નામ
રણછોડજી અમરજી દીવાન
જન્મ
સંવત ૧૮૨૫ના આસો સુદ ૧૦ (ઇ.અ. ૧૭૬૯)
અવસાન
સંવત ૧૮૯૮ના ફાગણ વદ ૬ (ઇ.સ. ૧૮૪૨)
કુટુંબ
પિતા – અમરજી દીવાન (જૂનાગઢ રાજ્યના દીવાન)
માતા – ખુશાલબાઇ
મોટાભાઇ – રઘુનાથજી
પુત્ર – શંકરપ્રસાદ
જીવનઝરમર
- તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર હતાં.
- પિતા અમરજી બાદ તેઓ જૂનાગઢ રાજ્યના દીવાન બન્યા હતાં.
- તેઓ નાનપણથી જ વિદ્યાવિલાસી હતા.
- તેઓ શૂરવીર પણ હતાં. કેશોદના રાયજાદા અને કચ્છના લશ્કરને તેમણે હરાવ્યું હતું.
- તેઓ પાછળથી જૂનાગઢ છોડી જામનગરમાં સ્થાયી થયા હતાં. તેમને આટકોટ અને પડધરીના પરગણાં જીવાઇમાં મળેલા.
- તેમને કોઇ પુત્ર ન હતો. આથી તેમણે પોતાના દોહિત્રને દત્તક લીધો હતો.
- ફારસી, વ્રજ, ગુજરાતી એમ ત્રણ ભાષામાં તેમણે રચનાઓ કરી છે.
રચના
- ફારસી ભાષામાં – તવારીખે સોરઠ અને રુકાતે ગુનાગુન
- વ્રજ ભાષામાં – શિવરહસ્ય, કાલખંજ આખ્યાન, શંખચૂડ આખ્યાન, કુવલયાનંદ, દક્ષયજ્ઞભંગ, શિવરાત્રી માહાત્મ્ય, ઇશ્વરવિવાહ, જાલંધર આખ્યાન, અંધકાસુર આખ્યાન, શિવસાગરકીર્તન, ભરુમાંગદ આખ્યાન, ભક્તમાળ, બુઢેશ્વરબાવની, ત્રિપુરાસુર આખ્યાન, કામદહન આખ્યાન.
- ગુજરાતી ભાષામાં – શિવગીતાની ટીકા, દ્રવ્યશુદ્ધિ,શ્રાદ્ધનિર્ણય, વિહારીશતસાઇ, વિશ્વનાથ ઉપરનો પત્ર, ઉત્સવમાલિકા, નાગરવિવાહ,સૂતકનિર્ણય, સોમવારમાહાત્મ્ય, બ્રાહ્મણની ચોરાસી નાત, ચંડીપાઠના ગરબા.
સંદર્ભ
- પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યક્રુતિઓ ઃ સં. રમણિક દેસાઇ
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ર « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય