– પ્રોફે. ડૉ.મહેબૂબ દેસાઈ લબ્ધ પ્રતિષ્ઠિત યુવા શોધકર્તા છે. એમને હું વર્ષોથી ઓળખું છું. એમના વિશે મને ઊંચો અભિપ્રાય છે. એમણે ઇતિહાસ તથા સાહિત્યના ક્ષેત્રોમાં સિદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. એમના ઇતિહાસ વિષયક ગ્રંથો ઇતિહાસ ક્ષત્રે ઘણા કિંમતી છે. એમાં એમની વિદ્વતા, અભ્યાસ નિષ્ઠા અને ઉદ્યમ પરાયણતા સુપેરે દ્રશ્યમાન થાય છે. એમના વિચારો ઘણા પરામાર્જીત છે. તથા ભારતીય સંસ્કૃતિ,સભ્યતા અને ચિંતનના ક્ષેત્રે એમનું વાંચન ઊંડું અને વિશાળ છે. ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા એઓ બજાવી રહ્યા છે.એ મારે મન આનંદનો વિષય છે. આ ઉપરાંત એ ઓ ઉદારમતવાદી મુસ્લિમ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ ધરાવે છે એ સરાહનીય છે.
– કે.કા. શાસ્ત્રી
– તેમના બ્લોગ
– વર્ડપ્રેસ પર – ; – બ્લોગસ્પોટ પર –
—————————————————-
સમ્પર્ક
- કાર્યાલય – ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- રહેઠાણ – ૩૦૧ ડી, રોયલ અકબર રેસિડન્સી, સરખેજ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૫
- સમ્પર્ક
જન્મ
- ૫ જાન્યુઆરી ૧૯૫૩; અમદાવાદ
કુટુમ્બ
- પિતા – ઉસ્માનભાઈ હુસેનભાઈ; માતા- હુરબાઈ
- પત્ની – સાબેરા; પુત્ર – ઝાહિદ; પુત્રી– કરિશ્મા
અભ્યાસ
- ૧૯૭૬- એમ. એ.
- ૧૯૯૨ – પીએચ. ડી.(ઇતિહાસ)
વ્યવસાય
- પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
- ૨૦૧૬ થી – પ્રોફેસર/ હેડ ઓફ ડિપા. – ઈતિહાસ અને સંસ્કૃતિ – ગુજરાત વિદ્યાપીઠ
તેમના વિશે વિશેષ
- અનેક સેમિનારો–કોન્ફરન્સોમાં ૧૦૦ જેટલા શોધપત્રો રજુ કર્યા છે.
- અનેક સેમિનારોમાં ચેરપર્સન તરીકે સેવા આપેલ છે.
- ગુજરાતના મોટા ભાગના અગ્ર વર્તમાન પત્રો ફૂલછાબ,જય હિન્દ, સૌરાષ્ટ્ર સમાચાર, સમભાવ,અને દિવ્ય ભાસ્કરમા (રાહે રોશન) ઇતિહાસ અને ઇસ્લામની કોલમ લખી છે.
- ઇન્ચાર્જ અધ્યક્ષ, સમાજકાર્ય વિભાગ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
- ચેરમેન, ઇતિહાસ અભ્યાસ સમિતિ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
- સભ્ય, એકેડમિક કાઉન્સિલ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
- નિયામક, ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર , ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
- સંયોજક, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ટુરીઝમ, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
- પ્રકાશન અધિકારી, ભાવનગર વિશ્વ વિદ્યાલય,ભાવનગર
- ટ્રસ્ટી, દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા
- વિષય તજજ્ઞ, જાહેર સેવા આયોગ, ન્યુ દિલ્હી
- સભ્ય, હરીઓમ આશ્રમ સર્વધર્મ પ્રકાશન સમિતિ, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભવિદ્યાનગર
- સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, વીર અહીલ્યાબાઈ યુનિવર્સીટી, ભોપાલ
- સભ્ય, સંશોધન તજજ્ઞ સમિતિ, સૌરાષ્ટ યુનિવર્સીટી, રાજકોટ
- સંશોધક તજજ્ઞ, ભારતીય ઉચ્ચ સંશોધન સંસ્થાન, સિમલા
- સભ્ય, ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદ
- સભ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદ, જુનાગઢ.
રચનાઓ
- ઈતિહાસ-મહેક, બેતાલીસમાં સૌરાષ્ટ્ર, સ્વાતંત્ર સંગ્રામમા અમરેલી, આવિષ્કાર, ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ અને પ્રજાકીય લડતો, હિન્દોસ્તાં હમારા, ગુજરાતના સ્વાતંત્ર યુગનું આલેખન કરતા આધારભૂત ગ્રંથો, આઝાદીના આશક મેઘાણી, ગુજરાતના નવતર સત્યાગ્રહો,આઝાદીના પગરવ , ગુજરાતની સ્વાતંત્ર સાધના, સોરાષ્ટ્રની સ્વાતંત્ર સાધના, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, વિ-ચાર્ય (સંશોધન લેખો), ભારતના ઈતિહાસની તવારીખ, ઇતિહાસ,વિચાર અને સંવેદના
-
જીવન ચરિત્રો – મુસ્લિમ મહાત્માઓ, સૂફી જાણ તો તેને રે કહીએ , ગાંધીજી, રવિશંકર મહારાજ , આપણા જવાહર , અડીખમ સ્વાતંત્ર સૈનિક મોરારજી દેસાઈ , ક્રાંતિકારી ભગતસિંહ
- સામાજિક – Islam and Non Violence, Social Engagements of Intellectuals in Civil Society, મુસ્લિમ માનસ, મુસ્લિમ સમાજ: વ્યથા અને વિચાર
- શિક્ષણ – પ્રૌઢ શિક્ષણ: સિધ્ધાંત અને વ્યવહાર , પ્રૌઢ શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ: યોજના અને સંચાલન
- પ્રકીર્ણ – નોખી માટીના નોખા માનવી, સ્નેહની સરવાણી, સ્મૃતિવંદના, અલખને ઓટલે
- પ્રવાસ – દો કદમ હમભી ચલે, સફર-એ-સાઉદી અરેબિયા, ગુજરાતમાં પ્રવાસન, યાત્રા, પ્રવાસન: સિધ્ધાંત અને વ્યવહાર ( પ્રેસમાં )
સન્માન
- ૨૦૧૨- પ્રજાસત્તાક દિનની ઉજવણી, ભાવનગર મુકામે – મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે સન્માન.
- ગુજરાત સાહિત્ય અકાદમી – ૧૯૯૨ના શ્રેષ્ટ સંશોધક ગ્રન્થનું પ્રથમ પારિતોષિક
- ૨૦૦૬- ગુજરાત રાજ્યના રાજ્યપાલ મા.નવલ કિશાર શર્મા દ્વારા સંશોધન અને કોમી સદભાવના અંગેના લેખો અને કાર્ય બદલ સન્માન
- ૨૦૧૦- દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા ભાવનગરના ૧૦૦ પાવર પીપલનું સન્માન
- ૨૦૦૬- ગુજરાત જૈન યુવક સંઘ, અમદાવાદ દ્વારા ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામ અંગે લખેલા ૧૮ ગ્રંથો માટે સન્માન
- ૧૯૯૬- ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન
- ૨૦૦૨ – રાજસ્થાન સાહિત્ય સંગમ દ્વારા પંડિત સુંદરલાલ મિલેનિયમ એવોર્ડg
- ૨૦૧૯ – કુમાર ચંદ્રક
- મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક કાર્ય બદલ સન્માન
- ૧૯૯૮- ખેડા
- ૨૦૦૦ – કલોલ
- ૨૦૦૫- અખિલ ભારતીય મેમણ સમાજ, મુંબઈ
- મીરાં સચદે મેમોરીયલ સમિતિ, ભુજ દ્વારા સન્માન
- ૧૯૯૬ – અમરેલી જીલ્લા સ્વાતંત્ર સમિતિ દ્વારા, અમરેલી જીલ્લાના સ્વાતંત્ર સંગ્રામ પર ઐતિહાસિક ગ્રંથના લેખન માટે સન્માન
Like this:
Like Loading...
Related
આમ તો ખાસ પરિચય નથી પણ એમના લેખો..ખાસ કરીન સુફી વાતો ખૂબ ગમે છે.
તેમનું લખાણ સંત સાહિત્ય જેવુ લાગે…અ સ લા મ
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
I am very familiar by his name, as a Advo\isor of TAMANNA monthgly published in Bagasra-Saurashtra. BUT–BUT very honestly was knowing his so huge(!) contribution in Gujarati literature, and for our GUJARAT. Very Interesting !1 If Happen to go to Bhavnagar it woulf be honour to meet and I will..!!I don” t understand why 50%9shall I increase the %) directly or indirectly CONNECTED TO BHAVNAGAR?? May mr Desai has the answer!! HATIM. K. BAGASRAWALA THATHIA
Pingback: ધ્યાનખંડમા ખુદાની ઈબાદત | સૂરસાધના
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ઉદ્યોગપતિઓ/ અર્થશાસ્ત્રી/ ઈતિહાસકાર/ એન્જિનિયર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
શ્રીમાન,
મારા પરિચયમાં થોડો ફેરફાર કરવા વિનંતી છે. હાલ હું ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદના ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં ૧ નવેમ્બર ૨૦૧૨થી પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે જોડાયો છું, ભાવનગર વિશ્વ વિદ્યાલય, ભાવનગર પછી તેનું ઉમેરણ કરવા વિનંતી છે.
મહેબૂબ દેસાઈ