“તે ચાહે તો કંગાલને આપે રાજ – લીએ શહેનશાહોને માથેથી તાજ…
જેની પર તે શાહેબની થાએ મહેર મીઠાઇ જેવું લાગે તે ખાએ જો; જેહર”
___
“પરથવીના કાબેલો તેના ચેલ એ એક દરીઆ ને તે શઉ રેલા.”
___
“નબલાઓનો ભુખે થાઓ હેવો હાલ, લાગી નીકલવા દીવ પરથી ખાલ”
___
નામ
કવિ નશરવાનજી ટેહમુલજી આશાવઇદ
ઉપનામ
દુરબીન
જન્મ
આશરે ઇ.સ. ૧૮૧૨માં મુબઇ ખાતે
અવસાન
આશરે ઇ.સ. ૧૮૪૭
જીવનઝરમર
- મધ્યકાલિન પારસી સાહિત્યના અંતિમ કવિ એવા આ કવિ માત્ર ૩૫ વર્ષે અવસાન પામ્યા હતાં.
- તેઓ ગુજરાતી, ફારસી અને અરબી ભાષાના અભ્યાસી હતાં.
- તેમણે ‘અરેબિયન નાઇટ્સ’નો ફારસી અને ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે.
- પોતાની ૨૪ વર્ષની વયે ‘ગુલજાતે નશીહત ઇઆને નશીહતનો બાગ’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો હતો.
- ઇ.સ. ૧૮૫૧-૫૩ના ‘જગતપરેમી’ નામના માસિકના અંકોમાં ;દુરબીન’ પ્રેસમાં છપાયેલા ચિત્રો જોવા મળે છે. આથી આ કવિ પોતાનું છાપખાનું ચલાવતા હોવાનો પણ સંભવ છે.
- અમર કવિ અમીર ખુસરોના ફારસી કાવ્ય ‘ખઇઆલાતે ખુસરવી’નો અનુવાદ પણ તેમણે કર્યો છે.
- કવિએ મુંબઇનિ નામાંકિત પારસી વ્યક્તિઓના જીવનમાં બનેલા મહત્ત્વના પ્રસંગોને આધારે મૌલિક કાવ્યકૃતિઓની રચના પણ કરી છે.
- તેમનિ રચનામાં પારસી બોલી અને ગુજરાતી ભાષાનો અદભૂત સમન્વય જોવા મળે છે.
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૨, ખંડ ૨
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય