ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રમુખ સ્વામી, Pramukh Swami


Pramukh_Swami    અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPS, બોચાસણના, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનાપાંચમા આધ્યાત્મિક અનુગામી

BAPS  વિશે…..

# BAPS web site

# સ્વામીનારાયણ સંસ્થા

#  વિકિપિડિયા પર

# વિશેષ માહિતી લેખ

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# અવસાન પ્રસંગે અંજલિ – વિનોદ વિહાર ઉપર

તેમનાં વચનો-

  • બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. બીજાના આનંદમાં આપણો આનંદ છે. બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.” ,
  • જે દેશનો યુવાન ચારિત્ર્યવાન અને નૈતિક રીતે દ્ર્ઢ હશે, તેનો વિકાસ કોઈ જ અટકાવી શકશે નહીં.
  • ધર્મ શું છે?..ફક્ત સદાચાર.
  • માણસની આધ્યાત્મિક જરુરિયાત માટે મંદિર જેવી સંસ્થાઓ બહુ જ જરૂરી છે.દેશની રક્ષા માટે જેમ મિલિટરીની જરૂર છે, તેટલી જ જરૂર સંસ્કારો માટે સમાજ ને છે. સંતો તેના પ્રોફેસરો છે.

અક્ષરધામ, નવી દિલ્હી

નામ

  • પ્રમુખ સ્વામી મહારાજ
  • સાધુ નારાયણ સ્વરૂપદાસજી
  • સંસારી નામ- શાન્તિભાઈ પટેલ

જન્મ

  • તા-૭/૧૨/ ૧૯૨૧( હિન્દુ પંચાંગ…વિક્રમ સંવત–૧૯૭૮ના માગશર સુદ-૮)
  • વતન… ચાણસદ ગામ, પાદરા તાલુકા, વડોદરા જિલ્લો

અવસાન

  • ૧૩, ઓગસ્ટ;  સાળંગપુર, જિ. અમદાવાદ

કુટુમ્બ

  • પિતા– મોતીભાઈ; માતા-દિવાળીબા
  • ભાઈ બહેન – ચાર ( તેમનાથી બધાં મોટાં)

અભ્યાસ

  • પાંચમા ધોરણ સુધી ગામની શાળામાં
  • મેટ્રિક સુધી તાલુકા મથક પાદરાની નિશાળમાં
  • પછી સ્વામીનારાયણ ગુરૂકૂળમાં ધાર્મિક અભ્યાસ

