પ્રેરક અવતરણ
“જેમ ડુંગળીનાં ફોતરાં ઉતારતાં ઉતારતાં કેવળ છોંતરાં જ રહે ને કાંઈ સાર નીકળે નહીં; તે જ પ્રમાણે વિચાર કરતાં ‘હું’ જેવી કોઈ ચીજ મળશે નહીં. બાકી જે રહે તે જ આત્મ – ચૈતન્ય.”
– રામકૃષ્ણ પરમહંસ
“તલવારના ઘા પર ઘા કર્યે જાઓ દોસ્તો!
હું ટટ્ટાર ઊભો છું, પાણીના સ્તંભની જેમ.”
” મને થયેલ અન્યાય માટે
આખું બ્રહ્માંડ સાંભળે એટલી મોટી મેં ચીસ પાડી હોત.
પણ તો મારી કવિતા નષ્ટ થઈ જાત.”
“ ફુલોની પાંડુલિપિ સવારની સાડી પર ભરતકામ કરી રહી છે.
વરસાદથી ભીંજાયેલી પાંખો પસવારીને
પંખીઓ નિતાંતને કોઈ શુભ સંદેશ આપી રહ્યાં છે.”
– એક ગદ્ય કાવ્ય
“ દુનિયાનો કોઈપણ મુકદ્દમો ચાલે છે ત્યારે બહારના અને અંદરના યશવંત વચ્ચે જ ચાલે છે.”
– પ્રો. અમૃત ઉપાધ્યાય
# એક રચના
____________________________________________________________
સમ્પર્ક 2-એ, વાટિકા, બાપ્ટિસ્ટા રોડ; વિલે-પાર્લે( પશ્ચિમ) , મુંબાઈ- 400 056
જન્મ
- 16, સપ્ટેમ્બર- 1934; પાલીતાણા
- વતન – મહુવા
કુટુમ્બ
- માતા– રંભાબેન; પિતા– રામશંકર
- પત્ની– જ્યોત્સ્ના( લગ્ન- 1960, મુંબાઈ) ; સંતાન – એક પુત્ર, બે પુત્રી
અભ્યાસ
- 1956 – અર્થશાસ્ત્ર / આંકડાશાસ્ત્ર સાથે બી.એ.
- 1965 – ગુજરાતી સાથે એમ.એ.
- 1979 – પી,એચ.ડી.
વ્યવસાય
- મુંબાઈ યુનિ. ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ
જીવનઝરમર
- પ્રેરણામૂર્તિ – પરમાત્માનું નારીસ્વરૂપ
- ‘બોદલેર’ ઉપર પી.એચ.ડી. કરેલું છે.
- પ્રથમ મૌલિક, પ્રકાશિત કૃતિ –‘ એ સૂરજ ઊગે’ વાર્તા
- અનેક વાર આકાશવાણી પર કાર્યક્ર્મો આપ્યા છે.
- પાઠપૂજા, ક્રિયાકાંડમાં, વર્ણાશ્રમમાં માનતા નથી.
- માનવધર્મ કરતાં કશું જ ઓછું અસ્વીકાર્ય.
- ન્યાય અને સત્ય માટે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા; પ્રતિબદ્ધતા વિષે 80 પાનાંનો લેખ અને 50 જેટલાં કાવ્યો લખેલાં છે.
- ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.\
- યુરોપ, અમેરાકા, કેનેડા વિ. દેશ અને ભારતમાં અનેક પ્રવચનયાત્રાઓ કરેલી છે. 3000 જેટલાં પ્રવચનો કરેલાં છે.
- પ્રદ્યુમ્ન તન્ના અને પ્રિયકાન્ત મણિયાર ખાસ મિત્રો
રચના – 55 પુસ્તકો
- કવિતા– ક્ષિતિજને વાંસવન, પરિપ્રશ્ન, પરિદેવના, પશ્ચિમા, આશ્લેષા; પરિશેષ – તેમના 100 પ્રતિનિધિ કાવ્યોનું પ્રમોદકુમાર પટેલે કરેલું સંપાદન; પ્રલંબિતા- તેમનાં 76 કાવ્યોનો પ્રો. રમેશ શુકલે સંપાદિત કરેલ સંગ્રહ
- નિબંધ– થોડીક વસંત, થોડાંક ભગવાનનાં આંસુ ( ગદ્યકાવ્ય/ લલિતનિબંધ), અહિંસાનું દર્શન, મન અને પરબ્રહ્મ, પ્રેમધર્મનું જાગરણ, પૂર્ણતાનું આચ્છાદન
- વિવેચન– ઈષિકા, અશેષ આકાશ
- પ્રવાસ – ગ્રુસડાઈન ગોટ
- સંપાદન – 12 પુસ્તકો; કવિતાનો આનંદકોશ, ઝુમ્મરો, ગાંધીકવિતા, સ્વાતંત્ર્યોત્તર કવિતા
- સંશોધન – કાવ્યની પરિભાષા
- વ્યાકરણ– ભાષાવિહાર
- અનુવાદ – પ્રતિયુદ્ધ કાવ્યો, પાબ્લો નેરૂદાની કવિતા, આંતરરાષ્ટ્રીય કવિઓ
- અંગ્રેજી – Selected poems, Gujarati- language and literature, The beacon light
- પ્રકીર્ણ – ઈન્ટરવ્યૂ
સન્માન
- 1878- સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ
- સંત તુકારામ નેશનલ એવોર્ડ
- ગુ.સા. પરિષદ એવોર્ડ
- પાંચ વાર સાહિત્ય અકાદમી એવોર્ડ
- ‘કવિલોક’ પ્રથમ પારિતોષિક
- કુલ 16 એવોર્ડ/ પારિતોષિક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર, રાદ્ગેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ , ભાગ -2
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: ગીત મને કોઈ ગોતી આપો - યશવંત ત્રિવેદી « કવિલોક
Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય