ગુજરાતી સારસ્વત પરિચય

August 20, 2007

ચીમન પટેલ, Chiman Patel

Filed under: કવિ, હાસ્યલેખક — સુરેશ @ 11:30 pm

chiman-1.jpg

“ગુસ્સામાં કદી ન કરવો નિર્ણય, નો’તી ખબર.
ખુશીમાં કદી ન આપો વચન, નો’તી ખબર.
ઉદાસીમાં કદી ન આપો ઉત્તર, નો’તી ખબર.
જિંદગીમાં કદી ન જુઓ પાછળ, નો’તી ખબર.”

” ફાવી ગયું જીવવું અંધકારમાં ‘ચમન’
દિપક તો બુઝાઇ ગયો, એ કોણ માનશે?”

પ્રેરક સુત્ર
“કાલ કરે સો આજ.”

રચનાઓ     :     -  1  -   :   -  2  -  ( દોડો… દોડો… મોટ્ટો ખજાનો છે!)

_____________________________________________________________

સમ્પર્ક    ફોન - (281)-495- 6534 :   ઇમેલ -  chiman_patel@hotmail.com

ઉપનામ

  • ચમન

જન્મ

  • 1, ઓગસ્ટ, 1933; કૈયલ ( ઉ.  ગુજરાત)

કુટુમ્બ

  • માતા - કંકુબા; પિતા - ગંગારામ
  • ભાઇઓ - રમણભાઇ, કાંતિભાઇ; બહેન - મધુબેન ( બધા અમેરીકામાં)  
  • પત્ની -  નિયંતિકા; પુત્ર - મિતેશ; પુત્રી - હેતા,  મીતા

અભ્યાસ

  • બી.ઈ.(સીવીલ) - વ. વિદ્યાનગર  
  • એમ.એસ. ( સ્ટ્રક્ચરલ) -  યુ.એસ.એ.

વ્યવસાય

  • ભારતમાં
    • સીંચાઇ ખાતું , ગુજરાત સરકાર
    • લેક્ચરર- ભાવસિંહજી પોલીટક્નીક , ભાવનગર
  • અમેરીકામાં
    • પેટ્રોકેમીકલ કમ્પનીમાં - હ્યુસ્ટન ( યુ.એસ.એ.)

chiman_4.jpg

જીવનઝરમર

  • શરુઆતમાં ‘ચાંદની’ માં બે વાર્તાઓ અને અને ‘નવવિધાન’માં એક વાર્તા પ્રકાશિત થતાં સર્જનની શરુઆત થઇ.
  • ગુજરાતી સમાજ- હ્યુસ્ટનના ‘દર્પણ’ સામાયિકમાં નિયમિત હાસ્ય લેખો છપાતા
  • ધરા-ગુર્જરીમાં કાવ્યવિભાગ અને મુખપૃષ્ઠ સંભાળતા હતા
  • અમેરીકાના ઘણા સામાયિકોમાં કાવ્યો અને ગઝલો છપાતા રહ્યા છે.
  • ધાર્મિક માન્યતા - મંદીર નહીં પણ સ્વ-મનનના હિમાયતી.
  • ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ ના ઉત્સાહી સભ્ય.

indira_gandhi.jpg -  તેમનું એક ચાર્કોલ  પેઈન્ટીન્ગ

શોખ

  •  ટેનીસ, યોગાસનો, ચાર્કોલ પેઇન્ટીન્ગ, શાકભાજીની ખેતી

રચનાઓ

  • હાસ્યલેખો - હળવે હૈયે

સન્માન

  • ‘ધરા - ગુર્જરી’ એવોર્ડ  

સાભાર

  • pustakalay.com

August 15, 2007

પુરુરાજ જોષી, Pururaj Joshi

pururaj_joshi.jpg

“પત્થર હતો હું તેથી તો
નિંદા થતી હતી,
ઇશ્વર બની ગયો છું હું
તમને મળ્યા પછી.”

પ્રેરક વાક્ય

 ” I am stronger than the death and greater than my fate. Rules of destiny may change, not my soul’s will.”
- Sri Arvind Ghosh

# રચનાઓ :      - 1   :    - 2 -

#  વાર્તા  :   - 1 -   :

_________________________________________

સમ્પર્ક -  આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાવલી, જિ. વડોદરા- 391 770 

જન્મ

  • 14, ડીસેમ્બર - 1938, નડિયાદ

કુટુમ્બ

  • માતા - સૂરજબા; પિતા- પૂનમભાઇ
  • પત્ની - બકુલા ( લગ્ન - 1966, હિન્દીનાં અધ્યાપિકા)

અભ્યાસ

  • 1957 - મેટ્રિક
  • 1961- ગુજરાતી સાથે બી.એ.
  • 1963- ગુજરાતી સાથે એમ.એ.

