ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયંતિલાલ દવે, Jayantilal Dave


ઉંઝા આધારીત ‘સરળ’ જોડણીમાં 

jayantibhai-dave.jpg

જીવનમંત્ર
       ગામડું, ગાય ને ગરીબની સેવા

સંકલીત કહેવતો

_______________________________________________________________

ઉપનામ

  • માણીગર

જન્મ

  • 15 ઓગસ્ટ- 1932; સરધાર ( જી. રાજકોટ)

કુટુમ્બ

  • માતા – સરસ્વતીબેન ; પીતા – સોમનાથ
  • પત્ની – જ્યોત્સ્નાબેન( લગ્ન – 1960, હળવદ) ; પુત્રો – મનીશ, જગદીપ

અભ્યાસ

  • છ ધોરણ સુધી સરધારની પ્રાથમીક શાળામાં
  • 1950 – મેટ્રીક – અસારવા, અમદાવાદ ( મામાને ઘેર)
  • 1959 – લોકભારતી, સણોસરામાંથી ક્રુશીસ્નાતક
  • 1968 – સી.એન. વીદ્યાલય, અમદાવાદમાંથી જી.બી.ટી.સી.

વ્યવસાય

  • મેટ્રીક બાદ છ વર્શ પી.ડબલ્યુ.ડી. ની ઓફીસમાં કારકુન
  • શ્રીમતી માણેકબા વીનયવીહાર અને અધ્યાપન મંદીર, અડાલજ માં શીક્ષણ કાર્ય

જીવન ઝરમર

  • બાળપણમાં ઘેર ગાયો હતી અને ત્યારથી ગૌસેવાનો રંગ લાગ્યો.
  • ગૌસેવાનું વ્રત લીધું હતું માટે મેટ્રીક બાદ ગોસંવર્ધન કેન્દ્ર, પીપર ( વર્ધા) ખાતે ગોપાલનનું શીક્ષણ લેવા ગયા, પણ નીર્ભ્રાંત થઈ અઢી મહીનામાં જ તે છોડી દીધું.
  • મામાને ઘેર વીશેશ વાંચન અને ગાંધીજીના ઉપદેશોની તીવ્ર અસર.
  • હાઈસ્કુલમાં હતા ત્યારથી જ કાવ્યો લખવાની શરુઆત
  • મેટ્રીક બાદ રાજકોટમાં નીવાસ અને ઘરની પરીસ્થીતીને કારણે નોકરી
  • રાજકોટમાં શ્રી જયંત કોઠારીના સમ્પર્કમાં આવ્યા. તેમણે લેખનનો નાદ જગાવ્યો. જીવનભર તે મૈત્રી ટકી.
  • ત્યાં જ કનુભાઈ જાનીના સમ્પર્કમાં આવ્યા.
  • લોકભારતીમાં હતા ત્યારે કેન્દ્ર સરકારના સર્ટીફીકેટ કોર્સ કર્યો અને આખા ભારતમાં પ્રથમ આવ્યા.
  • અડાલજમાં શીક્ષણની સાથે ગૌશાળાનું એકલે હાથે સંચાલન. ખેતી અને પશુપાલનનો અનુભવ પણ લીધો.
  • તેમની ગાય રતને ચોવીસ કલાકમાં 22.7 લીટર દુધ આપી કાંકરેજી ગાય્નો રેકોર્ડ તોડ્યો. રતન અને માલતી ગાયોએ પાંચ વર્શ ઓલ ઈંડીયા પ્રથમ આવીને વીક્રમ સર્જ્યો.
  • આ સાથે અડાલજમાં લોકસાહીત્યનો ઉંડો અભ્યાસ કર્યો.
  • નીવ્રુત્ત જીવનમાં જનસેવાર્થે આયુર્વેદ અને મુત્રચીકીત્સાનો અભ્યાસ કર્યો અને સફળ ઉપચાર પણ કર્યા.
  • અખીલ ભારત વનસ્પતી સંશોધન મંડળ અને ધન્વન્તરી પરીવારના સભ્ય. બાપાલાલ વૈદ્ય અને બીજા વૈદકશાસ્ત્રના નીશ્ણાતો સાથે ભારત અને નેપાળના જંગલો ખુંદ્યા છે.
  • હરિ ઑમ આશ્રમ અને સ્વ. શ્રી. મકરંદ દવેના સાન્નીધ્યમાં યોગસાધના
  • ઉંઝા જોડણીના સમર્થક
  • હાલ ડલાસ, ટેક્સાસ, અમેરીકા ખાતે નીવાસ; અભ્યાસ અને લેખન ચાલુ જ છે.

રચનાઓ –  75 પુસ્તકો

  • કવીતા – ડાંગરનો દરીયો
  • લોકસાહીત્ય/ સંપાદન – ઉત્તર ગુજરાતની લોકવાર્તાઓ *, સૌરાશ્ટ્રનાં લગ્નગીતો , સૌરાશ્ટ્રની લોકવાર્તાઓ, બનાસકાંઠાના લોકસંસ્કાર
  • બાળસાહીત્ય – ઘમ્મ વલોણા ઘમ્મ* , ગાતાં ફુલડાં, ચાલો વ્રુક્ષોને મળીએ, જુદી જુદી બાળરમતો, દરીયામાં દવ
  • ચરીત્ર – બુદ્ધ જયંતી*, મહાવીર જયંતી,

સન્માન

  • *સાહીત્ય અકાદમી તરફથી એવોર્ડ

સાભાર

  • ગુજરાતી સાહીત્ય કોશ , ખંડ -2
  • તેમના પુત્ર મનીશ અને જગદીપ દવે

13 responses to “જયંતિલાલ દવે, Jayantilal Dave

  1. Pingback: ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો - 1 « ગદ્યસુર

  2. Pankaj Thakkar ડિસેમ્બર 14, 2007 પર 10:38 એ એમ (am)

    Dear Suresh Bhai,

    Thanks to publish his information.
    We (I) did not know the person is still young & is a letratuer lover. I will see him and have some more details chat next time when we see each other.

    Pankaj

  3. Pingback: કંકણ કોમળ કોમળ રણકે !! « આપણા મલકમાં

  4. Rajen Patel ડિસેમ્બર 14, 2007 પર 3:47 પી એમ(pm)

    sureshbhai,

    i had some very basic idea about shri Jayantibhai from my conversation with manishbhai (his son). manishbhai, being modest, gave the background in couple of sentences. the parichay provided by you here gives much more detailed outlook at his great life. i have spoken to Jayantikaka at swadhyay kendra couple of times and the conversation was centered around the whereabouts of gandhinagar – it being our hometown in india for past several years. next time i see him, our conversation will get into a greater depth – more on the line of his life experiences.

    thank you for all your efforts in keeping our great sahitya alive.

    rajen patel

  5. મગજના ડોક્ટર ડિસેમ્બર 14, 2007 પર 10:02 પી એમ(pm)

    I ENJOYED AND TOOK LIBERTY TO PUT MR.JANTILAL DAVE IN THE “HASYADARBAR”.
    BHAI SURESH,
    BRING MORE GUJARTI IN GUTIBLOGERS AND LET THE SURFERS ENJOY YOUR WORK ALL OVER THE EARTH.

  6. Jay Gajjjar ડિસેમ્બર 14, 2007 પર 11:12 પી એમ(pm)

    Dear Sureshbhai,
    Namaste. Enjoyed Jayantbhai article. You are right at 76 also man can be young if he is active and young at heart. Sometimes people don’t know their neighbours!
    Long live Jayantibhai and Sureshbhai who has enlightened many VIBHUTIES.
    Regards
    Jay Gajjar, Mississauga, Canada

  7. Pingback: ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો - 2 « ગદ્યસુર

  8. Pingback: અનુક્રમણિકા - જ « ગુજરાતી સારસ્વત પરિચય

  9. Sandeep જાન્યુઆરી 19, 2008 પર 8:25 એ એમ (am)

    Dear Sureshbhai,

    We feel deeply greatful for these efforts of yours in bringing the great people in the knowledge of many those who do not have direct contact.

    many thanks and best wishes

  10. kruti. જાન્યુઆરી 20, 2008 પર 1:37 એ એમ (am)

    dear suresh uncle,
    we kruti and rudri being his grand daughters feel proud by supurb work done by you, by publishing the profile of such a honoured person..of gujrati sahitya..
    we rare very thank ful to you for this….

  11. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment