ગુજરાતી સારસ્વત પરિચય

January 24, 2008

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas

ઉંઝા આધારીત -  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ” 
 
“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. “
 
” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
 
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “ 
 

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી   
      પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________  

(more…)

November 26, 2007

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

(more…)

June 28, 2007

ઉત્તમ ગજ્જર, Uttam Gajjar

Filed under: વ્યાકરણ, સંપાદક — સુરેશ @ 2:00 am

( ઉંઝા જોડણીના આ સમર્થ પ્રચારકના સન્માન તરીકે
આ જીવનઝાંખી ઉંઝા જોડણીમાં આપેલી છે.)

uttam-gajjar_2.jpg

જીવનમંત્ર
‘આજનો દીવસ, આ જીંદગીનો છેલ્લો જ દીવસ છે.’
_____________________________________________________________

સમ્પર્ક    

  • 53–ગુરુનગર, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬
  • ફોન - ( 0261) - 255 3591
  • ઈમેઈલઃ uttamgajjar@hotmail.com 

જન્મ

  • 28 – જુન , 1935 , કડોદ (તા. બારડોલી, જી. સુરત)

કુટુમ્બ

  • માતા – રુક્ષ્મણીબહેન, નીરક્ષ્રર,– 1999માં અવસાન 
  • પીતા – ભગવાનદાસ નરોત્ત્રમદાસ ગજ્જર, બે ધોરણ પાસ, સુથારીકામ–1990માં અવસાન
  • ભાઇ (નાનો) – ઈજનેર, અંકલેશ્વરમાં
  • પત્ની – મધુકાન્તા
  • પુત્રી –પહેલી B.Sc. પરીવાર સાથે ફ્લોરીડામાં, બીજી B.A. પરીવાર સાથે અમદાવાદ;  પુત્ર - એક, પરીવાર સાથે મીસીસીપી, પતી–પત્ની બન્ને ઈજનેર, સ્વતંત્ર ધંધો

અભ્યાસ

  • 1954 -  એસ.એસ.સી. (કડોદ હાઈસ્કુલ)
  • 1957 - સ્નાતક–ગુજરાત વીદ્યાપીઠ
  • 1960 -  ડી.બી.એડ.–રાજપીપળા

વ્યવસાય

  • 1957-60 – શીક્ષક– ઓરણા હાઈસ્કુલ– તા.કામરેજ
  • 1960-65 –શીક્ષક–ગલીયારા હાઈસ્કુલ–કઠોર
  • 1965-93 – શીક્ષક–એમ.ટી.બી.(ટેક.) હાઈસ્કુલ, સુરત

જીવન ઝરમર

  • પ્રત્યક્ષ શીક્ષણકાર્યમાં જ વીશેષ રસ.  તેથી આચાર્ય બનવાનું ટાળતા રહ્યા, છતાં એક–દોઢ વરસ ઈન્ચાર્જ આચાર્ય તરીકેની જવાબદારી નીભાવવી પડી
  • શાળા જીવનમાં ભાષા, સાહીત્ય, સંગીત, વ્યાયામ, વાચનમાં ઊંડો રસ અભ્યાસેતર વીવીધ પ્રવૃત્તીઓના આયોજનમાં–સભા સંચાલનમાં રુચી.
  • ‘શુદ્ધજોડણી શીક્ષણ’ માટે અનેક સેમીનાર અને કાર્યશીબીરો કર્યાં.
  • ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં, સરકારનીયુક્ત અભ્યાસક્રમ સમીતીના સભ્ય તરીકે
  • ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં–પ્રશ્નપત્રોનાં નવાં માળખાં તૈયાર કરવામાં લાંબો સમય હીસ્સેદારી રહી
  • મુળથી જ રેશનલ અભિગમ, જીવનના દરેક ક્ષેત્રનાં પ્રચલીત રુઢી–રીવાજોને શંકાની નજરે ચકાસી, હીતકારી જણાય તો જ તે આચરવાનું વલણ
  • 1993 સુધી -  વીદ્યાપીઠીય સાર્થજોડણીના ચુસ્ત સમર્થક, પણ ડૉ.દયાશંકર જોશી, શ્રી. રામજીભાઈ પટેલ અને સ્વ. જયંત કોઠારીનાં પુસ્તકોના વાચન, સતત સંપર્ક અને ચર્ચાથી સમુળું વીચાર–પરીવર્તન, ત્યારથી જોડણીપરીવર્તન કરવા–કરાવવાની દીશામાં દોડતા રહેવામાં પાછું વાળી જોયું નથી
  • 1999ના જાન્યુઆરીની 9-10 તારીખે ઉંઝા મુકામે પ્રથમ અને સફળ જોડણીપરીષદમાં લેખનમાં એક જ ‘ઈ–ઉ’ રાખવાનો ઠરાવ થયા બાદ સઘળો સમય, શક્તી, તન–મન–ધન સઘળું, તેને યથાશક્તી સફળ કરવા–કરાવવામાં સમર્પીત
  •  સ્વાધ્યાય, સંગીત, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, વ્યાયામ, મીત્રો સાથે મીઠી ગોષ્ઠીમાં આનંદ
  • 1999 - ભાષાપ્રેમી શ્રી રતીલાલ ચંદરયાના પરીચયમાં આવ્યા 
  • 2005 - ગાંધીનગરના સ્નેહી બળવંતભાઈ પટેલ સંગાથે ‘સન્ડે ઈમહેફીલ’ની સાપ્તાહીકી પ્રવૃત્તી શરુ કરી - 5,500 જેટલા વાચકો સંગાથે આ યાત્રા અવીરતપણે ચાલુ છે
  • વીદેશપ્રવાસ -  પાંચ–છ વાર ઇન્ગ્લેન્ડ, અમેરીકા જવાનું બન્યું. બન્ને દેશોમાં ત્યાંનાં બાળકોને શની–રવી ગુજરાતી શીખવવાનું માનદ્ કામ 
  • માનવધર્મના ચુસ્ત હીમાયતી - પ્રચલીત અર્થમાં સાવ નાસ્તીક
  • નાની વયથી જ નીસર્ગોપચાર અવલંબીત અને શ્રમયુક્ત જીવનશૈલી, તેથી ઘડપણે વળગતા લાડીલા રોગોની મૈત્રી કે દવા વીના સાદા શ્રમયુક્ત વ્યાયામ, યોગાસનો અને પ્રાણાયમથી નીજાનંદે મસ્ત અને સ્વસ્થ 

રસના વિષયો

  • ગુજરાતી ભાષા–સાહિત્ય
  • શાસ્ત્રીય સંગીત, ગઝલો, (ગુલામ અલી, જગજીતસીંઘ સૌથી વધારે પ્રીય)

રચના

  • વ્યાકરણ - શુદ્ધલેખન, જોડણીની ખોદણી
  • સંપાદન ( અન્ય લેખકો સાથે )  -   ‘મધુપર્ક’ ( પ્રા. રમણલાલ પાઠકના લેખોનો સંગ્રહ ) ; ગુજરાતી લખાણ માટે એક જ ‘ઈ–ઉ’ બસ છે ; કોમ્પ્યુટરની ક્લીકે – ગુજરાતીની પહેલી ડીજીટલ ડીક્ષનેરી 

March 4, 2007

રણછોડભાઇ દવે, Ranchhodbhai Dave, Revised

Filed under: અનુવાદક, ઇતિહાસકાર, નાટ્યકાર, વ્યાકરણ — ઊર્મિસાગર @ 1:00 am

ranchhodbhai_dave.jpg”… પરિણામે રણછોડભાઇ જેવા ઉત્સાહી જુવાનને ગુજરાતી નાટક લખવાના કોડ જાગ્યા… એમનાં નાટકો લખાતાં અને એક પછી એક ભજવાતાં ગયાં… શિખાઉ નાટ્યકારો એમની નાટ્યશૈલીનું અનુસરણ કરવા લાગ્યા અને આમ ગુજરાતી રંગભૂમિનું અને ગુજરાતી નાટકનું ચોક્કસ સ્વરૂપ બંધાયું… રણછોડભાઇ ગુજરાતી નાટકના પિતા કહેવાયા.”
–અનંતરાય રાવળ

 ” રણછોડભાઈની નાટકસેવાનું ખરું માપ તો એમના જમાનામાં જીવી જનાર જ કાઢી શકે…આપણા એ સુધીર ને ધૃતિમાન આદિ નાટ્યકારે એ સંસ્કૃતિકાળમાં પાશ્ચાત્ય અને પ્રાચીન-ભારતીય પ્રભાવ ઝીલ્યો, તળપદા ગુજરાતી નાટક પ્રકાર-ભવાઈનો સક્રીય વિરોધ પણ કર્યો અને તેનું સંમાર્જન કરીને એને અપનાવ્યો પણ ખરો.તેમની મેધા ઉચ્ચ હતી અને તેઓ એક અધિક ઉદ્યોગ પરાયણ વિદ્વાન હતા..”

_________________________________________________________________
(more…)

February 27, 2007

હીરાચંદ કાનજી કવિ , Heerachand Kanji Kavi

Filed under: કવિ, વિવેચક, વ્યાકરણ, શબ્દકોશ — જુગલકીશોર @ 2:00 am

રચનાઓ

  • 1859 -  મિથ્યાભિમાન-ખંડન , કવિ નર્મદની અને અન્ય કવિઓની તીવ્ર ટીકાઓ સહિતનું કાવ્ય
  • 1863- 65 -  ગાયનશતક ભાગ 1,2,3 -   અનેક વિષયો પરનાં કાવ્યો
  • 1863 - કુમારબોધ -  બાળકોને શિખામણ આપતી રચના,  કુમારિકાબોધ કન્યાઓને શીખ આપતી રચનાઓ
  • 1864 - નામાર્થબોધ
  • કોશાવલી  - નવા કવિઓને પ્રાસાનુપ્રાસ મેળવવામાં ઉપયોગી થવા માટેનો શબ્દકોશ
  • પિંગળાદર્શ -  વ્રજભાષામાં ગુજરાતી ટીહા સહિત અને ઉદાહરણો સાથેનું પુસ્તક.આમાં કવિ અને કવિતાના ગુણ-અવગુણ તથા લક્ષણોને પદોમાં ઢાળીને રજૂ કર્યાં છે.

લાક્ષણિકતાઓ

  • નર્મદ-દલપતની અસરોમાં આવ્યા વિના, તેમની પણ ટીકાઓ રજૂ કરનારા મહત્વના કવિ
  • કવિતાનું વિવેચન કરીને કક્ષાનાં ધોરણો આપનાર કવિ
  • કોશ અને પિંગળને લગતાં કાર્યો પણ તેમણે હાથ ધર્યાં છે
  • કવિતાની ઉત્તમ,મધ્યમ અને કનિષ્ઠ એમ વ્યાખ્યાઓ પણ તેમણે બતાવી આપી છે.
Next Page »

Blog at WordPress.com.