વ્યવસાય

  • પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી 
  •  1970-75  મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક
  • 1975થી - સાવલી કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

  • અભ્યાસકાળ દરમિયાન મુન્શી અને ધૂમકેતુની નવલકથાઓનો ઘણો પ્રભાવ
  • સર્વપ્રથમ મૌલિક કૃતિ - ‘સોનેરી માછલીનો સળવળાટ’
  • આરંભમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઇ હતી.
  • આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠનના કાર્યક્રમો આપ્યા છે.
  • ‘ઝાપટું’ નામની વાર્તાએ ચર્ચાનું ચગડોળ ચગાવેલું
  • ‘ગગન’ સાહિત્યિક માસિક 14 મહિના ચલાવેલું
  • રાસવિહારી-વિભા દેસાઈ ખાસ મિત્રો
  • પાઠપૂજા કરે છે ,પણ બાધા આખડી, વ્રત વિ.માં વિશ્વાસ નથી
  • ગુરુમાં વિશ્વાસ છે પણ વર્ણાશ્રમ પ્રથામાં નહીં

શોખ

  • સંગીત, નૃત્ય, ચિત્રકળા, પહેલાં ગાતા પણ હતા અને હાર્મોનિયમ પણ વગાડતા હતા 

મુખ્ય રચનાઓ - 6 પુસ્તકો

  • વાર્તાસંગ્રહ - સોનેરી માછલીનો સળવળાટ
  • નવલિકા -  અંતરાલ, ઘાસ
  • નવલકથા - મનનાં મેઘધનુષ્ય, હૈયાં તરસે સરવર તીર, ઝુરાપો
  • કવિતા - નક્ષત્ર
  • વિવેચન - સાક્ષાત્
  • સંપાદન - ગોવર્ધનપ્રતિભા

સન્માન

  • ધૂમકેતુ પારિતોષિક
  • ગુજરાત રાજ્યનું વાર્તાસંગ્રહ માટેનું પ્રથમ પરિતોષિક
  • સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક

August 6, 2007

રતિલાલ નાયક, Ratilal Nayak

 ratilal-nayak.jpg

પ્રેરક અવતરણ
‘તપ ત્યાં તેજ’

——————————————————————————————-

સંપર્ક    – 23, રચના સોસાયટી, સેટેલાઈટ રોડ, અમદાવાદ- 380 015 

ઉપનામ

  • દિગંત

જન્મ

  • 1- ઓગસ્ટ, 1922; કડી (જિ. મહેસાણા)

કુટુંબ

  • માતા – ડાહીબેન , પિતા – સાંકળચંદ
  • પત્ની – મેનાબહેન (લગ્ન – 1944) ; સંતાન – ચાર

અભ્યાસ

  • એમ. એ., એસ. ટી. સી.

વ્યવસાય

  • શિક્ષણક્ષેત્ર

જીવનઝરમર

  • સર્વપ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ ‘અલકમલકની વાતો’
  • પાંચેક હજાર પુસ્તકોનું સમૃદ્ધ અંગત પુસ્તકાલય.
  • ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતનું ઊંડું જ્ઞાન.
  • હિંદીમાં પણ બાળવાર્તાઓ લખી છે.
  • ભાષાશુદ્ધિ અને જોડણીશુદ્ધિના પાકા આગ્રહી.
  • મોતીના દાણા જેવા સુંદર હસ્તાક્ષર માટે ખ્યાતનામ લેખક.
  • અંબાજીના ભક્ત. શ્રીમદ ભગવદ્ ગીતા પર શ્રદ્ધા.
  • આકાશવાણી પર કાર્યક્રમ ‘અમૃતધારા’

મુખ્ય રચનાઓ      સોથી વધારે પ્રકાશનોનાં લેખક-સંપાદક-સંયોજક,

  • બાળસાહિત્ય - વિવિધ પુસ્તક શ્રેણીઓ, શિશુબાળવાર્તાવલિ, કલ્લોલબાળવાર્તાવલિ
  • વાર્તાસંગ્રહ – હૈયાનાં દાન
  • સંપાદન – જોડણીપ્રવેશ, નાનો કોશ, વસંતવિલાસ

સન્માન

  • એનસીઈઆરટીનો નેશનલ એવોર્ડ
  • બાળ ઘડતરનાં સૌથી વધારે પુસ્તકો પ્રગટ કરવા માટે બાલશિક્ષા પરિષદ, નવી દિલ્હીનો વિશેષ એવોર્ડ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ -  ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

August 4, 2007

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya

mukundrai_parashya.jpg

“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

_______________________________________________________________   (more…)

Blog at WordPress.com.