ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કાન્ત , Kant


kant.jpg

જલધિજલદલ ઉપર દામિની દમકતી, વ્યામિની વ્યોમસરમાંહી સરતી;

કામિની કોકિલા, કેલિ કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી.

ઉત્પત્તિ, સ્થિતિ, વિશ્વ આ સકલની છે સર્વ જે તાતથી,
ઉદ્ધારાર્થ મનુષ્યના અવતરે જે માનવી માતથી,
જે ધાતા જગનો, પવિત્ર પ્રભુ, જે ત્રાતા સ્વયં નન્દન,
તે શ્રી સાંબ દયાલુ શંકર પિતા! સ્વીકારજો વંદન!

( પૂર્વાલાપ )

_____________________________

રચનાઓ   : 1 : 2 :

kant

પૂર્વાલાપ – ઈ-બુક વાંચો

નામ

  • મણિશંકર રત્નજી  ભટ્ટ

ઉપનામ

  • કાન્ત

જન્મ

  • 20, નવેમ્બર- 1867 ; ચાવંડ  જિ. અમરેલી

અવસાન

  • 16, જૂન –  1923;  રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં

માતા

  • મોતીબાઇ

પિતા

  • રત્નજી

ભાઇ બહેન

  • ભાઇ ગૌરીસ્જંકર, માધવજી, હરજીવન, મણિશંકર, બહેનો– દયાબેન, પ્રાચીબેન

લગ્ન

  • 1883– નર્મદા (નદી), અવસાન 1891
  • 1892– નર્મદા ( ન્હાની), અવસાન 1918

સંતાનો

  • 11 સંતાનો 8 ના અવસાન તેમના જીવનકાળમાં થયા.

અભ્યાસ

  • પ્રાથમિક – માંગરોળ, મોરબી
  • માધ્યમિક ગોંડળ , રાજકોટ
  • 1888 બી.એ એલ્ફિન્સ્ટન કોલેજ મુંબાઇ, વર્ડ્ઝવર્થ અને મેકમીલન તેમના પ્રોફેસર હતા

વ્યવસાય

  • 1889– સુરતમાં શિક્ષક
  • 1890– વડોદરા કલાભવનમાં અધ્યાપક
  • 1898-1923 ભાવનગર રાજ્યમાં એજ્યુકેશન ખાતામાં
  • 1906 થી –  ડિરેક્ટર ઓફ એજ્યુકેશન

પ્રદાન

  • અનેક સર્જનાત્મક અને સંપાદકીય ગ્રંથો
  • એમણે ગુજરાતીમાં નૂતન કાવ્યસ્વરૂપ ‘ખંડકાવ્ય’ અવતાર્યુ અને અમાં જ ઉત્કૃષ્ટ કાવ્યો ભેટ ધર્યા. ખંડકાવ્યમાં તેમની સર્જનપ્રતિભા સોળે કળાએ ખીલેલી મનાય છે.

મૂખ્ય કૃતિઓ

  • કાવ્યસંગ્રહ– પૂર્વાલાપ
  •  અનુવાદ– ગીતાંજલિ
  • નાટકો– ગુરુ ગોવિંદસિંહ, રોમન સ્વરાજ્ય
  • ઇતિહાસ– શિક્ષણનો ઇતિહાસ

જીવન

  • જીવનમાં પિતા, બન્ને પત્નીઓ અને આઠ બાળકોના મૃત્યુ જોયાં
  • 1900– સ્વિડનબોર્ગના વિચારોથી પ્રભાવિત થઇ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો – એ જમાનામાં ધર્મ એ વ્યક્તિની અંગત બાબત છે તેવી ક્રાંતિકારી માન્યતા
  • 1902– સામાજિક વિરોધના કારણે આર્યસમાજમાં જોડાયા, પણ અંતરથી ખ્રિસ્તી જ રહ્યા,
  • 1903– કલાપીના મરણ બાદ કેકારવ નું પ્રકાશન
  • પ્રભાશંકર પટ્ટણી, અને બળવન્તરાય ખાસ મિત્રો, તે વખતના બધા આગળ પડતા સાહિત્યકારો સાથે ગાઢ મૈત્રી

સાભાર

  • ઊર્મિબેન, ગુજરાત સમાચાર

લીન્ક

 કાન્ત -1 કાન્ત -2

11 responses to “કાન્ત , Kant

  1. manvant જૂન 20, 2006 પર 2:10 પી એમ(pm)

    હા ! મારે લખવું જ હતું ને સરળ બન્યું !શ્રીમાન સુરેશભાઈએ ખૂબ જ મહેનત કરીને આ “સર્જક પરિચય”
    ભેટ આપણને ધરી છે ;તેમનો માનીએ તેટલો આભાર ઓછો જ પડે !વળી તેમણે તે નાટ્યકારો,કવિઓ,
    અનુવાદ,સંપાદન,ઇતિહાસ એમ પાંચ સુન્દર વિભાગો પાડીને રજૂ કરેલો છે !આવો તૈયાર ખાવાનો ખોરાક
    કોને ના ગમે ? ગુજરાતી વાંચકો એને સાર્થક કરશે ?

  2. Pingback: અનામિકાને પત્ર: 10 « મધુસંચય

  3. UrmiSaagar ડિસેમ્બર 3, 2006 પર 2:48 એ એમ (am)

    ‘પારિજાતનો સંવાદ’ વિભાગમાં આવેલો લેખ: ‘કવિ કાન્તને કેવો અન્યાય!’

    http://www.gujaratsamachar.com/gsa/20061203/guj/supplement/parijaat.html

  4. Pingback: 16 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  5. સુરેશ જાની જૂન 18, 2007 પર 11:37 એ એમ (am)

    જુગલકીશોર ભાઇની કોમેન્ટ –
    કાન્ત આપણા બહુ ઉંચા ગજાના કવી. એમની કવીતામાં શબ્દો તો જાણે વસંત ઋતુમાં જાણે પુષ્પોનો ઢગલો ! એમનો લય એટલે તેલની ધાર. અને કલ્પનાવ્યાપાર તો આપણા જેવાની પહોંચની બહાર !

    કાંત કલાપીના ગુરુ શા. એમની કવીતાઓને મઠારવામાં કાંતનો બહુ મોટો ફાળો. તેઓ આપણી ભાષાનું હીર હતા. એમના વીનાની આપણી કવીતા સાવ સુની સુની. એમને હૃદયપુર્વકની અંજલી.

  6. Ramesh Patel સપ્ટેમ્બર 15, 2008 પર 12:56 પી એમ(pm)

    kant is Kant…unforgetable poet ,the great..great great.
    Ramesh Patel(Aakashdeep)

  7. Pingback: મુનિકુમાર ભટ્ટ,Munikumar Bhatt | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: