“ કોઇ ભાવ, વિચાર કે વસ્તુ ભાષા દ્વારા લખીને બીજાને પહોંચાડવાની કળા તે લેખન. એમાં બે વસ્તુ સમાઇ જાય છે: એક તો જે કહેવાનું છે તે, અને બીજી તે કહેનારી ભાષા.
કોઇ પણ વસ્તુ આપણે બીજાને કહેવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં મનમાં સ્પષ્ટ ખ્યાલ હોવો જોઇએ. તો જ આપણે તે સામા માણસને બરાબર કહી શકીએ….
પોતાને શું કહેવું છે તેની જ માણસને ખબર નથી હોતી. ”
___________________________________
નામ
નગીનદાસ નારણદાસ પારેખ
ઉપનામ
મોટાભાઇ, ગ્રંથકીટ , जनार्दन
જન્મ
ઑગષ્ટ 20, 1903 – વલસાડ
અભ્યાસ
- ભાષાવિશારદ – ગુજરાત વિદ્યાપીઠ
વ્યવસાય
- અધ્યાપન – ગુજરાત વિદ્યાપીઠ
- સંપાદન – નવજીવન પ્રકાશન
જીવન ઝરમર
મુખ્ય રચનાઓ
- વિવેચન: કવિકથા, અભિનવનો રસવિચાર અને બીજા લેખો, રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ, ક્રોચનો કલાવિચાર, વીક્ષા અને નિરીક્ષા, રવીન્દ્રનાથનો સાહિત્યવારસો
- અનુવાદ:
- પરિણીતા, પલ્લીસમાજ, ચંદ્રનાથ- શરદચંદ્ર
- વિસર્જન, પૂજારિણી, ડાકઘર, સ્વદેશીસમાજ, ઘરે બાહિરે,ચતુરંગ અને બે બહેનો , નૌકાડૂબી, ગીતાંજલિ અને બીજા કાવ્યો – રવીન્દ્રનાથ
- સત્તાવન- સુંદરલાલજી
- કલ્કી –રાધાકૃષ્ણન
- વિશ્વપરિચય, કાવ્યવિચાર, ક્રોચેનું ઇસ્થેટિક અને બીજા લેખો – સુરેન્દ્રનાથ દાસગુપ્તા
- રસગંગાધરની ભૂમિકા(નગીનદાસ નારણદાસ પારેખ), રસગંગાધર ખંડ 32 – રા.બ. આઠવલે
- તીર્થ સલીલ – દિલીપકુમાર રોય
- રસ અને ધ્વનિ,ઉપેન્દ્રની આત્મકથા ; નિ:સંતાન, ચુંબન અને બીજી વાર્તા
- આનંદવર્ધનનો ધ્વનિવિચાર, કુંતકનો વક્રોકિતવિચાર, મમ્મટનો કાવ્યવિચાર
- સંપાદન: કાવ્યપરિચય ( રા.વિ.પાઠક સાથે), સાબરમતી, નાનાલાલનાં કાવ્યો, કુદરતનો આનંદ
- પ્રકીર્ણ: ખાદીનું વ્યાપક અર્થશાસ્ત્ર ( અન્ય સાથે), સિલોનમાં બે વર્ષ
સન્માન
- સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર ‘અભિનવનો રસવિચાર’ માટે
- ટાગોર રિસર્ચ સોસાયટી દ્વારા ‘રવીન્દ્રતત્વાચાર્ય’ની પદવી
સાભાર
–
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય