ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુણવંત ઉપાધ્યાય, Gunvant Upadhyay


નામ

ગુણવંત ઉપાધ્યાય

જન્મ

૯ મે ૧૯૪૯ ; ખાંભા – જિ. અમરેલી

કુટુંબ

  • પિતા – રામશંકર ઉપાધ્યાય
  • માતા – કંચનબહેન ઉપાધ્યાય
  • પત્ની – ઊર્મિલા ઉપાધ્યાય (લગ્ન – ઇસ ૧૯૭૨)
અભ્યાસ
  • પીસીએ, FWAI – ચેન્નાઇ
વ્યવસાય
  • દૂરસંચાર કર્મચારી
પુરસ્કાર
  • બાબુભાઇ પટેલ ગઝલ એવોર્ડ (૧૯૯૮-૯૯)
  • ઝવેરચંદ મેઘાણી (૨૦૦૧-૦૨)
રચનાઓ
  • કાવ્યસંગ્રહ – સિસ્મોગ્રાફ, ઉત્ખનન,યથાવત, ફૂલની શાહી સવારી
સંપર્ક
  • બી ૫/૬, ૠષભ અપાર્ટમેન્ટ, ન્યુ એરપોર્ટ માર્ગ, મુનિડેરી, ભાવનગર – ૩૬૪૦૦૧.
સંદર્ભ
  •  સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ ૯

3 responses to “ગુણવંત ઉપાધ્યાય, Gunvant Upadhyay

  1. Pingback: અભ્‍યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ

  2. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. pragnaju મે 6, 2021 પર 9:12 એ એમ (am)

    ગીત; ગઝલ; છાંદસ; અછાંદસ કવિતાઓ.

    વિવેચન; આસ્વાદ; શોધનિબંધો;પ્રસ્તાવનાઓ અને હિન્દુસ્તાની- (હિન્દી- ઉર્દૂ)ગઝલો લખી છે.

    જન્મસ્થળ:– ખાંભા ( જિ.અમરેલી)

    જન્મ: 09..05..1949

    સાત કાવ્ય- ગઝલસંગ્રહ

    બે વિવેચન– અભ્યાસગ્રંથો

    છએક સંપાદનો.

    1989 થી 1999 પગદંડી દૈનિકની પૂર્તિઓના સહસંપાદક તરીકે સેવા આપી. એ દરમિયાન લગભગ અઠવાડિયામાં ત્રણ કોલમ લખાતી…

    નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
    એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.
    રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
    તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.
    જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
    હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.
    અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
    ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.
    એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
    આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.
    – ગુણવંત ઉપાધ્યાય
    ઘણી યે વાર એવું થાય કે અપવાદ થઈ જઈએ,
    નિયમની ભારના અક્ષર લખી નિર્નાદ થઈ જઈએ.

    કશું પણ ભાર કે અંદર નથી હોતું, ન હોવાનું;
    અસલ અસ્તિત્વનું સ્પષ્ટીકરણ એકાદ થઈ જઈએ.

    સતત છું દાવમાં ને દાવ પણ આપ્યા સતત કરતો,
    ન ઈચ્છા દાવ લેવાની, ભલે બરબાદ થઈ જઈએ.

    સ્વયં પોતે જ રમતું હોય એવું છું રમકડું તો,
    ઘડીભર કોઈ માટે મામૂલી મરજાદ થઈ જઈએ.

    નથી કોઈ એવું સ્થળ પહોંચી જ્યાં તમે કહેશો,
    ફક્ત એકાર્ધ ક્ષણ માટેય તો આઝાદ થઈ જઈએ.

    જરૂરી આમં તો ઉકેલવી છે આંખ પોતાની,
    સમયનાં વ્હેણના સાક્ષી મટી ફરિયાદ થઈ જઈએ.

    સમયમાં કે સ્વયંમાં આખરે ‘ગુણવન્ત’ અટવાતાં,
    અદબને છોડી આદમકદ ઊંચા ઉસ્તાદ થઈ જઈએ.

    +
    બહું થયું કિરતાર,
    હવે તો બહું થયું કિરતાર
    વહેણ વચાળે ડૂબવા લાગ્યા લોકો અપરંપાર !
    હવે તો બહું થયું કિરતાર !
    સુખદુઃખનાં પલ્લામાં પગને કેમ કરી ટેકવવા?
    મત્સ્યવેધની અહીં અપેક્ષા કેમ કરો ગિરધરવા?
    કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર !
    હવે તો બહું થયું કિરતાર !
    આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી
    ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
    ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર !
    હવે તો બહું થયું કિરતાર !
    – ગુણવંત ઉપાધ્યાય

    કોરોનાની મહામારી ગુજરાતી સાહિત્ય માટે રોજેરોજ વધુ ને વધુ હૃદયવિદારક બનતી જાય છે. વધુ એક કવિ એના ખપ્પરમાં હોમાઈ ગયા. ભાવેણાના કવિશ્રી ગુણવંત ઉપાધ્યાયે કોરોનાના કારણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

    મૃત્યુને જોઈને કવિહૃદય જે સંવેદના અનુભવે એનું આ અન્ય એક ઉદાહરણ છે. ૧૬ એપ્રિલના રોજ કવિએ કોરોનાના કારણે પોતાના નાના ભાઈને ગુમાવ્યો. બે દિવસ પછી ૧૮ એપ્રિલે, કવિએ ભાતૃવિરહમાં આ રચના લખી અને ૨૮ એપ્રિલે તો કવિ પોતે કોરોનાગ્રસ્ત થયા. અને અઠવાડિયાથી ઓછા સમયમાં, ૦૪-૦૫-૨૦૨૧ના રોજ તો કવિ પણ આપણને છોડી ગયા…

    લયસ્તરો તરફથી કવિને નાનકડી શબ્દાંજલિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: