* એક લેખક કહે છે, “જાસાચિઠ્ઠી સિવાયનું બધું જ મેં લખ્યું છે.” અને આ વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી.
* અમિતાભ બચ્ચન અને જયાનું લગ્ન થયું તેમાં માત્ર બે જ પત્રકારો હાજર હતા,એ પૈકીના તેઓ એક હતા.
* રાજેશ ખન્ના અને ડિમ્પલનાં લગ્નમાં ખાસ નિમંત્રણથી જનારા અને તેનું વિગતવાર રિપોર્ટિંગ કરનારા તથા મુમતાઝના લગ્નમાં પણ હાજર રહીને રિપોર્ટિંગ કરનારા ફિલ્મિ પત્રકાર હતા તેઓ.
* ખેતી સાથે જોડાયેલાં વાવણીથી માંડીને ફસલ લણવા કે વાઢવા સુધીનાં દરેક કામમાં પારંગત અને ફૈડકો હાંકીને સીધા ચાસ કાઢવામાં તેમની માસ્ટરી હતી. તેમના પાડેલા ચાસ રેલવેના પાટાની જેવા સીધા રહેતા.
* નદીમાં પૂર આવે ત્યારે બીજા બધા મજૂરો અને ખેડૂતો બાજુના ગામમાં રાતવાસો કરે, પરંતુ બળદનું પૂછડું પકડીને ધસમસતા નદીના પૂરમાં ઝંપલાવીને પોતાના ગામે આવી જાય એ આપણા કવિ !
* ડમણિયા(બળદગાડા) હાંકનારાઓમાં આગળ નીકળી જવાની હરિફાઈમાં દસ વર્ષ સુધી સતત વિજેતા બનીને સવા રૂપિયો રોકડો અને એક શ્રીફળનું ઇનામ જીતનારા અને આ ઈનામરૂપે મળતા શ્રીફળ અને સવા રૂપિયા સામે ઓસ્કાર એવોર્ડ પણ તુચ્છ ગણનારા –એ આપણા કવિ !
* એમને જ્યારે પહેલી પંક્તિ સૂઝી ત્યારે તેમના હાથમાં કલમ નહોતી, દાતરડું હતું.
* એમણે નવલકથાઓ લખી છે, નાટકો લખ્યાં છે, જીવનકથા લખી છે, ફિલ્મી સામયિક માટે મુંબઈમાં રિપોર્ટિંગ પણ કર્યું છે. ફિલ્મો લખી પણ ખરી અને તેનું દિગ્દર્શન પણ કર્યું છે.
* માત્ર ચાર ચોપડી ભણેલા આ સર્જક ઉપર ઘણા વિદ્યાર્થીઓએ પીએચડી અને એમફીલ પણ કર્યું છે.
very nice
ખુબ જ સરસ સાહેબ
આ પ્રકારના પરિચય એજ આપણાં ગુજરાતી સાહિત્યનો સાચો
ખજાનો છે, આભાર
એક યશસ્વી નામ…હૃદયભરી દેતી તેમની કલમ સદાબહાર છે…માણતા જ રહીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
સુરેશ દાદા હમણાંજ અમદાવાદ બુક ફેરમાં કવિ સંમેલનમાં નજીકથી જોવાની અને લાઈવ સાંભળવાની તક યાદગાર બની ગઈ.
Pingback: અનુક્રમણિકા – ખ, જ્ઞ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Thank you
ગુજરાતી ગઝલ સાહિત્યના શિરમોર શાયર ખલીલ ધનતેજવી જન્નતનશીન થયા.
અમૃત ઘાયલ,શૂન્ય પાલનપુરી,બરકત વિરાણી ‘બેફામ’,ગની દહીંવાલા,શેખાદમ આબુવાલા,જલન માતરી અને ‘મરીઝ’ જેવા ધરખમ શાયરોની પેઢીના મુશાયરાની રજૂઆતના શહેનશાહ કહેવાતા ખલીલ ધનતેજવી ગઝલકાર,નવલકથાકાર,વાર્તાકાર,ઉચ્ચ કક્ષાના પત્રકાર અને શ્રેષ્ઠ માનવતાવાદી સાહિત્યકાર હતા.મુશાયરાઓમાં ધરખમ રજૂઆતના કારણે એ છવાઈ જતા.ગત પેઢીના શાયરોનો એક ઝળહળતો સૂર્ય આથમી ગયો,એમ એમના વિશે કહી શકાય.એમની ઉર્દૂ ગઝલ જગજીતસિંહે પણ ગાઈને અમર બનાવી દીધી છે.અડધો ડઝન ઉપરાંત શ્રેષ્ઠ કક્ષાના ગઝલ સંગ્રહો આપ્યા.ખલીલ ધનતેજવીની ખોટ એમના લાખો ચાહકો અને શાયરોને પણ દીર્ઘકાલ સુધી સાલતી રહેશે.આમ તો એમના અનેક શેર લોકોના હ્દયમાં ચમકતા રહ્યા છે,તેમાં પણ ઉર્દૂ ગઝલનો આ શેર અમર શેર છે.
“અબ મેં રાશનકી કતારોમે નજર આતા હું
અપને ખેતો સે બિછડને કી સજા પાતા હું
ઈતની મેંહગાઈ કે બાઝાર સે કુછ લાતા હું
અપને બચ્ચો મે ઈસે બાંટ કે શરમાતા હું”
હમણાં એમની તાજી ગઝલનો આ શેર પણ એમની ગઝલ દર્શનની ઊંચાઈ દર્શાવે છે :
“જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક પણ માંગો અને આખી સદી તમને મળે”
ઉત્તમ કક્ષાના શાયર,ઉચ્ચ ગુણોથી સંપન્ન,માનવતાવાદી શાયર અને સાહિત્યકાર તરીકે ખલીલ ધનતેજવીનું નામ ગુજરાતી ગઝલ આકાશમાં દાયકાઓ સુધી ઝળહળતું રહેશે.
સાભાર : મુસાફિર પાલનપુરી
Pingback: ખલીલ ધનતેજવી હવે નથી | સૂરસાધના
કાવ્ય વિશ્વ પરથી ….
* એક લેખક કહે છે, “જાસાચિઠ્ઠી સિવાયનું બધું જ મેં લખ્યું છે.” અને આ વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી.
* અમિતાભ બચ્ચન અને જયાનું લગ્ન થયું તેમાં માત્ર બે જ પત્રકારો હાજર હતા,એ પૈકીના તેઓ એક હતા.
* રાજેશ ખન્ના અને ડિમ્પલનાં લગ્નમાં ખાસ નિમંત્રણથી જનારા અને તેનું વિગતવાર રિપોર્ટિંગ કરનારા તથા મુમતાઝના લગ્નમાં પણ હાજર રહીને રિપોર્ટિંગ કરનારા ફિલ્મિ પત્રકાર હતા તેઓ.
* ખેતી સાથે જોડાયેલાં વાવણીથી માંડીને ફસલ લણવા કે વાઢવા સુધીનાં દરેક કામમાં પારંગત અને ફૈડકો હાંકીને સીધા ચાસ કાઢવામાં તેમની માસ્ટરી હતી. તેમના પાડેલા ચાસ રેલવેના પાટાની જેવા સીધા રહેતા.
* નદીમાં પૂર આવે ત્યારે બીજા બધા મજૂરો અને ખેડૂતો બાજુના ગામમાં રાતવાસો કરે, પરંતુ બળદનું પૂછડું પકડીને ધસમસતા નદીના પૂરમાં ઝંપલાવીને પોતાના ગામે આવી જાય એ આપણા કવિ !
* ડમણિયા(બળદગાડા) હાંકનારાઓમાં આગળ નીકળી જવાની હરિફાઈમાં દસ વર્ષ સુધી સતત વિજેતા બનીને સવા રૂપિયો રોકડો અને એક શ્રીફળનું ઇનામ જીતનારા અને આ ઈનામરૂપે મળતા શ્રીફળ અને સવા રૂપિયા સામે ઓસ્કાર એવોર્ડ પણ તુચ્છ ગણનારા –એ આપણા કવિ !
* એમને જ્યારે પહેલી પંક્તિ સૂઝી ત્યારે તેમના હાથમાં કલમ નહોતી, દાતરડું હતું.
* એમણે નવલકથાઓ લખી છે, નાટકો લખ્યાં છે, જીવનકથા લખી છે, ફિલ્મી સામયિક માટે મુંબઈમાં રિપોર્ટિંગ પણ કર્યું છે. ફિલ્મો લખી પણ ખરી અને તેનું દિગ્દર્શન પણ કર્યું છે.
* માત્ર ચાર ચોપડી ભણેલા આ સર્જક ઉપર ઘણા વિદ્યાર્થીઓએ પીએચડી અને એમફીલ પણ કર્યું છે.
પન્નાલાલ પટેલ
ખલીલ ધનતેજવી સાહેબ