પ્રસાદ બ્રહ્મભટ્ટ,Prasad Brahmabhatt
પ્રેરક અવતરણ
‘ क्रियासिध्धिः सत्वे वसति, महतां नोपकरणे। ’
( મહાપુરુષોની કાર્યસિધ્ધી તેના ગુણમાં હોય છે, સાધનમાં નહીં .)
“માણસના મનમાં એક પછી એક ગાંઠો જેટલી ચુસ્ત અને જેટલી વધારે તેટલું તેમાંથી છૂટવાનું દુષ્કર.”
________________________________________________________________
સંપર્ક – 11, રીડર્સ રો હાઉસીઝ, ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર, અમદાવાદ 380 009
જન્મ
- 8 - ઓક્ટોબર, 1951; વિજાપુર, જિ. મહેસાણા
- મૂળ વતન કડી
કુટુંબ
- માતા – ચન્દ્રકાંતાબહેન; પિતા – મૂળજીભાઈ
- પત્ની – અરુણાબહેન ( લગ્ન - 1979 ) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી
અભ્યાસ
- એમ. એ.
- પી.એચ.ડી
વ્યવસાય
- નોકરી
જીવનઝરમર
- સર્વ પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ : સ્વામી દયાનંદ સરસ્વતી (જીવન ચરિત્ર)
- સર્વ પ્રથમ વિવેચનલેખનું પ્રકાશન “સ્વાધ્યાય”માં
- પ્રથમ વાર્તા “છલના”નું પ્રકાશન “લોકલહરી”ના દીપોત્સવી અંકમાં
- આકાશવાણી પર વાંચન કાર્યક્રમો આપ્યા છે.
- ગુરુ, પુજા, પાઠમાં વિશ્વાસ
- ત્રણ ભાષા ઉપરાંત બંગાળી પણ જાણે છે.
રચનાઓ - ચાલીસથી વધુ પુસ્તકો.
- વિવેચન - સમીક્ષાસેતુ *, રૂપદાહ
- નવલકથા - ગાંઠ
- કાવ્ય - 29 કાવ્યાસ્વાદો
- ચરિત્ર - રમણ મહર્ષિ
સન્માન
- * ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2
[...] # પ્રસાદ બ્રહ્મભટ્ટ [...]
Pingback by અનુક્રમણિકા - પ « ગુજરાતી સારસ્વત પરિચય — July 1, 2007 @ 5:22 pm