

વ્યવસાયે તબીબ એવા શબ્દબ્રહ્મના ઓલિયા ઉપાસક ! સાબરકાંઠાની બહુમુખી પ્રતિભા!
પ્રેરક અવતરણ –
न हि कल्याणकृत् कश्चित् दुर्गतिम् तात गच्छति ।
( કલ્યાણને માટે કરેલું કોઇ કામ દુર્ગતિને પામતું નથી. )
” અમે નથી અળવીતરા, તોયે લોક કહે તે માનો.
આજ અમારી હોય ભલે ના, કાલ અમારી જાણો.”
” રાજકારણ એવું વળગણ છે કે, મને ‘પાયમાલ’ કરી મૂક્યો છે, છતાં હું તેનાથી દૂર રહી શક્યો નથી ! ”
( આમ જાહેરમાં પ્રામાણિકતાથી કહેનાર કેટલા હશે?)
” राष्ट्र नकशोंमें ढल सकता है, मानवता नहीं । ”
# તેમની એક વાર્તા (અંગ્રેજી અનુવાદ)
_____________________________________________________________
સંપર્ક 1) ધરતીનાં છોરુ પ્રતિષ્ઠાન, તલોદ, જીલ્લો સાબરકાંઠા
2) ‘શાંતાયનમ્’ 5, જનતા સોસા. પ્રાંતિજ, 383 205 ( જિ. સાબરકાંઠા)
જન્મ
- 3 મે, 1949; ખેરાળુ, જિ. મહેસાણા
કુટુંબ
- માતા – સૂરજબા (હુજીમા) , પિતા – નાથુભાઈ
- પત્ની – શાન્તા( લગ્ન – 1970)
અભ્યાસ
- એમ. બી. બી. એસ. – મહારાજા સયાજીરાવ યુનિ. (વડોદરા)
- રાષ્ટ્રભાષા રત્ન (વર્ધા)
વ્યવસાય
- તલોદની સાર્વજનિક હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર
- પછી સ્વતંત્ર તબીબી પ્રેક્ટિસ શરૂ કરી.

જીવનઝરમર
- પ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ ચાંદની માસિકમાં ટૂંકી વાર્તા ‘જટાળો ભૂત’
- ત્રણ ભાષાઓ ઉપરાંત સંસ્કૃત પણ જાણે છે.
- દૈનિક જનસત્તામાં કટાર લખવી શરૂ કરી. કાવ્યો લખ્યાં. 1981માં બે નવલકથાઓ પ્રકાશિત થઈ.
- ચિત્રકળામાં ભારે રસ, સ્પર્ધાઓમાં પુરસ્કારો મેળવ્યા
- 1962 -13 વર્ષની ઉમ્મરે વોર્સો – પોલે ન્ડમાં બાળચિત્ર સ્પર્ધામાં ઇનામ મેળવ્યું હતું.
- નવલિકાઓ, કાવ્યો વગેરેની રેડિયો પર રજૂઆત
- તબીબી વ્યવસાય, રાજકીય પ્રવૃત્તિઓ અને લેખન વચ્ચે સંતુલન જાળવી જીવન જીવતા ડોક્ટર લેખક
- લગ્નસંસ્થાના વિરોધી !
- સામાજિક રૂઢિઓ, બાધા, પૂજા, ગુરુપ્રથા વિ. માં અવિશ્વાસ – માનવ ધર્મના હિમાયતી
શોખ
રચનાઓ – કુલ 16 પુસ્તકો
- નવલકથા – વનવનનાં પારેવાં, જોબનવન, , સૂરજ બુઝાવ્યાનું પાપ, મજબૂરી, હોળાષ્ટક, મેડમ, ઉધઈ, લેડીઝ હોસ્ટેલ, કામાંધ કેસરી (કુલ – 11 )
- વાર્તા – પ્રાતઃરુદન
- હિન્દી -ઉધઈનું જાતે કરેલું હિંદી રુપાંતર ‘દીમક’ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત
- લેખ – એક ઘર જોયાનું યાદ
- રેખાચિત્રો – પાંખ વિનાનાં પંખેરુ
સન્માન
- દૈનિક, સામયિકો, વાર્તાસ્પર્ધાઓમાં ઈનામો
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય
Keshubhai
Thoda divas pahela j tamaro interview door darshan pr nihalel, aapne contemporary art gallery na mara pradarshan time ma malel….
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
સર …… આપનો કોઈ કોન્ટેક નંબર આપો આભાર…સહ…