“જાગે જે કોઇ ધનનો ધણી,
જાગે જેને ચિંતા ઘણી.
જાગે રાત અંધારી ચોર,
જાગે ઘન વરસતે મોર.”
# રચનાઓ
________________________________________
જન્મ
આશરે 1694
અવસાન
આશરે 1769
કુટુમ્બ
માતા – આનંદીબાઈ
પિતા – વીરેશ્વર ત્રિવેદી ( મૂળ અટક )
તેમના વિશે એક સરસ લેખ – ‘ઓપિનિયન’ પર – ‘પહેલો ગુજરાતી વાર્તાકાર’

આ ચિત્ર પર ક્લિક કરો….
જીવન ઝરમર
- ચાતુરી, બુધ્ધિ અને વિનોદ પર વધારે ભારવાળી રચનાઓ; સુભાષિતો, સમસ્યાઓ, છપ્પાઓ; ઘણા લોકપ્રિય આખ્યાનકાર
- માતર તાલુકાના સિંહુંજ ગામનાં જાગીરદાર પટેલ રખીદાસે તેમને જમીન અને રહેવા માટે ઘર આપ્યું.
- શામળ છપ્પા માં પ્રખ્યાત છે.
મુખ્ય રચનાઓ
આખ્યાનો – પદ્માવતી, ચન્દ્ર ચન્દ્રાવતી, નન્દ બત્રીસી, સિંહાસન બત્રીસી , સૂડા બહોતેરી, બરાસ કસ્તૂરી કાવ્ય – શિવ પુરાણ , રાવણ મંદોદરી સંવાદ, પતાઇ રાવળનો ગરબો, રણછોદજીના શ્લોકો , છપ્પાઓ
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – પ્રવીણ પુસ્તક ભંડાર
Like this:
Like Loading...
Related
શામળના છપ્પા માણ્યાછે. અત્યારે યાદ જ નથી !
વિધિની કેવી વિચિત્રતા ?
Can we have “UKHANA” & ‘SAMASYA’ from his stories?
Pingback: વલ્લભ (માણભટ્ટ) « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: વલ્લભ (માણભટ્ટ) – Vallabh Manbhatt « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પ્રેમાનન્દ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: વલ્લભ ભટ્ટ, Valalabh Bhatt « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ઋષભદાસ, Rushabhdas « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પ્રેમાનન્દ…… | shraddhahospital's Blog
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
શામળ ભટ્ટે ૨૬ રચનાઓનું સર્જન કર્યું છે. તેમની પદ્યવાર્તાઓ તેમના પુરોગમીઓના સંસ્કૃત સર્જનો અને લોકકથાઓ આધારિત છે. તેમના કેટલાક સંસ્કૃત સર્જનોમાં સિંહાસન દ્વાત્રિંશકા, વેતાલપંચવિન્શતિ, શુકસપ્તતિ, ભોજપ્રબંધ વગેરેનો સમાવેશ થાય છે. તેના પરથી રચેલી સિંહાસન બત્રીસી, વેતાળ પચ્ચીસી, સુડા બહોતેરી તેમના જાણીતા સર્જન છે. આ ત્રણેય સર્જનમાં વાર્તામાં વાર્તા હોય તેવું બંધારણ છે. તેમાં ઘણી જાદુઈ અને કાલ્પનિક બાબતો જેમકે આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું, ઉડતા પગરખાં, બોલતા પશુઓ વગેરે પણ છે. વિક્રમ રાજા આ કથાઓનું મુખ્ય પાત્ર છે. તેમાં ઘણા સુત્રો અને કોયડાઓ પણ છે. તેમના અન્ય સર્જનોમાં નંદબત્રીસી, શુકદેવાખ્યાન, રખીદાસ ચરિત્ર, વનેચરની વાર્તા, પાંચ-ડંડા, ભદ્રભામિની, રેવાખંડ, ચંદ્ર-ચંદ્રાવતી, મદનમોહના, પદ્માવતી, બરાસ-કસ્તુરી વગેરેનો સમાવેશ થાય છે. આ કથાઓમાં બુદ્ધિચાતુર્યની સમજ આપતા ઘણા છપ્પા (છ પંક્તિના ટુચકા) પણ સમાવી લેવાયા છે.
અંગદવિશતિ, રાવણ-મંદોદરી સંવાદ, દ્રૌપદીવસ્ત્રાહરણ, શિવપુરાણ વગેરે તેમના પુરાણો અને મહાકાવ્યો આધારિત આખ્યાનો છે. આ ઉપરાંત તેમણે પતાઈ રાવળનો ગરબો, રણછોડજીના શ્ર્લોકો, બોડાણાખ્યાન, ઉદ્યમકર્મસંવાદ વગેરેનું સર્જન કર્યું છે.
તેમની એક કવિતાએ મહાત્મા ગાંધીને સત્યાગ્રહનો વિચાર આપ્યો હતો