે
- વોલીબોલ, ક્રિકેટ, બેડમિંગ્ટન, ટેનિસ રમે છે.
- અનેક હોબી વાળા માણસ – રમત ગમત, તરવું, પર્વતારોહણ, ઢોરાં ચારવા(!), મઠ વાઢવા,રમકડાં બનાવવાં, નોરતામાં ઢોલ ઢબુકાવવા, દેશી દવાઓના નુસખા વિ. વિ.
રચના – 6 પુસ્તકો
- કવિતા – અલસગમના, સંગ
- નાટક – મોમેન્ટ ( છ એકાંકીઓ) *
- નવલકથા – શેષપાત્ર+, એક હતું અમદાવાદ, શાલવન+
લાક્ષણિકતાઓ
- તળપદી, ઘરગથ્થુ, વાસ્તવને યથાતથ તાદૃશ કરતી રચનાઓ
સન્માન
- * રાજ્ય સરકારનો પુરસ્કાર
- + ક્રિટીક્સ એવોર્ડ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2