વ્યવસાય

  • આજીવન સ્વામીનારાયણં, અક્ષર પુરૂષોત્તમ  સંસ્થા ( BAPS) ની સેવા અને નેતૃત્વ

તેમના વિશે વિશેષ

  • તેમનું જન્મ સ્થાન – ચાણ્સદ ગામમાં , ઢાળવાળી ગલિમાં, ડાબા હાથે આવેલું બે ઓરડાનું પહેલું મકાન…આજે ‘પ્રાગટ્ય તીર્થ’ તરીકે સંસ્થાએસ્મૃતિ મંદિર બનાવ્યું છે ને ,હરિભક્તોનું આસ્થા કેન્દ્ર છે.
  • ૧૮-૧૯ વર્ષની ઉમ્મરે, ગુરુશાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અને માતા, પિતાની સમ્મતિ  લઈ, ગૃહત્યાગ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં  સાધુ બન્યા.
  • ભક્તિ પરાયણ કુટુમ્બના સંસ્કાર ઝીલતાં, પિતા સાથે ગુરુસત્સંગ થકી, એકાદશીના વ્રત કરવાની બાળવયે શરુઆત કરી. ગુરુ શાસ્ત્રીજી ધર્મ સભા માટે ચાણસદ ગામે આવ્યા ત્યારે; પિતાજી સાથે  દર્શને ગયા.પૂ. શાસ્ત્રીજી મહારાજે ત્યારે  તેમને જોઈને કહ્યું…મોતીભાઈ..”આ અમારા છે’ સમય આવે સેવા માટે યાદ કરીશું.
  • શાળા અભ્યાસ દરમિયાન ખુબ જ તેજસ્વી, હમ્મેશ પહેલો, બીજો ક્રમ જાળવી રાખતા.સાથે સાથે ક્રિકેટ રમવામાં, તરવામાં અને સ્વામીનારાયણ સમ્પ્રદાયનાં ભજનો ગાવામાં ખુબ ક રસ.
  • તા. ૭, નવેમ્બર – ૧૯૩૯.- ઘેરથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા. રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ ચિઠ્ઠી આપી, એમાં લખ્યું હતું; ” સાધુ થવા આવી જાઓ” અને હરિભક્ત કુટુમ્બે આનેજીવનની ધન્ય પળો ગણી હસતે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે તેમને વિદાય દીધી…એ દિવસ હતો
  • ૨૨ નવેમ્બર,૧૯૩૯ – પ.પૂ ગુરુ શાસ્ત્રીજી મહારાજે, અમદાવાદમાં પાર્ષદની દીક્ષા આપી.એ વખતે એમનું નામ ‘શાન્તિ ભગત’ હતું !
  • પછી સંસ્કૃત ભાષાના અધ્યયનની શરૂઆત
  • સંસ્કૃત ભણી શાસ્ત્રીજી બ્ન્યા, સાધુ જીવનની દિનચર્યામાં એવા તો ગોઠવાઈ ગયા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજના વહાલા બની ગયા.
  • ૧૦ જાન્યુઆરી,૧૯૪૦ – અક્ષર ડેરી, ગોંડલ – શાસ્ત્રીજી મહારાજે , પૂ.યોગીજી મહારાજ સાથે, સંપૂર્ણ વૈદિક વિધિથી ભાગવતી દીક્ષા આપી.; સાધુ નારાયણસ્વરૂપદાસ સ્વામીની પદવી આપી
  • ૨૩મા વર્ષે સંસ્થાનીવહિવટી કમિટીમાં નિમણૂક
  • ૧૯૪૬માં,૨૪મા વર્ષે   સારંગપુરમાં સ્વામીનારાયણ મંદીરના કોઠારીની મહત્ત્વની જવાબદારી
  • ૨૧ મી મે,૧૯૫૦ (ફક્ત ૨૮ વર્ષની વયે) – નવા કામકાજ હાથ ધરવાની કોઠાસૂઝ જોઈ..શ્રી શાસ્ત્રીજી મહારાજે, પ.પૂ.યોગીજી મહારાજની આશીષ સાથે, બોચાસણ અક્ષર પુરુષોત્તમ સંસ્થાના ‘પ્રમુખ’ તરીકેની ખૂબ જ મોટી જવાબદારી, સોંપી.,
  • ૧૦મી મે,૧૯૫૧ – પ.પૂ .યોગીજી મહારાજના અવસાન બાદ , ભગવાન સ્વામીનારાયણ સ્વામીનાપાંચમા અનુગામી તરીકે, સંત ચરણ કોટી જન ઉધ્ધારક થઈ ને પ્રમુખ સ્વામી, , આ યુગના સાચા સંત  તરીકે  પૂજાય છે.
  • આજે ૯૪મા વર્ષે ,સંસ્થાને વિશ્વવંદનીય વિરાટ સંસ્થા બનાવી ,દોરવણી આપી રહ્યા છે.
  • પૂર, ભૂકંપ, દુષ્કાળ, સમયે, લાખો નિસ્વાર્થ સેવાભાવી  સ્વયં સેવકોની ફોજ, ભાતૃભાવથી કાર્ય કરતી, વિશ્વે જોઈ છે.
  • વિશ્વના અનેક મહાનધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, સમાજસેવી સંસ્થાઓ  સાથે, છ દાયકા સુંધી, સંત પ્રતિભાથી તેમણે સૌને પોતીકા બનાવ્યા છે.
  • ૨૯ ઑગષ્ટ,૨૦૦૦ – તેમનું યુનોની ધર્મસભામાં , (Millennium world peace summit of spiritual leaders),ગુજરાતી માતૃ ભાષામાં પ્રવચન,
  • ૧૯૮૩માં તેમણે હાર્ટ એટેક અનુભવ્યો પણ બેઠા થઈ તરત કાર્યરત બની ગયા.
  • ૫૫ જેટલાવિદેશોમાં રચનાત્મક રીતે આજે BAPS  કાર્યરત છે; જેના તેઓ સૂત્રધાર છે.
  • સ્વામીશ્રીનો કરુણા પ્રવાહ-
    ૧૯૯૩નો મહારાષ્ટ્રના ભૂકંપ વખતે; ઓરીસ્સાનું વાવાઝોડું, ચેન્નાઈના દક્ષિણ ભાગે કન્યાકુમારી,આંદોમાન-નિકોબાર ટાપુ, સુનામીની ભયંકર તબાહી, ૨૦૦૬ નો સુરતનો જળપ્રલય, નૈરોબી-દારેસલામ,૨૦૦૧નો ગુજરાત-ભૂજનો ભયંકર ભૂકંપ કે કેલિફોર્નીઆ(અમેરીકા)ના ભૂકંપ પીડિતો;
  • હાલ ૧૧૦૦ ઉપરાંત પ્રાચીનતમ, આરસપહાણ કોતરણી કલાના શિખરબધ્ધમંદિરોનું   નિર્માણ. આની  યશ કલગી સમાન, દિલ્હી સ્થિત  વિશાળ અક્ષરધામનું નિર્માણ ફક્ત પાંચ જ વર્ષમાં પૂરું થયેલું.
  • ૮ જુલાઈ – ૨૦૦૦ – ૭૧૩ મંદિરોના નિર્માણના યોગદાન સમયે, Guinness World Records recognize()   ,પ્રમુખ સ્વામીને સન્માનિત કરેલા છે..
  • ૨૮ જેટલા વિદેશ પ્રવાસ અને બધે ભક્તિરસની લ્હાણી
  • પ્રમુખ સ્વામીના ગુરુપદે..બીએપીએસ..સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપ—-
  • ૫૫ દેશોમાં , ૧૨૫૦૦ ઉપરાંત વિશ્વવ્યાપી સત્સંગ મંડળો..મહિલા મંડળો થકી..યુવા આંતરિક શક્તિ વિકાસ સંચાલન.
  • વિશ્વના ૧૫ જેટલા દેશોમાં ૭૫૦થી વધુ નવાં મંદિર સંકુલનો નિર્માણ કરી..કુલ ૧૧૦૦ મંદિરોમાં ૯૦૯૦ જેટલાં સંસ્કાર કેન્દ્રોનું નિયમિત સંચાલન.
  • ૪૦ સામાજિક સેવા સંકુલો દ્વારા વિરાટ નિઃસ્વાર્થ ,નિઃશુલ્ક સેવા (હરિભક્તોના દાનથી),
  • ૮૦ નૂતન શાળાઓ ,૩૧ શિક્ષણ પરિસરો(૧૧૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ લાભ લે..છાત્રાલય સાથે)
  • ૨૨ જેટલાં આરોગ્ય કેન્દ્રો ..૭ મોટીહોસ્પિટલો.. ફરતા દવાખાના સાથે…પરિવહન , ( પાંચ લાખ દર્દીઓને પ્રતિવર્ષ સેવા)

 રજૂઆત સંકલન

  • રમેશ પટેલ(આકાશદીપ)

આધાર

  • સત્સંગ, Pramukh swami Maharaja
  • Life and brief work by BAPS Sadhu

9 responses to “પ્રમુખ સ્વામી, Pramukh Swami

  1. Ramesh Patel ડિસેમ્બર 17, 2014 પર 8:52 પી એમ(pm)

    શ્રી સુરેશભાઈ

    આપે સુંદર એડીટીંગ કર્યું છે…જાણે સાગરમાંથી મોતી સમ વિગતોનો થાળ.

    ભારતના વિભૂતિ સંત એવા પ.પૂ.શ્રી પ્રમુખ સ્વામી મહારાજના , પળ પળના સત્સંગે, આશિષે અનેકના જીવનમાં , સમાજમાં ને વિશ્વ પટાંગણે ,સદભાવનાથી જે આધ્યાત્મિ ચેતના જગાવી છે..તેની ગાથાઓના પ્રકરણો તો, અખૂટ પ્રેરણા સ્ત્રોત બની, સાગરની લહેરોની જેમ આજે લહરી રહ્યા છે…….
    કેવું સરળ છતાં દિવ્ય સંત જીવન…જયશ્રી સ્વામિનારાયણ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    કરોના, કેલિફોર્નીઆ

  2. ykshah ડિસેમ્બર 17, 2014 પર 8:57 પી એમ(pm)

    પ્રમુખ સ્વામીશ્રી વિશેનો માહિતી લેખ મની ગમ્યો
    પણ તેમનું વ્યક્તિત્વ એટલું મહાન અને અદભુત છે કે તેને શબ્દોમાં વર્ણવવું લગભગ અશક્ય છે.

    સારંગપુર ગામના અભણ રબારીથી લઈને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બીલ ક્લીન્ટન જ નહિ પણ R.K. Laxman જેવી નાસ્તિક વ્યક્તિ – દરેકને તેમના સાનીધ્યમાં જુદી જુદી પણ એક અલૌકિક અનુભતી થઇ છે.

    વધુ જાણકારી માટે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ લંડન ખાતે એક અઠવાડીયા સુધી કરેલ પ્રવર્ચનોની ઓડિયો ફાઈલ્સ ડાઉન લોડ કર્યા સિવાય નીચેની લીન્ક્સ દ્વારા સાંભળી શકાશે.

    http://yourlisten.com/ykshah/day-1-at-london
    http://yourlisten.com/ykshah/day-2-at-london
    http://yourlisten.com/ykshah/day-3-at-london
    http://yourlisten.com/ykshah/day-4-at-london
    http://yourlisten.com/ykshah/day-5-at-london
    http://yourlisten.com/ykshah/day-6-at-london
    http://yourlisten.com/ykshah/day-7-at-london

  3. Pingback: પ્રમુખ સ્વામી મહારાજ….ગુજરાતી પ્રતિભા પરિચય…શ્રી સુરેશભાઈ જાની.. સંકલન..રમેશ પટેલ(આકાશદીપ) | આ

  4. Pingback: પ્રમુખ સ્વામી મહારાજ….ગુજરાતી પ્રતિભા પરિચય…શ્રી સુરેશભાઈ જાની.. સંકલન..રમેશ પટેલ(આકાશદીપ) | આ

  5. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Anila Patel ઓગસ્ટ 13, 2016 પર 8:16 પી એમ(pm)

    Prabhu emana divya aatmane param shanti arpe ej Shree Swaminarayan bhagvanne prarthana.

    • Seeker ઓગસ્ટ 27, 2016 પર 12:31 એ એમ (am)

      (૧) જેની એક કૃપા દ્રષ્ટિથી ગમે તે વ્યક્તિ પછી ભલે તે તળાજા ગામનો માથા ભારે રીશુભા હોય કે પછી રામસંગ બાપુ જેવા જીવને પરમ શાંતિની અનુભુતી થવાથી હ્રદય પરિવર્તન થતું હોય (૨) જેના રોમે રોમમાં ભગવાન સ્વામિનારાયણ અખંડ રહ્યા હોય (૩) દેહ ત્યાગ કર્યા પછી પણ જેના ચેહરા ઉપર દિવ્ય તેજ અને શાંતિ સ્પષ્ટ નજરે પડતી હોય તે આત્મા સદાય દિવ્ય – શાંત અને શીતળ જ હોય.માટે બીજા સામાન્ય માનવીની જેમ તેમના આત્માની શાંતિ માટે યાચિકા કરવી યોગ્ય છે કે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: