નામ
ધર્માનંદ કોસંબી
જન્મ
ઓક્ટોબર ૯, ૧૮૭૬ ; સંખવાલ, ગોવા
અવસાન
૨૪ જૂન, ૧૯૪૭
કુટુંબ
- પિતા – દામોદર કોસંબી
- પત્ની – બાલાબાઇ
- પુત્રી – માણિક
- પુત્ર – દામોદર
અભ્યાસ
- કાશી, નેપાલ, કલકત્તા, શ્રીલંકા (વિદ્યોદયા યુનિવર્સીટી) , રંગૂન
વ્યવસાય
- કોલકાતા યુનિવર્સીટીમાં રીડર તરીકે
- સંશોધન ફેલો તરીકે વડોદરામાં
- પ્રાધ્યાપક – ફર્ગ્યુસન કૉલેજ, પુણે
- હાવર્ડ યુનિવર્સિટી તથા લેનીનગ્રાડ યુનિવર્સિટી (રશિયા) ખાતે પ્રાધ્યાપક
- ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે
જીવનઝરમર
- મૂળ ગોવાના વતની એવા ધર્માનંદ કોસંબીની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી છે.
- તેઓ ગાંધીવિચારના રંગે રંગાયેલા હતાં.
- સત્ય, અહીંસા, અસ્તેય, અપરિગ્રહ વગેરે તત્ત્વો પર આધારીત પાર્શ્વનાથ ચાતુર્યામનો તેમના પર પ્રભાવ હતો. પાછળથી રંગૂન જઇને બૌદ્ધ સંપ્રદાયની દીક્ષા લીધી.
- પાલીના ઉત્તમ અધ્યાપક તથા બૌદ્ધ ધર્મશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે તેઓ પ્રકીર્તીત છે.
- ઇ.સ. ૧૯૨૨માં અમેરીકાથી પાછા ફર્યા તથા ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા.
- આ સમયગાળા દરમિયાન લેખનકાર્ય દ્વારા લેખક તરીકે નામના મેળવી.
- ગુજરાતી ભાષામાં બૌદ્ધ સંપ્રદાયના સિદ્ધાંતો, નીલશાસ્ત્ર, સાહિત્ય વગેરે રજૂ કરવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે.
- ત્યારબાદ તેઓ અમેરિકા અને રશિયા પણ ગયા.
- ઇ.સ. ૧૯૩૦માં તેમણે દાંડીયાત્રામાં પણ ભાગ લીધો.
- ઇ.સ. ૧૯૪૭માં સેવાગ્રામ આશ્રમમાં એમનું અવસાન થયું.
રચના
- બુદ્ધ, ધર્મ અને સંઘ, બુદ્ધલીલા, બુદ્ધલીલાસારસંગ્રહ, ધમ્મપદ (રા.વિ. પાઠક સાથે), બૌદ્ધસંધનો પરિચય, સમાધિમાર્ગ, જાતકકથાસંગ્રહ, પચાસ ધર્મસંવાદો, સુત્તનિપાત, હિન્દી સંસ્કૃતિ, બુદ્ધચરિત્ર, અભિધર્મ, શ્રી શાંતિદેવાચાર્યકૃત બોધિચર્યાવતાર, બોધિસત્ત્વ, ધર્મચક્રપરિવર્તન, આત્મકથા.
- આત્મકથા – આપવીતી
સંદર્ભ
Like this:
Like Loading...
Related
સાવ નવો જ પરિચય. અમદાવાદમાં વતન હોવા છતાં એમની કશી ખબર જ ન હતી.
ફુલ વિકી વિશે આજે જ જાણ્યું . આભાર.
નેટ તો મહાન ખજાનો છે.
Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય