– અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.
–તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા
હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા
– એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા
– વિકિપિડિયા પર
– ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબ સાઈટ પર
– ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર
– તેમની રચનાઓ લયસ્તરો પર
————————
જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા– ગજીબેન; પિતા– શાંતિલાલ
- પત્ની– હસુમતીબેન , સુહાસિનીબેન ; સંતાનો – જયેશ, કમલેશ
શિક્ષણ
- ૧૯૬૪– બી.એ. ( અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર)
- ૧૯૬૪ – બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)
- ૧૯૬૬ – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત) – ગુજ. યુનિ.
વ્યવસાય
- ૧૯૫૬-૫૮ – ટેક્સ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન
- ૧૯૫૮-૧૯૬૬ – વેસ્ટર્ન રેલ્વેમાં ટિકિટ કારકૂન
- ૧૯૬૬ થી અંત સુધી – વિવિધ કોલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા
તેમના વિશે વિશેષ
- શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત અમદાવાદની ભવન્સ કોલેજમાંથી.
- પછી ડાકોરની કોલેજમાં અને છેલ્લે અમદાવાદની ભક્ત –વલ્લભ ધોળા કોલેજમાં વ્યાખ્યાતા
- ‘નિરિક્ષક’ અને ‘ઉદ્ગાર’ના તંત્રી
- ‘રે’મઠમાં બળવાખોર કવિઓ સાથે પહેલેથી સક્રીય હતા.
- પ્રયોગશીલ કલ્પનો એ એમની વિશેષતા હતી.
- ૧૯૬૩- પહેલો કાવ્ય સંગ્રહ ‘આકૃતિ’
- ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.
- અનેક સામાયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે.
- ‘રન્નાદે પ્રકાશન’ના સ્થાપક
રચનાઓ
- કવિતા– આકૃતિ, ૐ તત્ સત્ , બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’
- સંપાદન – કવિમિત્રો સાથે ગઝલ ઉસને છેડી,ગાઈ તે ગઝલ
- વિવેચન – સુરેશ જોશી : મૂલ્યાંકન, ગદ્યનું કલાસ્વરૂપ, અધીત’- ૧૦-૧૧-૧૨,, વિવેચનના વિવિધ અભિગમો’, ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ
સન્માન
- ધનજી -કાનજી સુવર્ણ ચન્દ્રક
Like this:
Like Loading...
Related
૨૦૦૩ માં અમદાવાદના ટાઉન હોલમાં તેમને સાંભળવાનો લ્હાવો શેં ભુલાય?
સૂરજને લીલો મનહર મોદી જ કલ્પી શકે!
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: મીઠું મીઠું બોલ મનહરા!….સંકલન- રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