નામ
મોહનલાલ તુલસીદાસ મહેતા
ઉપનામ
સોપાન
જન્મ
૧૪ ઑક્ટોબર ૧૯૧૦ ; ગામ – ચકમપર, મોરબી
અવસાન
૨૩ એપ્રિલ ૧૯૮૬
કુટુંબ
- પિતા – તુલસીદાસ
- માતા – શિવકુંવર
અભ્યાસ
વ્યવસાય
- ૧૯૪૦ થી ૧૯૬૧ સુધી ‘જન્મભૂમી’ના તંત્રી
- સુકાની, જીવનમાધુરી, અભિનવ ભારતી આદી સામાયિકોમાં પત્રકાર.
- અખંડઆનંદના સંપાદક તરીકે તેનો ફેલાવો વધારવામાં ફાળો આપ્યો.
જીવનઝરમર
- સાત વર્ષની ઉંમરે માતા ગુમાવ્યા અને દસ વર્ષની ઉંમરે પિતાને અંધાપો આવ્યો.
- અભ્યાસ અધૂરો મૂકી પિતાની અનાજ-કરિયાણાની દુકાન સંભાળવી પડી.
- અનહદ જ્ઞાનપીપાસાને કારણે વાંચન હંમેશા ચાલુ રાખ્યું.
- ૧૯૩૦ના સત્યાગ્રહ આંદોલન વખતે ત્રણ વર્ષનો કારાવાસ. તે દરમિયાન અંગ્રેજી શીખ્યા, રાજકારણ અને અર્થકારણનો અભ્યાસ કર્યો.
- આઝાદીની લડત વખતે શૌર્યગીતો રચી પ્રજામાં જાગૃતિ લાવ્યા. મેઘાણીએ તેમને યુદ્ધકવિનું બિરુદ આપ્યું.
રચનાઓ
- નવલકથા – સંજીવની, પ્રાયશ્ચિત્ત (ભાગ ૧ અને ૨), મંગલમૂર્તિ, જાગતા રે’જો, વનવાસ, ફૂટેલા સુવર્ણપાત્રો, કન્યારત્ન (ભાગ ૧ અને ૨), ઉઘાડી આંખે (ભાગ ૧ અને ૨)
- ટૂંકીવાર્તા – અંતરની વાતો, અંતરની વ્યથા, ઝાંઝવાનાં જળ, અખંડ જ્યોત, ત્રણ પગલાં, વિદાય
- જીવનચરિત્ર – નેતાજી ઃ જીવન અને કાર્ય, પરમ પૂજ્ય બાપુ, ભિક્ષુ અખંડઆનંદ.
- રાજકારણ, ચિંતન, પ્રવાસવર્ણનના વિસેક પુસ્તકો
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬
‘
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
નીચેની લિંક પ્રમાણે ‘સોપાન’ સાહેબનો જન્મ ૧૪ જાન્યુઆરીએ થયેલ છે. એમનો સાચો જન્મનો મહિનો કયો?
http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Mohanlal-sopan-Mehta.html
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય