ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કૃષ્ણકાંત ઉનડકટ, Krishankant Unadkat


Krishankant Unadkat–    ‘કોઈ જ પ્રોબ્લેમ હોતો નથી, છતાં માણસ મજામાં રહી શકતો નથી. દરેકના મનમાં કોઈ ને કોઈ ઉચાટ છે. આપણે બધા ફરિયાદોનાં ભારેખમ પોટલાં લઈને ફરતા રહીએ છીએ. પોટલું ખોલીને આપણે ફરિયાદને પંપાળતા રહીએ છીએ. ‘

– ‘ નસીબ, લક અને તકદીર એવાં હાથવગાં બહાનાં છે જેનો આપણે ફટ દઈને ઉપયોગ કરી લઈએ છીએ. આપણને સ્વીકાર્ય ન હોય એવું કંઈક બને કે તરત જ આપણે એવું કહી દઈએ છીએ કે મારાં નસીબ જ ખરાબ છે. ‘

– તેમનો બ્લોગ ‘ચિંતનની પળે’

શ્રી. પી.કે.દાવડાએ બનાવેલ સરસ પરિચય

————————————————

જન્મ

  • ૧૨, ઓગસ્ટ-૧૯૬૩; શાપુર; જિ. જૂનાગઢ

કુટુમ્બ

  • માતા– જશુબેન ; પિતા– રસિકલાલ
  • પત્ની – જ્યોતિ ; સંતાનો –

અભ્યાસ

  • બી.કોમ. ; એલ.એલ.બી – જૂનાગઢ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એ. ડી. શેઠ પત્રકારિત્વ ભવનમાં જર્નલિઝમ ડીપ્લોમા
  • માસ્ટર ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની ડિગ્રીઓ

વ્યવસાય 

  • પત્રકાર
  • હાલ ‘સંદેશ’ માં તંત્રી

Krishankant Unadkat_1

 

        માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, “શું લાગે છે, વરસાદ બંધ થશે? ”

       ” આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! ” – માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો.

       માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. એક સમયે તો વરસાદને અટકવાનું જ છે. ખરા બપોરે ગમે તેટલો તાપ હોય તો પણ સાંજે ટાઢક થવાની જ છે. સવાલ એટલો જ હોય છે કે માણસ સમયને બદલવાની રાહ જુએ.

 

એમના વિશે વિશેષ

  • ચાર ધોરણ સુધી અભ્યાસ ગામની શાળામાં જ. પાંચમા ધોરણથી નવમા ધોરણ સુધી – પોરબંદરમાં એમની જ્ઞાતિ દ્વારા ચલાવાતા લોહાણા બાલાશ્રમમાં રહીને. ૧૦મા થી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ જુનાગઢમાં 
  • પિતા “શરૂઆત” નામના સાપ્તાહિકના માલિક હતા; એટલે કૃષ્ણકાંતને જર્નલિઝમમાં પહેલેથી રૂચિ હતી. 
  • IIM , ઈંદોરમાંથી પત્રકારિતા અંગેનો ખાસ કોર્સ પણ કર્યો છે.
  • જૂનાગઢ ખાતે ‘જનસત્તા’ દૈનિકથી કારકિર્દીની શરૂઆત
  • ગુજરાત સમાચાર, ચિત્રલેખા,દિવ્ય ભાસ્કર અને અભિયાનમાં વિવિધ પ્રકારની કામગીરી સંભાળી
  • છેલ્લા ત્રણ વર્ષથી સંદેશના તંત્રી.
  • જિંદગીની ઘટમાળને ફિલોસોફી સાથે સાંકળી અને લોકોને કંઈક શીખવા મળે એ રીતે તેમના શબ્દો વાચકના હ્રદય સુધી પહોંચે છે. સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખોમાં તેમની હથોટી અને બહોળો અનુભવ રીફ્લેક્ટ થયાં વગર નથી રહેતો.
  • દર રવિવારે સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં કૃષ્ણકાંત ઉનડકટની  ચિંતનની પળે કોલમ છેલ્લાં દસ વર્ષમાં એક મુકામ કાયમ કરી શકી છે. અનેક વાચકોને પોતાની જિદંગી વિશેની સમજ અને સહજતા આ લેખોમાંથી મળે છે.
  • દેશ અને દુનિયાનાં વિષયો આવરી લેતી દૂરબીન કોલમ દર સંદેશ દૈનિકમાં બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત દેશ અને દુનિયા રાજકારણને સ્પર્શતી તેમની એકસ્ટ્રા કોમેન્ટ કોલમ દરરોજ નિયમિત રીતે સંદેશના એડિટ પેઈજ ઉપર પ્રકાશિત થાય છે.
  • એમણે ઘણી જાણીતી સંસ્થાઓમાં પત્રકારિતા અને અન્ય વિષય ઉપર પ્રવચનો આપ્યા છે. આ અંગે એમણે સિંગાપોર, લંડન, સ્વીટ્ઝરલેન્ડ અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો છે.
  • પોતાનું પત્રકારિતાનું જ્ઞાન અન્ય લોકોને મળે એટલા માટે પત્રકારિતાની કોલેજોમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે પણ સેવા આપે છે.
તેમનાં પત્ની જ્યોતિબેન

તેમનાં પત્ની જ્યોતિબેન

  • તેમનાં પત્ની જ્યોતિબહેન પણ પત્રકાર છે. મુંબઈ સમાચાર દૈનિકની ગુરુવારે પ્રસિદ્ધ થતી લાડકી પૂર્તિમાં તેઓ “તારે મન મારે મન” નામની કોલમ લખે છે. એમણે ૧૫ વર્ષ સુધી ચિત્રલેખા સાપ્તાહિકમાં સિનિયર રિપોર્ટર અને કોલમિસ્ટ તરીકે ફરજ બજાવી. છ મહિના માટે અભિયાન સાપ્તાહિકના ફીચર્સ એડિટર તરીકે કામ કર્યું છે. એ બાદ છ મહિના તેમણે સ્પાર્ક્ બ્રોડકાસ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડના મોનિટર પખવાડિકમાં ફીચર્સ એડિટર તરીકે ફરજ બજાવી છે.

Ku_2 

રચનાઓ

  • ચિંતન – ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન @ ૨૪ x ૭; આમને-સામને

સાભાર

  • શ્રી. પી.કે.દાવડા

7 responses to “કૃષ્ણકાંત ઉનડકટ, Krishankant Unadkat

  1. pragnaju જૂન 23, 2014 પર 7:21 એ એમ (am)

    ચિંતન – ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન કરવા જેવું સાહીત્ય

  2. readsetu જૂન 26, 2014 પર 12:45 એ એમ (am)

    સરસ. અભિનંદન સુરેશભાઇ. તમારું આ કામ ખરેખર કાબિલેદાદ છે. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતના ઇતિહાસમાં એનું અનોખું સ્થાન રહેશે. કૃષ્ણકાંતભાઇની કોલમ ‘ચિંતનની પળે’ નિયમિત વાંચુ છું અને ખૂબ પ્રેરણાદાયી લખાણ હોય છે. ખાસ તો એ અંદરથી આવતું હોય એ ફિલિંગ થાય છે એટલે વધુ અસરકારક બને છે. એમનો ફોટો ન મૂક્યો ? જ્યોતિબહેનનો પરિચય થયો એ પણ સરસ… વચ્ચે ઘણો સમય તમારી મેઇલ સ્પામમાં જતી રહેતી હતી અને એમ જ બીજી પણ ઘણી. ઘણા વખતે ધ્યાન ગયું. હવે નિયમિત મળતી રહેશે અને જોતી રહીશ.
    લતા હિરાણી

  3. readsetu જૂન 26, 2014 પર 7:25 એ એમ (am)

    ઓકે… મળ્યો. ..મારી જેમ કાઠિયાવાડી છે !!!

  4. Vinod R. Patel જૂન 29, 2014 પર 9:11 એ એમ (am)

    કૃષ્ણકાંતભાઇની કોલમ ‘ચિંતનની પળે’ માં જીવન ઉત્કર્ષ માટે ઉપયોગી થાય એવા ઘણા પ્રેરક ચિતન લેખો પ્રગટ થાય છે એ વાચવા જેવા હોય છે .એમની પત્રકારીત્વની કારકિર્દી અન્ય ઉગતા પત્રકારો માટે પ્રેરણારૂપ છે .

    શ્રી કૃષ્ણકાંતભાઇનો સરસ વિગતો સભર પરિચય કરાવ્યો છે .

    સુરેશભાઈને આ બ્લોગ દ્વારા થતી એમની સાહિત્ય સેવા માટે અભિનંદન .

  5. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Ramesh Patel જુલાઇ 8, 2014 પર 3:15 પી એમ(pm)

    વાહ! સોનામાં સુગંધ..આપ સર્વનું યોગદાન ભાવિને ઝગમગતું કરશે…શ્રી કૃષ્ણકાન્તભાઈ..સૌના પરિચિત..કલમ બળે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: