“બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;
પગલે પગલે પીડે મુજને, પ્રેમનો કાંટો રે.”
___
“કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે।
રીસતણો રસ જાણિએ, હલાહલ તોલે કડવાં ”
___
“અજબ બની આહીરડી, મલપતી મોહન વેલ,
રૂપે રંભ હરાવતી, ગજપતિ ચાલે ગેલ.”
નામ
મુનિ ઉદયરત્ન
જન્મ
આશરે ઇ.સ. ૧૬૯૩માં
અવસાન
આશરે ઇ.સ. ૧૭૪૩માં
જીવનઝરમર
- તેઓ ખેડા ગામના વતની હતાં.
- તેઓ જૈનસંપ્રદાયના દિક્ષીત સાધુ હતા.
- તેમણે આશરે ૧૪ જેટલા રાસ રચ્યા છે. એમાં એમણે પ્રચલિત લોકગીતોની વિવિધ રાગરાગણીનો ઉપયોગ કર્યો છે.
- તેમની ભાષા વધારે ઝડઝમકવાળી છે. તેમનાં કેટલાક વર્ણનો પ્રવાહી અને તાદશ છે.
- તેમણે છંદ, બારમાસા, સ્તવન, સઝાય સ્વરૂપની અનેક કૃતિઓ રચી છે.
રચનાઓ
- જંબુસ્વામી રાસ, રસરત્નાકર, હરિવંશરાસ, લીલાવતી રાસ, સુમતિવિલાસ રાસ, સ્થૂલિભદ્ર રાસ વગેરે
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનિ ઇતિહાસ ઃ ગ્રંથ ૨ ખંડ ૨.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય