ગુજરાતી સારસ્વત પરિચય

May 28, 2007

વીણેલાંફૂલ - પુસ્તક પરિચય

Filed under: પરિચય, પુસ્તક પરિચય — સુરેશ @ 12:50 am

ભાગ

  • 1 થી 14

લેખિકાઓ

  • ‘હરીશ્ચન્દ્ર’ બહેનો

પ્રકાશક

  • યજ્ઞ પ્રકાશન  [  કાન્તિ શાહ / જગદીશ શાહ  ]

સરનામું

  • ભૂમિપુત્ર,   હુઝરાતપાગા રોડ, વડોદરા – 390 001

વિગત

  • દરેક ભાગમાં 88 પાનાં, ચાલીસ ટૂંકી વાર્તાઓ,   દરેક વાર્તામાં – બે પાનાં, 700-800 શબ્દો

મૂલ્ય

  • દરેક ભાગના ત્રીસ રૂપીયા

————————————————————-

બે વાર્તાઓ -

કોથમીરનાં વડાં

મંડૂકોનું ઉપનિષદ

સાભાર - રીડગુજરાતી.કોમ

__________________________________ 

અભિપ્રાયો

“આ વિલક્ષણ સંક્ષેપ કથાઓ ગુજરાતી લેખનમાં વિશેષ સ્થાન પામી છે.”
- મનુભાઇ પંચોળી ( દર્શક)

“આ વાર્તાઓ મને ખૂબ જ ગમે છે. વાંચતાં મન અને હૃદય તૃપ્ત થઇ જાય છે. “
- ગુલાબદાસ બ્રોકર

“હરિશ્ચન્દ્રની વાર્તાઓ આપણી વાર્તાસૃષ્ટિમાં વિશિષ્ટ ધ્યાનની અધિકારી નીવદે તેવી છે.”
 - ઉશનસ્

ભૂમિપુત્રની વાર્તા હું પણ રસપૂર્વક વાંચું છું. હમણાંની ‘જિજીવિષા’ વાર્તા સરસ છે. કાશીમાનું ચિત્ર તેમાં સારું ઊપજ્યું છે.
- ઉમાશંકર જોશી

—————————————————————————

 એક પુસ્તિકાની પ્રસ્તાવનામાંથી
- ગુલાબદાસ બ્રોકર

         ‘હરિશ્ચન્દ્ર’ એક નહિ પણ બે વ્યક્તિઓ છે. બન્ને સ્ત્રીઓ. એકનું નામ ચન્દ્રકાંતા , બીજીનું હરવિલાસ. બન્ને વિનોબાની માત્ર શિષ્યાઓ નહિ. તેમના સેવાયજ્ઞમાં સક્રિય રીતે આજીવન કાર્ય કરનારી વ્રતધારિણીઓ. અને સાહિત્યના રસને ઘૂંટી ઘૂંટીને પીનારીઓ…… મારો , મિલન પછીના ઉપચાર પછીનો, કદાચ પહેલો પ્રશ્ન જ એ કે….. આમાં ગુજરાતી વાર્તાઓ કેમ નહીં. તેમનો સરસ અને સર્વથા યોગ્ય ઉત્તર એ કે ગુજરાતના વાચકો ગુજરાતી વાર્તાઓ તો જાણે, પઁ ભારતના આ ખજાનાની તેમને ક્યાંથી જાણ હોય?
             …. સમાજને, લક્ષમાં રાખી કાર્ય કરનારી સજાગ બહેનો છે એટલે પોતાના સામાજિક ક્ષેત્રના ધ્યેયને અનુરૂપ હોય તેવી જ સામગ્રીભર્યા સર્જનો તેઓ પોતાના રૂપાંતરો માટે પસંદ કરે છે. અને એ દ્વારા વાચકો સમક્ષ સમાજનું જેટલું જીવંત તેટલું જ , ક્યાંક ક્યાંક કરુણ, વાસ્તવિકતાભર્યું ચિત્ર રજૂ કરે છે.

                  “…. નાની સિમ્મી નાનપણથી માતાપિતાને ઝઘડતાં જુએ છે. ને તેના અંતરથી એ સહ્યું જાતું નથી. લગ્ન એટલે આ જ. રાત દિવસના ઝઘડા. …. એતલે એક દિવસ ઊંઘમાં ને ઊંઘમાં એ ચીસ પાડી ઊઠે છે : “નહીં ….. નહીં…. હું… હું … નહીં પરણું …મારે નથી પરણવું …” તેનાં મમ્મી – પપ્પાની આંખો મળે છે અને નીચે ઢળી જાય છે. “

              “ વૃધ્ધ માતા મરી જાય છે. કમાયેલ દીકરો એની પાછળ બે લાખ રૂપિયાનું દાન કરે છે. પણ એ મા જીવતી હતી ત્યારે? માત્ર પગાર વગરની ઘરકામ કરનાર નોકરડી. કોઇ એની સામે જુએ નહિ, કે એની સગવડ અગવડ પૂછે નહિ. એક માત્ર નાના પૌત્ર સિવાય. “

