
” કવિ જામન ગુજરાતી રંગભૂમિ ના કાંતદર્શી કલાકાર હતા“
” જે વસ્તુ તમે જોઈ નથી, તમે અનુભવી નથી, એ માં કલ્પનાનો આશરો લઈ, પ્રસંગો ગૂંથી તમે નાટકમાં લાવો છો એ માટે તમને ધન્યવાદ ઘટે છે કારણકે કલ્પનાને જિંદગીમાં બનતી સત્યઘટનાઓની હકીકતમાં તમે સિદ્ધ કરી દેખાડી છે “
– આનંદશંકર ધ્રુવ
” બદલાતી અભિરૂચિનો અણસાર એમનાં નાટકોમાં છે “
_______________________________________________________
નામ
ઉપનામ
જન્મ
- ૧૮૮૮ – દ્વારકા નજીક ના એક ગામમાં
કુટુમ્બ
- માતા – જેવાબાઈ
- પત્ની – કબૂબાઈ ; પુત્ર – નગીનભાઈ
વ્યવસાય
અવસાન
જીવનઝરમર
- વિશિષ્ટ કથાનકવાળાં અને ટૂંકા સંવાદોવાળાં નાટકો આપ્યાં
- ૧૯૨૩ – એમની દ્વિઅંકી નાટિકા ‘એમાં શું?’ ના ટિકિટનાં ભાવ રૂ. ૧૦૦ !! ‘ જેમાં એમની હળવી રીતે જીવનના ગંભીર પ્રશ્નોની રજુઆત
- ૧૯૩૨ – ‘કોલેજિયન’ અને ‘વાસનાનાં વહેણ’ રજૂ કર્યાં હતાં
- ૧૯૩૨ – ‘ગુજરાત કલામંદિર’ નામની પોતાની નાટક મંડળી શરૂ કરેલી
- ‘રસ ના રાસ’ એમની રસભરી અપ્રકટ મૌલિક કૃતિ
મુખ્ય રચનાઓ
- દ્વિઅંકી નાટિકાઓ – રસ ના રાસ, એમાં શું?
- નાટકો – સોનેરી જાળ, ભિક્ષુકબાબા, ભૂલનો ભોગ, લગ્નબંધન, એ કોનો વાંક, અંધારી ગલી
લાક્ષણિકતાઓ
- બંડખોર અને સુધારાવાદી તરીકે એમની કલમ ઓળખાઈ
- જામન વિષયવસ્તુની દ્રષ્ટિ કશુંક નવું લઈ આવ્યાં એટલું જ નહીં, પરંતુ વ્યવસાયી રંગભૂમિ પર સૌ પ્રથમ વાર દ્વિઅંકી નાટકો લખ્યાં
- એમના નાટકો લોકો સુધી પંહોચ્યાં. એમને કેવળ શબ્દોનું, ભાષાનું વળગણ નથી, એમને ભાષા માટે આદર છે.
- ગુજરાતી પ્રેક્ષક નાટકની ભૂખ એમનાં નાટકોથી યોગ્ય રીતે સંતોષી શકે છે
- એમના દિલમાંથી પીડિત સમાજના ઉદ્ધારની મંગળ કામના ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ શરૂ થાય એ પહેલાં અવતરી છે.
સન્માન
- કરાંચીમાં જસ્ટીસ ચાગલાના વરદ હસ્તે ત્યાનાં નાગરિકોએ એમની નાટ્યપ્રતિભાને બિરદાવવા માનપત્ર આપ્યું
સાભાર
- ‘કુમાર’, જુલાઈ 2001
- ‘હિસ્ટરી ઓફ ગુજરાતી થીએટર’, હસમુખ બરાડી, ભાષાંતરકર્તા-વિનોદ મેઘાણી, ૨૦૦૩
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય