કનુભાઈ ટેઈલર, Kanubhai Tailor

જીવનમંત્ર

“મારું જીવન જીવવા માટે છે. ભગવાને મારા માટે કઈક બીજું વિચાર્યું છે “

” વિક્લાન્ગનું બાળક ક્યારેય વિકલાંગ નથી  હોતું.  એમના સંતાનો બીજા બાળકો કરતા  મા બાપની ડબલ સેવા કરતા હોય છે.”

………………

જન્મ

  • ૧૯૫૬, મગદલ્લા( જિ. સુરત)

કુટુમ્બ

  • માતા- ….. ; પિતા – હસમુખભાઈ
  • પત્ની – તે બન્ને હાથે વિકલાંગ છે; પુત્રીઓ – રચના, સોનલ

શિક્ષણ

  • પ્રાથમિક / માધ્યમિક – ……
  • કોલેજ – અપંગ માનવ મંડળમાંથી

વ્યવસાય

  • પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ
  • વિકલાંગોની સેવા

તેમના વિશે વિશેષ

  • ૬ મહિનાની ઉમરે તાવ અને ઇન્જેક્શન પછી પોલીઓને લીધે કમરની નીચે બે પગે બિલકુલ અપંગ
  • લોકોની મશ્કરી અને દુખ સહન ન થતા ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બચી જતાં , ઉપરોક્ત પંક્તિ જીવનમંત્ર બની.
  • અપંગ માનવ મંડળમાં એમના જેવા બીજા વિકલાંગોનું મંડળ બનાવીને  એમનાં હિત માટેની પ્રવૃત્તિ શરુ કરી.
  • ૧૯૭૯ – વિકલાંગોને માટે બસમાં મફત મુસાફરી અને બસમાં ચડવા માટે પ્રાથમિકતા મળવી જોઈએ  એ મુદ્દા માટે ૧૧ દિવસના આમરણાંત ઉપવાસ કર્યા . એ પછી એમની માગણીઓ સ્વીકારાઈ
  • ૧૯૭૯ – વિકલાંગોની જીનીવા વર્લ્ડ મોબિલીટી કોન્ફરન્સમાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈએ કનુભાઈને ભારતના વિકલાંગોના પ્રતિનિધિ તરીકે મોક્લ્યા .
  • ૧૯૮૧ – એમના સબળ પ્રતિનિધિત્વ અને પ્રયાસોથી આખું વર્ષ વિકલાંગ વર્ષ તરીકે ઉજવવાનું ભારત સરકારે જાહેર કર્યું.
  • ૧૯૮૨- અમેરિકામાં નેશનલ સોસાયટી ઓફ હેન્ડીકેપ ઓર્ગેનીજેશનનું ઉદઘાટન કનુંભાઈના હસ્તે કરવામાં આવ્યું.
  • ૧૯૮૫ – સુરત આવીને સ્થાયી થયા.વિકલાંગ પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ કર્યું; જે વિકલાંગોથી  ચલાવાતું હતું. અહીં સગવડના અભાવે શરૂમાં તેઓ ફૂટપાથ ઉપર સુતા હતા.
  • ૧૯૯૦ – અમેરિકામાં પ્રેસીડન્ટ જ્યોર્જ બુશ’સીનીયર’ ના હસ્તે ‘Outstanding achievement Award’  એનાયત કરવામાં આવ્યો.
  • બુશે એમને વાઈટ હાઉસમાં આમંત્રીને અબ્રાહમ લિંકનની ખુરશીમાં
  • એમને બેસાડીને એમનું બહુમાન કર્યું.
  • ૧૯૯૧ – સુરત અને આજુબાજુના વિસ્તારના વિકલાંગોની સેવા અને એમના માટે, વિના મૂલ્યે સ્કુલની સગવડ માટે ‘Disabled Welfare Trust of India’  ની સ્થાપના કરી.
  • ૧૯૯૭ માં ચાર વિક્લાન્ગથી શરુ થયેલી સ્કુલમાં ૨૦૦૦ સુધીમાં ૪૦૦ વિકલાંગો અભ્યાસ કરતા થયા. કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલનો લાભ લઈને કામે લાગ્યા.
  • ૧૯૯૩મા સુરત લાયન્સ ક્લબ ઓફ મીડ વેસ્ટના પહેલા વિકલાંગ પ્રમુખ થયા.
  • લંડનની ટુરમાં રાણી ઈલીઝાબેથ અને વડા પ્રધાન માર્ગારેટ થેચરને મળવાનું માન મળ્યું.
  • ૨૦૦૬ – ગુજરાત સરકારે કનુભાઈના કામની કદર કરીને ૪૦ કરોડની કિંમતની જમીન એમની સંસ્થાના વિકાસ માટે વિના મુલ્યે આપી.
  • વિકલાંગો માટે અલગ હોસ્પિટલ એમનું સ્વપ્ન મુંબાઈના હરિયાની ટ્રસ્ટના ૫ કરોડ રૂપિયાના દાનથી પુરું થયું. હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય પ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું.

સન્માન

  • ૪૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય એવોર્ડ  એનાયત કરવામાં આવેલ છે.
  • ગુજરાત સરકારનો ‘ગુજરાત ગૌરવ’ એવોર્ડ
  • ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડ

સાભાર 

3 thoughts on “કનુભાઈ ટેઈલર, Kanubhai Tailor

  1. સુરેશભાઈ ,
    કનુભાઈનો પરિચય સુંદર રીતે તમારા બ્લોગમાં મુક્યો છે.
    મારા બ્લોગનો નિર્દેશ કરવા બદલ આપનો આભાર.
    વિનોદ પટેલ

  2. how old kanubhai now ? now i can do only to pray GOD to give more strength to kanubhai and get more and more progress in his goal.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s