ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યાજ્ઞવલ્ક્યાનંદજી


yagyavlakanandji.jpg” અધ્વર્યુજીની મહત્વાકાંક્ષા તેમના દર્દીઓની અંદરની આંખો પણ ઊઘડે તે હતી.
તેમનું આ મિશન બધા ધર્મ અને કર્મ સાથે જ પ્રકાશ ફેલાવે છે. ”

– મનુભાઇ પંચોળી – દર્શક

 #  રચના  :  વેબ સાઇટ

_________________________________________________________________________

નામ

ભાનુશંકર ગૌરીશંકર અધ્વર્યુ , ડો. શિવાનન્દ અધ્વર્યુ

ઉપનામ

સ્વામી યાજ્ઞવલ્ક્યાનંદજી, બાપુજી

જન્મ

18 – નવેમ્બર, 1906; બાંદરા ( ગોંડળ )

અવસાન

22 – ઓક્ટોબર , 1998

કુટુમ્બ

  • માતા –  પાર્વતીબેન ; પિતા – ગૌરીશંકર; ભાઇ – એક ; બહેન – એક

અભ્યાસ

  • પ્રાથમિક – બાંદરામાં
  • માધ્યમિક – ગોંડળમાં
  • ઉચ્ચ– પહેલાં અમદાવાદ અને પછી મુંબાઇમાં , એમ. બી.બી.એસ.

વ્યવસાય

  • મુંબાઇમાં સરકારી હોસ્પીટલોમાં કામ
  • 1948 – મુંબાઇ સ્ટેટના પ્રેસીડન્સી સર્જન ,   આ હોદ્દો મેળવનાર પ્રથમ ભારતીય ડોક્ટર
  • 1951 –  મેડીકલ ઓફીસર તરીકે પાટણ બદલી  
  • 1956 –  વીરનગરની સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હોસ્પીટલમાં

જીવન ઝરમર

  • પિતા પહેલાં યજમાન વૃત્તિ કરતા અને પછી પોલીસ ખાતામાં જમાદાર
  • હાઇસ્કૂલમાં બચુભાઇ રાવત , ધૂમકેતુ અને  દેશળજી પરમાર તેમના સહાધ્યાયી, ટ્યુશન કરીને ભણ્યા
  • ઉચ્ચ શિક્ષણ માટે ગોંડળના બાપુ ભગવત સિંહજીએ સ્કોલરશીપ આપી હતી. 
  • આંખના ઉત્તમ સર્જન
  • વીરનગરમાં આવ્યા બાદ પહેલે જ દિવસે સિઝેરીયન ઓપરેશન કરી બાળકને જન્માવ્યું
  • વીરનગર આવ્યા બાદ તેમના સેવા યજ્ઞનો પ્રારંભ થયો અને ચાલીસ વર્ષ ચાલ્યો; રોજના 60 થી 100 ઓપરેશન કરતા
  • કોઇ વાર નેત્ર યજ્ઞમાં રોજના 400 ઓપરેશન પણ કરતા
  • એક અંદાજ પ્રમાણે ત્રણેક લાખ દર્દીઓને સારવાર આપી હતી.
  • વીરનગરની હોસ્પીટલમાં આંખોના ઓપરેશનની સાથે દરદીની અંતરની આંખ ખૂલે તે માટે પણ સજાગ; સવા લાખથી વધુ મોતીયાના ઓપરેશન
  • અર્વાચીન યુગના ઋષિ ગણાતા
  • 1984 –  વીરનગરના ટ્રસ્ટીઓ સાથે મતભેદ થતાં રાજ્કોત ગયા અને સાવરકુંડલા, ઊના, ધોરાજી, શિહોર, અને વાંકાનેરમાં હોસ્પિટલો શરૂ કરાવી , દરેક અઠવાડીયે એક વાર ત્યાં જતા.
  • વીરનગરની હોસ્પીટલનો વહીવટ બગડતાં પાછા ગયા અને જીવનના અંત સુધી ત્યાં જ સેવા આપી.
  • 1952 – હૃષીકેશ સ્થિત સ્વામી શિવાનંદને મળ્યા બાદ જીવનમાં આમૂલ પરિવર્તન
  • ‘દિવ્ય જીવન સંઘ’ , ‘શિવાનન્દ મિશન’ વિ. ના નેજા હેઠળ  હાઇસ્કૂલો, છાત્રાલયો, બાળમંદિર, પ્રસૂતિગૃહ, વ્યસન-મુક્તિ-કેન્દ્ર જેવી અનેક પ્રવૃત્તિઓ

સાભાર

‘સપ્તક’ પૂર્તિ ;  ગુજરાત ટાઇમ્સ – ન્યુ યોર્ક

9 responses to “યાજ્ઞવલ્ક્યાનંદજી

  1. હરીશ દવે ડિસેમ્બર 21, 2006 પર 2:57 એ એમ (am)

    શિવાનંદજી તથા દિવ્ય જીવન સંઘે નૂતન ભારતના યૌવનનું અમોલું ઘડતર કર્યું છે.

    …. હરીશ દવે અમદાવાદ

  2. Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Vraj Dave જુલાઇ 9, 2007 પર 1:27 પી એમ(pm)

    BAPUJI na name Shivanandji aaje pan khujbaj yad aavechhe.Matra Dr.nahi pan masiha thay gya.Khub premthi pranam.

  4. Pingback: 22 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  5. Pingback: 18- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  6. Pingback: અનુક્રમણિકા – ય « ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: