“મારું જીવન જીવવા માટે છે. ભગવાને મારા માટે કઈક બીજું વિચાર્યું છે “
” વિક્લાન્ગનું બાળક ક્યારેય વિકલાંગ નથી હોતું. એમના સંતાનો બીજા બાળકો કરતા મા બાપની ડબલ સેવા કરતા હોય છે.”
………………
જન્મ
- ૧૯૫૬, મગદલ્લા( જિ. સુરત)
કુટુમ્બ
- માતા- ….. ; પિતા – હસમુખભાઈ
- પત્ની – તે બન્ને હાથે વિકલાંગ છે; પુત્રીઓ – રચના, સોનલ
શિક્ષણ
- પ્રાથમિક / માધ્યમિક – ……
- કોલેજ – અપંગ માનવ મંડળમાંથી
વ્યવસાય
- પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ
- વિકલાંગોની સેવા
તેમના વિશે વિશેષ
- ૬ મહિનાની ઉમરે તાવ અને ઇન્જેક્શન પછી પોલીઓને લીધે કમરની નીચે બે પગે બિલકુલ અપંગ
- લોકોની મશ્કરી અને દુખ સહન ન થતા ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બચી જતાં , ઉપરોક્ત પંક્તિ જીવનમંત્ર બની.
- અપંગ માનવ મંડળમાં એમના જેવા બીજા વિકલાંગોનું મંડળ બનાવીને એમનાં હિત માટેની પ્રવૃત્તિ શરુ કરી.
- ૧૯૭૯ – વિકલાંગોને માટે બસમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી એમની માગણીઓ સ્વીકારાઈ
- ૧૯૭૯ – વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .
- ૧૯૮૧ – એમના સબળ પ્રતિનિધિત્વ અને પ્રયાસોથી આખું વર્ષ વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું ભારત સરકારે જાહેર કર્યું.
- ૧૯૮૨- અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.
- ૧૯૮૫ – સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું; જે વિકલાંગોથી ચલાવાતું હતું. અહીં સગવડના અભાવે શરૂમાં તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.
- ૧૯૯૦ – અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ’સીનીયર’ ના હસ્તે ‘Outstanding achievement Award’ એનાયત કરવામાં આવ્યો.
- બુશે એમને વાઈટ હાઉસમાં આમંત્રીને અબ્રાહમ લિંકનની ખુરશીમાં
- એમને બેસાડીને એમનું બહુમાન કર્યું.
- ૧૯૯૧ – સુરત અને આજુબાજુના વિસ્તારના વિકલાંગોની સેવા અને એમના માટે, વિના મૂલ્યે સ્કુલની સગવડ માટે ‘Disabled Welfare Trust of India’ ની સ્થાપના કરી.
- ૧૯૯૭ માં ચાર વિક્લાન્ગથી શરુ થયેલી સ્કુલમાં ૨૦૦૦ સુધીમાં ૪૦૦ વિકલાંગો અભ્યાસ કરતા થયા. કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલનો લાભ લઈને કામે લાગ્યા.
- ૧૯૯૩મા સુરત લાયન્સ ક્લબ ઓફ મીડ વેસ્ટના પહેલા વિકલાંગ પ્રમુખ થયા.
- લંડનની ટુરમાં રાણી ઈલીઝાબેથ અને વડા પ્રધાન માર્ગારેટ થેચરને મળવાનું માન મળ્યું.
- ૨૦૦૬ – ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.
- વિકલાંગો માટે અલગ હોસ્પિટલ એમનું સ્વપ્ન મુંબાઈના હરિયાની ટ્રસ્ટના ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું. હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.
સન્માન
- ૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
- ગુજરાત સરકારનો ‘ગુજરાત ગૌરવ’ એવોર્ડ
- ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડ
સાભાર
- શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો ( તેઓ પણ પોલિઓ ગ્રસ્ત છે. )
- વિનોદભાઈના બ્લોગ પર તેમનો પરિચય વાંચવા અહીં ‘ક્લિક’ કરો.


સુરેશભાઈ ,
કનુભાઈનો પરિચય સુંદર રીતે તમારા બ્લોગમાં મુક્યો છે.
મારા બ્લોગનો નિર્દેશ કરવા બદલ આપનો આભાર.
વિનોદ પટેલ
how old kanubhai now ? now i can do only to pray GOD to give more strength to kanubhai and get more and more progress in his goal.
SALUTE TO KANUBHAI,,,,,,,AND THANK TO U SIR,,,,,,,,FOR YOUR OUTSTANDING WORK,,,,,,,,,