ગુજરાતી સારસ્વત પરિચય

August 4, 2007

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya

mukundrai_parashya.jpg

“હરિ! તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી.”

_______________________________________________________________   (more…)

June 29, 2007

જયંત કોઠારી, Jayant Kothari

Filed under: વિવેચક, સંપાદક — સુરેશ @ 2:00 am

jayant-kothari.jpg

પ્રેરક અવતરણ
” સત્ય ખોયું તેણે ખોયું સર્વ.” 
‘We are to the extent that we are truthful’

______________________________________________________________________ (more…)

June 24, 2007

રમણ સોની, Raman Soni

Filed under: વિવેચક, સંશોધક — સુરેશ @ 1:04 am

raman-soni.jpg

પ્રેરક અવતરણ
” સહુને મુજ અંતરે ધરું, સહુને અંતર હું ય વિસ્તરું” - રાજેન્દ્ર શાહ

” નબળા લેખકો છે એમણે શબ્દની આયાસી આભા ઊભી કરીને ઘણું સમાજ પાસેથી રોકડું કરી લીધું છે.. … આવા ખેલાડીઓએ ,સાવ ઓછી શક્તિએ ‘લેખક’ની પ્રતિષ્ઠા મેળવી છે. …. મિડિયોક્રિટીની બોલબાલા છે.”

______________________________________________________

સંપર્ક       – ઈ/2, તારાબાગ ક્વાર્ટર્સ, પોલિટેકનિક કેમ્પસ, વડોદરા – 390 002

જન્મ

  • 7 - જુલાઈ, 1946; ચિત્રોડા (તા. ઈડર, જિ. સાબરકાંઠા)

કુટુંબ

  • માતા – ભીખીબહેન , પિતા – કાંતિલાલ
  • પત્ની – શારદા( લગ્ન - 1967) ; સંતાન - ચાર

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ ચિત્રોડામાં
  • 1963 - એસ.એસ.સી.
  • 1967 -  બી. એ. -   એલ. ડી. આર્ટસ   અમદાવાદ
  • 1969 -  એમ. એ.
  • 1981 -  પીએચ. ડી.

વ્યવસાય

  • 1970-71 -  પેટલાદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
  • 1971થી -  - ઈડરની કોલેજમાં અદ્યાપક અને વિભાગીય વડા

જીવનઝરમર

  • સર્વ પ્રથમ પ્રકાશિત મૌલિક કૃતિ એક પ્રેમ-કાવ્ય “કુમાર” માસિકમાં
  • ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય કોશ વિભાગમાં સંપાદક
  • ત્રૈમાસિક ‘પ્રત્યક્ષ’ ના સંપાદક
  • કવિતા, વાર્તા અને એકાંકીલેખન પર પણ હાથ અજમાવ્યો છે.
  • આકાશવાણી પર કાર્યક્રમો આપ્યા છે.
  • 1980 - 84  - ગુ.સા.પ. માં સાહિત્ય કોશનું સંપાદન
  • પૂજા, બાધા, ગુરુ , સંપ્રદાય વિ.માં શ્રધ્ધા નથી.
  • ગુજરાતી સાહિત્યના પ્રથમ કક્ષાના વિવેચક

રચનાઓ

  • વિવેચન - કવિતાનું શિક્ષણ, ગુજરાતી વ્યાકરણ વિચાર, આદિ પુસ્તકો
  • પરિચય પુસ્તિકા - ખબરદાર
  • સંશોધન - ઉશનસ્ સર્જક અને વિવેચક ( અભ્યાસગ્રંથ ) 

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2

June 23, 2007

કાન્તિ પટેલ, Kanti Patel

Filed under: વાર્તાલેખક, વિવેચક — સુરેશ @ 2:00 am

kanti-patel.jpg

પ્રેરક અવતરણ
“ભવિષ્યને કે ભાવિ પેઢીને મારે જો કંઈ આપવું હોય તો તે મારે વર્તમાનને જ આપવાનું છે.

“….. મોટાભાગના સાહિત્યકારો ઘણા દંભી પુરવાર થયા છે, સ્વકેન્દ્રી જણાયા છે. ગણતરીબાજ અનુભવાયા છે. વામણા હોવા છતાં  પોતાને વિરાટ રૂપે પ્રોજેક્ટ કરતા દેખાયા છે…. આને ખાસ મીડિયનો પ્રભાવ ગણીશું?”

____________________________________________________________________________________

સંપર્ક       27, હીરા એપાર્ટમેન્ટ, એસ. વી. રોડ, ગોરેગાંવ (પશ્ચિમ), મુંબઈ 400 062

જન્મ

  • 15 ઓગસ્ટ, 1941; શેરડી ગામે (તા. ઓલપાડ, સુરત નજીક).

કુટુંબ

  • માતા લક્ષ્મીબહેન ; પિતા   લલ્લુભાઈ
  • પત્ની લતા( લગ્ન - 1968 ) ; સંતાન બે

અભ્યાસ

  • એમ. એ.

વ્યવસાય

  • 1972 થી - ભવન્સ કોલેજ, અંધેરીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ

જીવનઝરમર

  • એમ. એ.માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ

  • પ્રથમ પ્રકાશિત મૌલિક વાર્તા વહુઘેલો ચાંદની સામયિકમાં.

  • ચાંદની, આરામ અને અન્ય સામયિકોમાં કૃતિઓ પ્રકાશિતથતી રહી.

  • સિતાંશુ યશશ્ચંદ્ર તથા અન્ય કવિમિત્રો સાથે યાહોમ નામક લઘુસામયિકનું સંપાદન કર્યું.

  • મુંબાઇમાં કાવ્યસત્ર,  શબ્દલોક, અભ્યાસવર્તુળ, સમન્વય જેવી સાહિત્યરસિકોની સંસ્થાઓ સ્થાપી અને ચલાવી.

  • બહુ જ સ્પષ્ટવક્તા વિવેચક, અનેક સાહિત્યકારોની ઉપેક્ષાનું કારણ બન્યા.

  • ઇશ્વર અને ગુરુપ્રથામાં વિશ્વાસ

  • રાજકપૂર અને તલત મહેમૂદના ચાહક

રચનાઓ

  • વાર્તાઓ, કવિતાઓ આદિ

  • વિવેચન - 10  ગ્રંથો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

June 22, 2007

રવીન્દ્ર ઠાકોર, Ravindra Thakor

ravindra-thakor.jpg

પ્રેરક અવતરણ
‘આયુષ્યને અંત, ન સ્નેહને તો

” આ કથા છે સિધ્ધાર્થની શોધયાત્રાની, પણ બની રહે છે માનવીની, આપણી શોધયાત્રાની.” - સિધ્ધાર્થની પ્રસ્તાવનામાંથી

” …… સિધ્ધાર્થ સાંભળતો હતો. હવે તે એકાગ્રતાથી, સંપૂર્ણ તથા તલ્લીન બની, સાવ રિક્ત બની, બધું જ સ્વીકારતો ને સાંભળતો હતો. અને હવે તેણે સાંભળવાની કલા સંપૂર્ણતયા હસ્તગત કરી લીધી હતી. ….. પણ નદીમાંથી ઊઠતા આ અસંખ્ય સ્વરો આજે ભિન્ન લાગતા હતા….. બધા જ સ્વરો, બધાજ ઉદ્દેશો, બધી જ ઝંખનાઓ, બધાજ વિષાદો - આ સહુના સહઅસ્તિત્વમાંથી આ વિશ્વ બન્યું હતું. આ સહુનું સહઅસ્તિત્વ એટલે જ ઘટનાઓનો પ્રવાહ, જિંદગીનું સંગીત.”

# પુસ્તક પરિચય

એક વાર્તા     

# લઘુ  નાટક

___________________________________________________________________ 

સંપર્ક       –     8, અધ્યાપક મિત્રમંડળ સોસાયટી, પોલિટેકનિક પાસે, અમદાવાદ – 380 015

ઉપનામ

  • અસ્મિતા શાહ, તન્વી દેસાઈ, બાની બસુ, સુકેતુ

જન્મ

  • 26 - જુલાઈ, 1928; અમદાવાદ

કુટુંબ

  • માતા – ઈન્દ્રકુમારી, પિતા – સાકરલાલ
  • પત્ની – સોહિણી ; સંતાન – બે પુત્રી તથા એક પુત્ર

અભ્યાસ

  • 1945 -  મેટ્રિક
  • 1951 -  એમ. એ.  ;  ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ  
  • 1953 -  એલ.એલ. બી.
  • 1980 -  પીએચ. ડી.

વ્યવસાય

  • નિવૃત્ત આચાર્ય, લેખન

જીવનઝરમર

  • બાળપણ ભરૂચમાં બ. ક. ઠાકોરના મકાનમાં વીત્યું.
  • નિવૃત્તિ પછી હતાશાના માહોલમાં ભૂપત વડોદરિયાએ લખવાનું ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપી ઉગાર્યા.
  • સમભાવમાં ‘ર.’ સહીથી સાહિત્ય અવલોકનના લેખો લખે છે.
  • અમદાવાદની વિવિધ કોલેજોમાં અધ્યાપક તથા આચાર્ય
  • કેસૂડાં, શ્રીરંગ તથા આરામમાં પ્રારંભિક કૃતિઓ પ્રકાશિત
  • લેખના વિવિધ ક્ષેત્રોમાં લોકભોગ્ય કૃતિઓની રચના કરી.
  • હેરમાન હેસની નવલકથા “સિદ્ધાર્થ”ના ગુજરાતી અનુવાદે કીર્તિ અપાવી.
  • વાવાઝોડું, અને એકાંકી, બોજ આદિ પ્રશંસાપાત્ર કૃતિઓ
  • એકસોથી વધુ રેડિયો નાટકો લખ્યાં છે.
  • નેપથ્ય અને આરામ નું સંપાદન
  • આકાશવાણી તેમજ રંગમંડળ સાથે ગાઢો સંબંધ જાળવ્યો.

રચનાઓ

  • કવિતા - કેસરિયાં, કસુંબીનો રંગ, નિનાદ  
  • નવલકથા – મીંઢળબાંધી રાત, સપનાંનાં ખંડેર, મેઘચક્ર, તરસ ન છીપી.
  • વાર્તાસંગ્રહ – આભના ચંદરવા નીચે
  • એકાંકીસંગ્રહો – અને એકાંકી, પાંચ નટીશૂન્ય એકાંકી, નટશુન્યમ્,
  • બાળસાહિત્ય – રવીન્દ્ર કથામાળા, કૂકડે કૂક, ભમ દઇને ભૂસકો, સૂરજ ઊગ્યો
  • વિવેચન - કવિતા એટલે, મુનશી એક નાટ્યકાર
  • અનુવાદ - સિધ્ધાર્થ, સુવર્ણ કણ, દરિયાઇ પંખી, હિમખંડ, આઉટસાઇડર, અપરાજેય

સન્માન

  • ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુ. સા. પરિષદના પુરસ્કારો

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
  • ગુજરાતી સાહિત્યકોશ - ખંડ -2
« Previous PageNext Page »

Blog at WordPress.com.