“શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.”
” હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈને વનમાં
ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં. “
# વેબ સાઇટ ( તુલસીલ)
______________________________________________________________________
નામ
- વૈદ મુળશંકર પુંજીરામ ત્રિવેદી
ઉપનામ
- મુળજી, કળી તુલસી
જન્મ
- ૫, જાન્યુઆરી – ૧૯૦૫; ખેરાળુ
અવસાન
- ૬, જુલાઈ - ૧૯૯૫; અમદાવાદ
કુટુમ્બ
- માતા - મેનાબેન ; પિતા – પુંજીરામ
- પત્ની – સારદા ; પુત્રો – રાજેન્દ્ર ( ન્યુરોલોજીસ્ટ ) , જીતેન્દ્ર ( બાળલકવા ગ્રસ્ત , અમદાવાદ અંધશાળાના પ્રીન્સીપાલ ) , અનંતવિજય ( એન્જીનીયર ) ; પુત્રીઓ – ભાનુ, જ્યોતિ, ( બન્ને પ્રોફેસર ) અપર્ણા
અભ્યાસ
- જુનું છઠ્ઠું ધોરણ ( અંગ્રેજી)
વ્યવસાય
- હેડ સ્પિનીંગમાસ્ટર,
- ટેકનિકલ એડવાઈઝર-મોડર્ન બોબીન કંપની, બિલીમોરા
- વૈદ્ય- રજીસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર
જીવનઝરમર
- જન્મથી કુટુંબના લાડકા અને મોટીબેન ને નાનાભાઈ ની મધ્યમાં
- મેટ્રિકમાં હતા ત્યારે પિતાની છત્રછાયા જતાં ૧૬મે વર્ષે ઘર સંભાળવા અભ્યાસ છોડ્યો.
- પિતા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના બિલ્ડિંગ કોન્ટ્રાકટર હ્તા
- તેમના વારસ તરીકે ઘર સ્થાવર મિલકત જેવા કે બાગ, ખેતર વિ. ની ઉપજ ખેડુતો પાસેથી લેતા નહીં
- મોટીબા મેનાબાને સમજાવી વડનગર પત્નિ શારદા સાથે વસ્યા.
- વૈદકની દુકાન ખોલીને ઘરસંસાર શરુ કર્યો.
- મોટીબા ને ભાંડુઓની સંભાળ જીવનના અંત સુધી કરી.
- ૧૯૨૫ પછી અમદાવાદ માં જીવન વિતાવ્યુ.
- ૧૯૬૧ થી ૧૯૯૫ - નિવૃત જીવન
- અમદાવાદમાં સંત રાજારામ શાસ્ત્રીજીનો સહવાસ થયો. બાળપણના માબાપના સિંચેલા સંસ્કારની કળી હવે ફૂલ બની મહેકી ઊઠી.
- રાજારામ શાસ્ત્રી સાથે રામાયણ પ્રચાર સમિતીમાં સક્રીય કામ
- તેમના ભજનોના પુસ્તક - ’તુલસીદલ’ ની પ્રસ્તાવના પુજ્ય શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રીએ લખી અને પુજ્ય કે.કા શાસ્ત્રીજી એ સરસિજ,માણેકબાગમાં ડો.ભાનુબેનના ઘરે આ યોગીનુ બહુમાનકરી નવાજ્યા.
- તેમનાં બધા સંતાનો અમેરીકામાં વસ્યા છે.
રચના
- ભજન સંગ્રહ – તુલસીદલ ( ૧૯૯૧ )
સાભાર
- ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( બોસ્ટન) – પુત્ર