ગુજરાતી સારસ્વત પરિચય

February 9, 2008

ધીરુબેન પટેલ, Dhiruben Patel

ઉંઝા આધારીત ‘ સરળ’ જોડણીમાં

dhiruben_patel.jpg     

” કદાચ લગ્ન પહેલાંના પ્રેમનો એક બહુ મોટો હીસ્સો હજી જીવંત રહી ગયો છે. ઘવાયેલા અભીમાનના ખડક નીચેથી પણ એનાં ત્રુણાંકુરો અવારનવાર દેખા દે છે……  “

તેમનો એક લેખ

તેમની ત્રણ વાર્તાઓ

તેમની એક વાર્તાનો અંગ્રેજી અનુવાદ

તેમની જાણીતી વાર્તાને આધારે બનેલ નાટક ‘ ભવની ભવાઈ’  વીશે

(more…)

January 24, 2008

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas

ઉંઝા આધારીત -  સરળ જોડણીમાં )

jugalkishor_vyas.jpg

“કોણ આ અંતરે આવી આવી અને  અવનવી ઊર્મિઓને  જગાડે ?
કોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર   હળવે  રહીને  વગાડે ? ” 
 
“દુનીયાનો  અંધકાર  મને શું   કરી શકે ?
અંધારું ગર્ભકાળનું  આંજ્યું છે આંખમાં. “
 
” કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! “
 
‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’
ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. “ 
 

#   વ્યાકરણના પાઠો      :    પીંગળશાસ્ત્ર

#   તેમના અનુભવો

તેમના બ્લોગ ……….

#    શાણી વાણીનો શબદ   :   NET-ગુર્જરી   
      પત્રમ્ પુષ્પમ્          :   આપણા મલકમાં

___________________________________________________  

(more…)

December 14, 2007

જયંતિલાલ દવે, Jayantilal Dave

ઉંઝા આધારીત ‘સરળ’ જોડણીમાં 

jayantibhai-dave.jpg

જીવનમંત્ર
       ગામડું, ગાય ને ગરીબની સેવા

સંકલીત કહેવતો

_______________________________________________________________ (more…)

November 26, 2007

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

પ્રેરક અવતરણ

“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ

“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”

” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”

“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય

“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય

# એક રચના

____________________________________________________________

(more…)

November 18, 2007

વ્રજલાલ દવે, Vrajlal Dave

Filed under: કવિ, સંપાદક, સંશોધક — સુરેશ @ 2:04 am

પ્રેરક અવતરણ
જિંદગી ઝિંદાદિલીનું નામ છે.

“હું ફૂલ છું, બેસું ન છો ને પાસમાં
ના કહો ને, તોય પેસું શ્વાસમાં.”

“ગુંજે જીવ્યું સહુ કવન થૈ, એ જ હો પ્યાસ મારી.”

કોણ માને આ વાત કે ઓલ્યા જળને તરસ્યું લાગે?

________________________________________________________________

સમ્પર્ક

  • 3, સ્વાશ્રય સોસાયટી, નવા વાડજ, અમદાવાદ – 380 013

જન્મ

  • 26, જાન્યુઆરી - 1923; રામપરા( જિ. રાજકોટ )

અવસાન

  • 18, જુલાઇ- 1994; અમદાવાદ

કુટુમ્બ

  • માતા- હરિબાઇ ; પિતા- નાનજીભાઇ
  • પત્ની- શારદા ( લગ્ન - 194 8) ; સંતાન – છ

અભ્યાસ

  • 1942 – મેટ્રિક
  • 1947 – રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.
  • 1957 – ગુજરાત યુનિ. માંથી ગુજરાતી- સંસ્કૃત સાથે એમ.એ.
  • બી.એડ.

વ્યવસાય

  • 1957- ’60 -  અમદાવાદમાં હ.કા. આર્ટ્સ કોલેજમાં અધ્યાપક
  • 1960- ’83 -   અમદાવાદની સરદાર વલ્લભભાઈ કોલેજમાં અધ્યાપક

જીવનઝરમર

  • પહેલી કૃતિ ‘કુમાર’માં પ્રગટ થઈ.
  • આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
  • બાધા આખડીમાં માનતા નથી, પણ ઈશ્વર અને ગુરુમાં શ્રદ્ધા છે.
  • વર્ણાશ્રમમાં માનતા નથી, પણ માણસના સ્વભાવમાં જ આ જાતની મૂળભુત વૃત્તિઓ રહેલી છે, તેમ માને છે.
  • થોડો વખત ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી

રચનાઓ

  • કવિતા – એકાંતોની સોડમાં, અનંત એકાંતે
  • સંશોધન – નરસિંહરાવ
  • સંપાદન – સવારના સૂરજને પુછો ( કાવ્ય સંગ્રહ), કાવ્યસંચય

સન્માન

  • ગુજરાત રાજ્યનું બીજું ઈનામ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર, રાધેશ્યામ શર્મા; રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2
Next Page »

Blog at WordPress.com.