એક દુખદ સમાચાર

“ મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે ?”
અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી - ‘રુસ્વા’ હવે આપણી વચ્ચે નથી. આજે તા. 14 ફેબ્રુઆરી 2008 ની રાતે રાજકોટ ખાતે તેમના પુત્ર અને રાજકુમાર કોલેજના પ્રીન્સીપાલ શ્રી. ઐયાઝખાનના ઘેર 93 વર્શની ઉમ્મરે તેઓ જન્નતનશીન થયા છે.
ગઝલચાહકોના અત્યંત પ્રીય અમૃત ‘ઘાયલ’ અને ‘શૂન્ય’ પાલનપુરીના ઉસ્તાદ એવા ‘રુસ્વા’એ નવાબી તેમજ ફકીરી બન્ને પચાવી જાણ્યાં હતાં. તેઓ પોતે પણ બહુ ઉચ્ચ કક્ષાના શાયર હતા. તેથી પણ વધુ - જેને માણસ કહી શકાય એવા આ માણસે તેમના જીવન દરમ્યાન ઘણી આસમાની સુલતાની જોઈ હતી; અને છતાં અલ્લા સીવાય કોઈના મોહતાજ રહ્યા ન હતા.
આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને અલ્લા બહીશ્તમાં શાંતી અર્પે.
તેમના જીવન અને કવન વીશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.
જન્મ 11 ડીસે મ્બર - 1915 : અવસાન 14 - ફેબ્રુઆરી - 2008