જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas
( ઉંઝા આધારીત - સરળ જોડણીમાં )
“કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઊર્મિઓને જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર હળવે રહીને વગાડે ? ”
“દુનીયાનો અંધકાર મને શું કરી શકે ?
અંધારું ગર્ભકાળનું આંજ્યું છે આંખમાં. “
” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “
# વ્યાકરણના પાઠો : પીંગળશાસ્ત્ર
# તેમના અનુભવો
તેમના બ્લોગ ……….
” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”