               આવી અનેક વાતો આમાં છે. આપણી આંખો ભીની કરી દે તેવી. ….. જીવનનું મંગળ પણ આમાં છે. જાપાન અને અમેરિકા વચ્ચેનું યુધ્ધ ચાલતું હતું સ્ત્યારે એક જાપાની ડોક્ટર દુશ્મન ગણાય તેવા અમેરિકન સૈનિકને તેના જખમની ભયંકર યાતનામાંથી કેવો બચાવી લે છે તેની હૃદયસ્પર્શી વાત પણ છે.
                 આ જગતમાં ….. બધાં – બધાં જ માત્ર મનુષ્યો જ છે. અને બધાં – બધાં જ મનુષ્ય રાગો દ્વેષો , ભાવનાઓ, અને વેદનાઓથી ભરેલાં હોય છે. સર્જકનું કાર્ય એ બધામાંથી માનવ- સમસ્યા, માનવ સુખ દુઃખ , ગમા- અણગમા , રાગદ્વેષ વગેરેને કલાત્મક રીતે ચીતરીને આખર જતાં માનવ – જીવનને તના સાચા રૂપમાં ભાવકો સમક્ષ સ્પષ્ટ કરી દેવાનું છે.
                 આ સંગ્રહની વાર્તાઓ એ કાર્ય સુપેરે કરી આપે છે.

————————————————–

બીજી એક પુસ્તિકાની પ્રસ્તાવનામાંથી
– મનુભાઇ પંચોળી = ‘દર્શક’

               આ વિલક્ષણ કથાઓ ગુજરાતી લેખનમાં વિશેષ સ્થાન પામી છે. …….કેવી કેવી વાર્તાઓ સંસારના ખૂણે ખૂણેથી શોધી કાઢી છે ! જીવનનાં કેટકેટલા પ્રદેશો, કેટકેટલી અવસ્થાઓનાં ચિત્રો આપણને સાંપડે છે! બાળકો, પરિણીત સ્ત્રીઓ, પરણવા ઇચ્છતી સ્ત્રીઓ , નોકરિયાતો, ગર્ભશ્રીમંતો, અથડાતો કૂટાતો મધ્યમ વર્ગ, નવા નવા વિચાર પ્રવાહો…… સંસારમાં રહેલી મધુરતા- કટુતા , નિષ્ઠૂરતા- દંભ, ઉચ્ચાભિલાષા, સંસારની ગૂંચવણોની જાલ – ગૂંથણી …..
                …. આંગળી જ ચીંધે છે. આક્રોષ-રોષ- ઠપકો નથી….. કલાની મર્યાદા છે. સીધા ઉપદેશનો અભાવ. તેનું ઉલ્લંઘન ભાગ્યે જ થયું છે. અને છતાં દરેક વાર્તા હેતુલક્ષી જ છે.

May 18, 2007

નરોત્તમ પલાણ, Narottam Palan

narottam-palan.jpgપ્રેરક અવતરણ 
“मा शुचः ” ( શોક ન કર )  – ગીતા

“ જીવતો જાગતો હોંકારો દેતો પાળિયો” – રાધેશ્યામ શર્મા

____________________________________________________________

સમ્પર્ક   –     3, વાડી પ્લોટ, પોરબંદર 36055

જન્મ

  • 18 - મે, 1935 ; રાણા ખીરસરા , જિ. પોરબંદર

કુટુમ્બ

  • માતા –રાધાબેન; પિતા – કાકુભાઈ
  • પત્ની – રસીલા ( લગ્ન –1965) ; સંતાન –ત્રણ પુત્રો

અભ્યાસ

  • 1958 - મેટ્રિક
  • 1966- ગુજરાતી, સંસ્કૃત સાથે બી.એ.
  • 1972 - એમ.એ. ; બી.એડ

વ્યવસાય

  • 1973 થી -  ગુરુકુળ મહીલા કોલેજમાં અધ્યાપક

જીવન ઝરમર

  • ઈતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્યમાં વિશેષ રસ.
  • સૌરાષ્ટ્રમાં પોરબંદરથી દ્વારકા તથા સોમનાથના પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું સંશોધન.
  • પુરાતત્ત્વવેત્તા ડો. હસમુખ સાંકળિયા સાથે દ્વારકાના ખોદકામમાં સહયોગ.
  • પ્રાચીન ટિંબાઓ, મંદિરો, કુંડો, શિલાલેખો પર ખતપૂર્વક સંશોધન.
  • ઘુમલીના બૌદ્ધવિહાર સહિત અનેક બૌદ્ધ-જૈન ગુફાઓ તથા ત્રીસ જેટલાં મંદિરોની ખોજનો શ્રેય નરોત્તમભાઈ પલાણને જાય છે.
  • શ્રી અરવિંદના પૂર્ણયોગના અભ્યાસી. 
  • પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ – ‘અગ્નિકુંડમાં કમળ’.
  • ‘એક અધ્યાપકની ડાયરી’  કટાર લેખનથી ઘણા જાણીતા
  • વિવેચન લેખો અને ડાયરી માટે નામના મળી.

શોખ

  •  ચિત્ર અને સંગીત

રચનાઓ

  • પ્રવાસ પુસ્તિકાઓ -  રખડપટ્ટી, ગુજરાતનાં યાત્રાધામો, સરસ્વતીને તીરે તીરે આદિ
  • વિવેચન - લોચન 
  • સંશોધન -  ઘુમલીસંદર્ભ 
  • સંપાદન - માધવમધુ, લોકસાહિત્ય 

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન  
  • ગુજરાતી સાહિત્યકોશ ખંડ -2

Blog at WordPress.com.