આ શિર્ષક ચિત્ર પર ક્લિક કરી તેમની આત્મકથા ધારાવાહી રૂપે વાંચો – માણો.
તેમની સાથે એક ઇન્ટરવ્યૂ
તેમના વિશે વિશેષ
શરૂઆતમાં મુંબાઈમાં મૂળજી જેઠા મારકિટ, ટેક્ષ્ટાઈલ મીલો અને અન્ય પેઢીઓમાં નોકરી.
૧૯૬૫ માં અમેરિકા સ્થળાંતર
અમેરિકામાં અભ્યાસ બાદ પીટ્સબર્ગ યુનિ. અને અન્ય યુનિ.ઓમાં શિક્ષણ કાર્ય
૧૯૭૬ – ૧૯૯૭ અમેરિકન કોન્ગ્રેસની વોચ ડોગ એજન્સી એજન્સી – જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
૧૯૯૭ — વોશિંગ્ટન ડી.સી. સ્ટેટમાં ટેક્સ કમિશ્નર
૨૦૦૦-૨૦૧૪ ત્યાં જ ચીફ ફાઈન્સાન્સિયર ( એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા. એ કામમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓની સંખ્યા – ૧૨૦૦ થી વધારે)
તેમણે આ કામ હાથમાં લીધું ત્યારે વોશિંગ્ટન ડી.સી.ની નાણાંકીય સ્થિતિ બહુ જ નાજૂક અને દેવાંઓથી ભરપૂર હતી; જે તેમના કુશળ વહીવટને કારણે ૧૫૦૦ મિલિયન ડોલરની પુરાંત વાળી બની ગઈ હતી. આ બાબતમાં જાણકાર વાચકોને આશ્ચર્ય થશે કે, અનેક એજન્સીઓ દ્વારા અભ્યાસ કરીને જાહેર કરાતા ફાઇનાન્સ્શિયલ રેટિંગ ૧૩ તબક્કાઓમાં સાવ નકારાત્મકથી A+ / A++ સુધી તેઓ પહોંચાડી શક્યા હતા.
૨૦૧૪ – ૨૦૧૬ – Distinguished Policy Fellow at Georgetown University’s McDonough School of Business.
અત્યારે તેઓ વર્લ્ડ બેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
Amar Palanpuri, Adarsh Society, Athwa, Surat, Gujarat 395001, India
મૂળ નામ
પ્રવીણ મણીલાલ મહેતા
જન્મ
૧, જુલાઈ – ૧૯૩૫, પાલનપુર
કુટુમ્બ
માતા – તારાબહેન; પિતા – મણીલાલ
પત્ની – ૧) હંસા, ૨) મીનાક્ષી; સંતાન – ?
શિક્ષણ
મેટ્રિક( પાલનપુર)
વ્યવસાય
હીરા ઉદ્યોગમાં
તેમના વિશે વિશેષ
નવ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું.
અત્યંત તોફાની હતા, અને તેમનાં તોફાનોથી પરેશાન થઈ માતા કૂવે આપઘાત કરવા ગયાં. ત્યાં ‘શૂન્ય’ પાલનપુરીની માતાએ બચાવ્યા અને પોતાને ઘેર લઈ ગયા. પછી પ્રવીણ પણ ‘શૂન્ય’ના ઘેર જતો થયો અને તેમના પુત્ર સમાન બનીને રહ્યો. ઘરનું બધુ કામ કરે, શૂન્યના પગ પણ દબાવે અને તેમની શાયરી પણ સાંભળતો થયો.
સ્કૂલના નવા મકાનના સંડાસમાં લયબદ્ધ રીતે ગાળો લખતા પકડાયા અને પ્રિન્સિપાલે ‘શૂન્ય’ને ફરિયાદ કરી. તેમણે તમાચો માર્યો અને પ્રવીણની જિંદગીમાં વળાંક આવ્યો.
મેટ્રિક પાસ થયા બાદ માસીના ઘેર મુંબાઈમાં નોકરી.
મુંબાઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો લખવાની શરૂઆત કરી. ત્યારથી શરૂ થયેલી યાત્રા ‘ઉઝરડો’ ગઝલ સંગ્રહમાં પરિણમ્યો. પણ તેમણે કદી એ પ્રેમિકા વિશે કોઈને જણાવ્યું નથી.
મુંબાઈમાં બિમાર પડતાં પાછા પાલનપુર ગયા અને સાહિત્ય વર્તુળોમાં ગઝલમાં ડૂબી ગયા. ‘શૂન્ય’ એ આપેલા તખલ્લુસ ‘અમર’થી ગઝલો લખતા થયા.
સાજા થઈને મુંબાઈ પાછા ગયા અને ‘શૂન્ય’ની ભલામણથી ‘સૈફ’ પાલનપુરીના સમ્પર્કમાં આવ્યા. તેમના સામાયિક ‘વતન’ માં માનદ સેવા. ‘શૂન્ય’ની ચિઠ્ઠીમાં તેઓ સારું ગાય છે, એમ જાણવાથી સૈફે મિત્રો સાથેની મહેફિલમાં એમની પાસે ગઝલો ગવડાવી અને આમ મુબાઈના પ્રખ્યાત કવિઓ સાથે તેમનો સમ્પર્ક થવા લાગ્યો.અમીન આઝાદ, બેફામ, ગની દહીંવાલા, વેણીભાઈ પુરોહિત, શયદા, બેકાર, રતિલાલ ‘અનિલ’, નીનુ મજમુદાર વિ. સાથે મહેફિલોમાં ભાગ લેવા માંડ્યા.
હીરા ઘસવાનું કામ કરતા લોકો ગાળો બહુ બોલતા. એના ઉપરથી તેમનું એક ચર્ચાસ્પદ વિધાન – ”ગઝલ ગાળોનો પર્યાય છે!”
ઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. જયંતિ પટેલ ‘રંગલો’ દ્વારા દિગ્દર્શિત, પચાસ નાઈટ ચાલેલા, નાટક ‘નેતા અભિનેતા’ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, અને તેમનો અભિનય બહુ જ વખણાયો હતો.
નાટક કારકિર્દીમાં જ મીનાક્ષી મારફતિયાના ઘનિષ્ઠ સમ્પર્કમાં આવ્યા. આના કારણે તેમનું લગ્ન જીવન ખરાબે ચઢ્યું. અંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ, મીનાક્ષી સાથે સંસાર શરૂ કર્યો.
૧૯૬૨ – સૂરતમાં રહેવા લાગ્યા. ‘સપ્તર્ષિ‘ નામની સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના
ગુજરાત અંગે સામાન્ય જ્ઞાનનો વ્યાપ થાય , તે આશયથી આજથી આ બ્લોગ પર એક નવું પાનું શરૂ કરવામાં આવ્યું છે. આ રહ્યું ….
અલબત્ત, અત્યારે તો ગુજરાત રાજ્ય તરફથી સરકારી પરીક્ષાઓ માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી પુસ્તિકાઓની માહિતી જ અહીં આપવામાં આવી છે. પણ જો પૂરતા પ્રમાણમાં સ્વયંસેવકો મળી રહે, તો વધારે લોકભોગ્ય રીતે આવી માહિતી આપી શકાશે.
સર્વે વાચકોને વિનંતી કે,
આ યજ્ઞ કાર્યમાં
પ્રદાન આપવા
કમર કસે
અને
અમને જણાવે.
વાચકોના પ્રતિભાવ