ગુજરાતી સારસ્વત પરિચય

March 4, 2007

રણછોડભાઇ દવે, Ranchhodbhai Dave, Revised

Filed under: અનુવાદક, ઇતિહાસકાર, નાટ્યકાર, વ્યાકરણ — ઊર્મિસાગર @ 1:00 am

ranchhodbhai_dave.jpg”… પરિણામે રણછોડભાઇ જેવા ઉત્સાહી જુવાનને ગુજરાતી નાટક લખવાના કોડ જાગ્યા… એમનાં નાટકો લખાતાં અને એક પછી એક ભજવાતાં ગયાં… શિખાઉ નાટ્યકારો એમની નાટ્યશૈલીનું અનુસરણ કરવા લાગ્યા અને આમ ગુજરાતી રંગભૂમિનું અને ગુજરાતી નાટકનું ચોક્કસ સ્વરૂપ બંધાયું… રણછોડભાઇ ગુજરાતી નાટકના પિતા કહેવાયા.”
–અનંતરાય રાવળ

 ” રણછોડભાઈની નાટકસેવાનું ખરું માપ તો એમના જમાનામાં જીવી જનાર જ કાઢી શકે…આપણા એ સુધીર ને ધૃતિમાન આદિ નાટ્યકારે એ સંસ્કૃતિકાળમાં પાશ્ચાત્ય અને પ્રાચીન-ભારતીય પ્રભાવ ઝીલ્યો, તળપદા ગુજરાતી નાટક પ્રકાર-ભવાઈનો સક્રીય વિરોધ પણ કર્યો અને તેનું સંમાર્જન કરીને એને અપનાવ્યો પણ ખરો.તેમની મેધા ઉચ્ચ હતી અને તેઓ એક અધિક ઉદ્યોગ પરાયણ વિદ્વાન હતા..”

_________________________________________________________________
(more…)

February 20, 2007

પ્રાગજી ડોસા, Pragji Dosa

Filed under: ઇતિહાસકાર, નાટ્યકાર — હરીશ દવે @ 1:00 am

 જન્મ

  • 7 - ઓક્ટોબર, 1907

કુટુમ્બ

  • પિતા -   જમનાદાસ ડોસા

અભ્યાસ

  • ઈન્ટર આર્ટસ (મુંબઈ)

વ્યવસાય

  • રૂનો વ્યવસાય

જીવનઝરમર

  • રૂનો વ્યવસાય, જિનિંગ પ્રેસ
  • લેખન

મુખ્ય રચનાઓ

  • એકાંકીસંગ્રહ -    ચરણરજ; અન્ય નાટકો -બાળનાટકો
  • ઈતિહાસ -    તખ્તો બોલે છે ભાગ 1, 2 ; ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ

February 13, 2007

રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’ - Revised

ratilal_anil_1.JPG“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !”

“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’
દર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “

“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !”

” દિવાસળી એક જ વાર બોલે છે. ” - એક ચાંદરણું

# કાવ્યો    -  1  -     :   -   2   -    :        -  3   -   @  :      @  ખાસ મિડીયા પ્લેયર ઇન્સ્ટોલ કર્યા બાદ 

# એક લેખ        :      વેબ સાઇટ   +     +   ખાસ ફોન્ટ  ઇન્સ્ટોલ કર્યા બાદ

__________________________________________ (more…)

January 17, 2007

રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya

rajnikumar-pandya.jpg” મારી ટપાલ શું કરે છે ? “
 - મકરંદ દવે રજનીકાન્ત પંડ્યાને …… 

” ફિલ્મ જગતનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર કાનનદેવી કેવા નિબીડ દુર્ગંધભર્યા ને અંધકારભર્યા જીવનમાંથી યશ અને કીર્તિની ચકાચૌંધ દુનિયામાં આવી શક્યાં ! કેવી હશે કાનનબાલામાંથી કાનનદેવી બનવાની એમની એ યાત્રા? “ 

#    રચના     -  1  -  :   -  2  -   :    -  3  -   

#   પુસ્તકો 

__________________________________________ (more…)

December 30, 2006

ભોગીલાલ સાંડેસરા, Bhogilal Sandesara

bhogilal_sandesara_1.jpg” આજીવન વિદ્યોપાસક, જૂની ગુજરાતી અને પ્રાચીન સાહિત્યના મર્મજ્ઞ અને ઇતિહાસ- પુરાતત્વના રસિક વિદ્વાન ….” 

- રમણલાલ જોશી

_______________________

નામ

ભોગીલાલ જયચંદભાઇ સાંડેસરા

જન્મ

5 - એપ્રિલ , 1917 ; પાટણ

અભ્યાસ

  • એમ.એ. પી.એચ. ડી. 

વ્યવસાય

અધ્યાપન , સંશોધન - વડોદરા 

જીવન ઝરમર

  • 1952 - મુંબાઇ યુનિ. માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
  • 1962-64  ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ
  • 1987 - ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • તંત્રી - સ્વાધ્યાય

મુખ્ય રચનાઓ

  • સંશોધન/ વિવેચન - વાઘેલાઓનું ગુજરાત, ઇતિહાસની કેડી, સંશોધનની કેડી, અનુસ્મૃતિ, *  મહા અમાત્ય વસ્તુપાલનું મંત્રીમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેમનો ફાળો, જગન્નાથપુરી અને ઓરિસ્સાના પુરાતન અવશેષો, શબ્દ અને અર્થ +
  • સંપાદન - માધવ કૃત રૂપસુંદરકથા, નેમિચ ન્દ્ર ભંડારી કૃત ષષ્ટિશતક પ્રકરણ, દયારામ, સત્તરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યો, કર્પૂરમંજરી, સંઘવિજયકૃત સિંહાસન- બત્રીસી,  જેષ્ઠીમલ્લ અને મહાપુરાણ
  • પ્રવાસ - પ્રદક્ષિણા
  • અનુવાદ - સંઘદાસ ગણિકૃત વસુદેવ હિંડી, પંચતંત્ર, ભારતીય આર્ય અને હિન્દી 
  • પ્રકીર્ણ - વર્ણક સમુચ્ચય

સન્માન

  • 1953 - રણજિતરામ સુવર્ણચંદ્રક  + 
  • 1956-60 -   નર્મદ સુવર્ણચંદ્રક *

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો, પ્રો. રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

Next Page »

Blog at WordPress.com.