ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વિષ્ણુદેવ પંડિત, Vishnudev Pandit


vishnudev_pandit.jpg

પ્રેરક અવતરણ
‘पुमान् पुमान्  सः परिपातु विश्वतः – વ્યક્તિ-વ્યક્તિ મળીને વિશ્વનું રક્ષણ-કલ્યાણ કરે.’ – ऋग्वेद

‘વત્સ હૃદય, વ્યાઘ્રમુખમ્ ‘ 
– રાધેશ્યામ શર્મ

‘એક મગજ ચલાવનાર પંડિત.’
–  કાકા કાલેલકર

” વેદને તમે કેવળ ધાર્મિક સાહિત્ય ગણીને બાજુ પર ન મૂકો. આ સૌનું સાહિત્ય છે, પ્રજાનું સાહિત્ય છે.”

____________________________________________________________

સમ્પર્ક      ‘ઇશાવાસ્ય’ –  29, ડાહ્યાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ – 380 022

જન્મ

  • 12 માર્ચ, 1915, હલધરવાસ, ખેડા

કુટુમ્બ

  • માતા – ઈચ્છાબા, પિતા – સાંકળેશ્વર દાજીરામ પંડ્યા
  • પત્ની – રમાદેવી ( લગ્ન –1933) ; પુત્રો  – ત્રણ ( હરીશ*, વરદરાજ, -) ; પુત્રીઓ – ચાર ( * જાણીતા લેખક)

અભ્યાસ

  • એમ. એ.
  • વેદાંતાચાર

વ્યવસાય

  • લેખન, વ્યાખ્યાન, સંશોધન કાર્ય

જીવન ઝરમર

  • પંડિતજીની પંદર વર્ષની ઉંમરે રવિશંકર મહારાજે ચાર વેદો ભેટ આપ્યા.
  • “સસ્તું સાહિત્ય કાર્યાલય” માટે પંડિતજીએ ધાર્મિક પુસ્તકો લખ્યાં.
  • વેદના પ્રખર જ્ઞાતા. વેદ સંશોધન પાછળ વર્ષો વીતાવ્યાં.
  • વેદપરિચય પર રસપ્રદ પુસ્તિકાઓ તૈયાર કરી. ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃતના જાણકાર.
  • યોગ, કર્મકાંડ અને આયુર્વેદનું ઊંડું જ્ઞાન.
  • પ્રથમ કૃતિ ‘ધર્મસંદેશ”માં પ્રકાશિત
  • ગીતાધર્મ, નવભારતી, સત્ સંદેશ, સબકો સન્મતિ દે ભગવાન ( સંદેશની પૂર્તિ) નું સંપાદન.
  • કર્મકાંડી બ્રાહ્મણો સાહિત્યકાર ગણે અને સાહિત્યકારો તેમને કર્મકાંડી ગણે
  • ભારત સરકારના ‘વેદ પ્રતિષ્ઠાન’ માટે વેદોનાં હિન્દીમાં ભાષ્ય તૈયાર કર્યા છે.
  • પ્રસિધ્ધ સ્વામી ગંગેશ્વરાનંદજીએ તેમની પાસે વેદસાધના કરી હતી
  • રવિશંકર મહારાજ સાથે જઇને હરિજન વાસમાં પણ કથાઓ કરેલી છે.
  • કનૈયાલાલ મુંશીના પ્રખ્યાત પુસ્તકો ‘કૃષ્ણાવતાર’ તેમની ‘કૃષ્ણકથા’ ના આધાર પર લખાયેલા છે.
  • મૃણાલિની સારાભાઇએ નૃત્યનાટિકા ‘ઋગ્વેદ’ માટે તેમના અનુવાદો વાપર્યા હતા.
  • આકાશવાણી અને ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે.
  • વિદેશમાં પાંચ પ્રવાસ કર્યા છે.

મુખ્ય રચનાઓ    – 150 જેટલા પુસ્તકો !

  • ધાર્મિક –  ચારે ય વેદોનાં ગુજરાતી ભાષ્યો, ગાયત્રીવિષયક ગ્રંથો, જીવનચરિત્રો, વેદપરિચય પુસ્તિકાઓ, યક્ષ અને યુધિષ્ઠિર, નીતિમંજરી આદિ.
  • વાર્તા – કૃષ્ણકથા, શિવકથા, મધુ વાર્તાઓ 
  • ચરિત્ર –  ભગવાન શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ,
  • હિન્દી – ‘वेदोंकी रोचक कथाएं ‘

શોખ

  •  કથા, કીર્તન
  • આયુર્વેદ  

સન્માન

  • વિવિધ પુરસ્કારો ઉપરાંત “વેદવાગીશ”નો ચંદ્રક.

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)

6 responses to “વિષ્ણુદેવ પંડિત, Vishnudev Pandit

  1. bhavankumar ઓક્ટોબર 3, 2007 પર 3:16 એ એમ (am)

    I m Bhavankumar from nadiad, and i have a few questions regarding practical vadic knowledge. I m trying to find out the answers of that since last 6 month, but i m not succed yet. so pls if i get the contact number or email add. of panditji, it will be very helpful for me. so if it possibe pls reply me soon.

  2. Brijesh જુલાઇ 2, 2008 પર 3:15 એ એમ (am)

    My suggetions.

    If you have some questions first read “Gayatri Vignan” by Panditji. Read “Tatva chintamani” by Jaydayal goyandka. And must practice gayatri mantra everyday without fail. it is very important. you can reffer “mantra aur matrukao ka rahasya” also. and best thing is,you are in Nadiad,where shi santaram maharaj and Agnihotri Shukdevji (Shukdevprasad Vyas) can guide you in any field.if u need address pls visit shrikrishnashram.org

  3. Bhushan Pandit નવેમ્બર 12, 2010 પર 2:00 એ એમ (am)

    Thanks Suresh bhai for uploading Dada’s Parichay.

  4. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: અનુક્રમણિકા – વ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: